/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/chhatisgarh-naxal-encounter.jpg)
છત્તીસગઢ પોલીસ એન્કાઉન્ટર photo - ANI
chhatisgarh naxal encounter : છત્તીસગઢના ગરિયાબંદમાં નક્સલવાદીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે, 14 ઠાર થયા છે. મોટી વાત એ છે કે એક કરોડ રૂપિયાનું ઈનામ ધરાવતો નક્સલી પણ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. તેની શોધ ઘણા સમયથી ચાલી રહી હતી. ગરિયાબંદમાં છત્તીસગઢ પોલીસનું અન્ય ઘણા નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે.
નક્સલવાદીઓ સામે મોટી કાર્યવાહી
જો કે, થોડા દિવસો પહેલા બીજાપુરમાં પણ એન્કાઉન્ટર થયું હતું અને ત્યારબાદ 18 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. પહેલા પોલીસે માત્ર 12 મૃત્યુની પુષ્ટિ કરી હતી, પરંતુ પછી એક નિવેદનમાં નક્સલવાદીઓએ પોતે 18 મૃત્યુની વાત કરી હતી. હાલમાં પોલીસ દ્વારા નક્સલવાદીઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નક્સલીઓએ જવાનોને નિશાન બનાવ્યા હતા
હવે છેલ્લા કેટલાક દિવસોમાં નક્સલવાદીઓ સામે આટલી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે કારણ કે નક્સલવાદીઓ દ્વારા મોટો હુમલો પણ કરવામાં આવ્યો હતો. હકીકતમાં, છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદીઓએ મોટો IED બ્લાસ્ટ કર્યો હતો.
નક્સલીઓએ સુરક્ષાદળોના વાહનને નિશાન બનાવ્યું હતું અને તેમાં 8 જવાનો શહીદ થયા હતા. સુરક્ષા દળોને લઈ જઈ રહેલા એક વાહનને નક્સલવાદીઓએ આઈઈડી બ્લાસ્ટ કરીને ઉડાવી દીધું હતું. આ હુમલામાં ડીઆરજીના 8 જવાન અને એક ડ્રાઈવર શહીદ થયા હતા.
નક્સલવાદીઓ અમિત શાહના દાવાને પડકારી રહ્યા છે
તમને જણાવી દઈએ કે ગૃહમંત્રી અમિત શાહે પણ માર્ચ 2026 સુધીમાં નક્સલવાદીઓને ખતમ કરવાની તારીખ નક્કી કરી છે. સરકારની આ પ્રાથમિકતા તેમના તરફથી અનેક મુલાકાતોમાં સ્પષ્ટ કરવામાં આવી છે. પરંતુ સતત હુમલાને કારણે પડકાર વધી ગયો છે અને સરકારના દાવાઓ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us