Pahalgam: પહેલગામનું મમ્મલેશ્વર મંદિર જ્યાં ભગવાન શિવે પુત્ર ગણેશનું મસ્તક કાપ્યું હતું, શિવ ભક્તો માટે બહુ ખાસ

Mamaleshwar Temple in Pahalgam: પહેલગામનું મામલેશ્વર મંદિર માત્ર ઐતિહાસિક સ્થળ જ નથી, પરંતુ આ મંદિર ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વ ધરાવે છે. માન્યતા મુજબ, આ એ જ મંદિર છે જ્યાં દેવી પાર્વતીએ ભગવાન ગણેશને દ્વારપાલ તરીકે ઉભા રાખ્યા હતા.

Mamaleshwar Temple in Pahalgam: પહેલગામનું મામલેશ્વર મંદિર માત્ર ઐતિહાસિક સ્થળ જ નથી, પરંતુ આ મંદિર ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વ ધરાવે છે. માન્યતા મુજબ, આ એ જ મંદિર છે જ્યાં દેવી પાર્વતીએ ભગવાન ગણેશને દ્વારપાલ તરીકે ઉભા રાખ્યા હતા.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Mamaleshwar Temple in Pahalgam | Mamaleshwar Temple history | famous tourist places in Pahalgam | famous temple in jammu Kashmir

Mamaleshwar Temple in Pahalgam: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પૌરાણિક મમ્મલેશ્વર મંદિર આવેલું છે. (Photo: @searchkashmir)

Mamaleshwar Temple in Pahalgam: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હૃદય કંપાવી દે તેવી આ ઘટનાથી આખો દેશ આઘાતમાં સરી પડ્યો છે. પહેલગામની બૈસરન ખીણમાં આતંકવાદીઓએ હિન્દુ લોકોને નિશાન બનાવ્યા હતા, તેમને કલમા પઠવા કહ્યું હતું અને નિર્દયતાથી તેમની હત્યા કરી હતી. આ પહેલીવાર નથી જ્યારે કાશ્મીરની ધરતી પર આવી હિંસા જોવા મળી હોય. આ પહેલા પણ અનેક વખત આવી ઘટનાઓ જોવા મળી ચૂકી છે. પરંતુ ભય અને ગભરાટના આ વાતાવરણ વચ્ચે અમે તમને શાંતિ, શ્રદ્ધા અને સદાચારનું પ્રતિક બનેલા એ પહેલગામની એક પવિત્ર સ્થળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ધરતીના સ્વર્ગ સમાન આ સ્થળ પર ભગવાન શિવના ઘણા મંદિરો છે. આમાનું એક છે મામલેશ્વર મંદિર. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ આ મંદિર સાથે જોડાયેલી પૌરાણિક કથા

Advertisment

પહેલગામની ધાર્મિક ઓળખ

પહેલગામ કાશ્મીર ખીણમાં આવેલું એક ખૂબ જ સુંદર સ્થળ છે, જેને ઘણીવાર ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે. પરંતુ આ સ્થળ માત્ર તેની સુંદરતા માટે જ નહીં, પરંતુ ધાર્મિક માન્યતાઓ માટે પણ પ્રખ્યાત છે. અહીં અનેક મંદિરો અને તીર્થસ્થાનો આવેલા છે, જે ભગવાન શિવ અને તેમના પરિવાર સાથે સંકળાયેલા છે. આમાંનું એક છે મમલેશ્વર મંદિર, જેને સ્થાનિક લોકો 'મમ્મલ મંદિર' પણ કહે છે. મામલેશ્વર મંદિર પહેલગામ ગામમાં આવેલું છે અને કાશ્મીર ઘાટીના સૌથી જૂના અને પ્રમુખ મંદિરોમાંનું એક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ 12મી સદીમાં લોહરા વંશના રાજા જય સિંહે કરાવ્યું હતું. તેમણે મંદિરની છત પર સોનાનો કળશ પણ ચઢાવ્યો હતો. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને દર વર્ષે હજારો ભક્તો મંદિરની મુલાકાત લે છે.

આ મંદિરમાં બે સુંદર નંદીની મૂર્તિઓ છે અને તેની અંદર શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. શિવલિંગમાં એક પ્રાકૃતિક જળસ્ત્રોત પણ છે, જેનું પાણી એક નાના કુંડમાં ભેગું કરવામાં આવે છે. આ મંદિરને 'મમ્મલ મંદિર' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની પાછળ એક પૌરાણિક કથા છે. 'મમ' એટલે 'મનાઇ' અને 'મલ'નો અર્થ થાય છે 'જવું' – અર્થાત્ જવાની મનાઇ. આ નામને રક્ષણ અને રક્ષણનું પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે માતા પાર્વતીએ આ મંદિરના પ્રવેશદ્વાર પર ભગવાન ગણેશને ઉભા રાખ્યા હતા, જેથી કોઈ અંદર ન આવી શકે. કેટલીક દંતકથાઓ અનુસાર, અહીં જ ભગવાન શિવ ગુસ્સે થઇ ભગવાન ગણેશનું મસ્તક કાપી નાખ્યું હતું.

મમ્મલેશ્વર મંદિર સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ

આ મંદિર સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. આ લોકપ્રિય દંતકથાઓમાંથી એક અનુસાર, માતા પાર્વતીએ ભગવાન ગણેશને અહીં દ્વારપાલ તરીકે નિયુક્ત કર્યા હતા અને કોઈને પણ અંદર આવવાની મનાઈ ફરમાવી હતી. ગણેશજી મંદિરના પ્રવેશદ્વાર પર ઊભા હતા ત્યારે ભગવાન શિવ ત્યાં આવ્યા અને અંદર જવા લાગ્યા. પણ ગણેશજી તેમને અટકાવી દીધા. તેનાથી ક્રોધિત થઈ ભગવાન શંકરે ગણેશનું મસ્તક કાપી નાખ્યું. માતા પાર્વતીએ જ્યારે આ જોયું તો તે ગુસ્સે થયા અને કહ્યું કે ગણેશ તેનો અને શિવનો પુત્ર છે. પછી શિવે તેમને પુનર્જીવિત કરવા માટે હાથીનું માથું મૂકીને તેcને ફરીથી જીવીતી કર્યા હતા. આ જ કારણ છે કે આ સ્થાન શિવ અને ગણેશ બંનેના ભક્તો દ્વારા પૂજનીય છે. આ સ્થાન ભગવાન ગણેશના પુનર્જન્મ સાથે પણ સંકળાયેલું માનવામાં આવે છે, અને ધાર્મિક દ્રષ્ટિએ તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Advertisment

પહેલગામનું મામલેશ્વર મંદિર શિવભક્તો માટે ખૂબ જ ખાસ

અમરનાથ યાત્રામાં એક મહત્વપૂર્ણ પડાવ

અમરનાથ યાત્રા પહેલગામથી શરૂ થાય છે, અને મામલેશ્વર મંદિર પણ આ માર્ગ પર આવે છે. તેથી, જે ભક્તો યાત્રા પર નીકળે છે, તેઓ સૌ પ્રથમ આ મંદિરની મુલાકાત લે છે જેથી તેમની યાત્રા શુભ અને સફળ રહે.

શિવ અને પાર્વતીના મિલનનું પ્રતીક ધરાવતું સ્થળ

અન્ય એક માન્યતા મુજબ માતા પાર્વતીએ અહીં ધ્યાન કર્યું અને ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કર્યા. માટે આ મંદિર લગ્ન, યોગ, પ્રેમ અને સમર્પણનું પ્રતિક માનવામાં આવે છે. અહીં આવનારા અનેક ભક્તો વિવાહિત જીવનમાં સુખ અને પ્રેમની કામના કરે છે.

ખાસિયત અને અદ્ભુત દૃશ્ય

આ મંદિરની સૌથી ખાસ વાત છે તેની બે મુખ વાળી નંદિની મૂર્તિ, જે તેને અન્ય શિવ મંદિરોથી ખાસ બનાવે છે. આ ઉપરાંત મંદિર પાસે વહેતી લિદ્દર નદી અને ચારે બાજુ હરિયાળી મનને શાંતિ આપે છે. અહીં એક જળ કુંડ પણ છે, જેને બહુ પવિત્ર માનવામાં આવે છે.

ધાર્મિક તહેવારો પર વિશેષ કાર્યક્રમો

મહાશિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મંદિરમાં દર્શનાર્થે આવે છે. આ પ્રસંગોએ ખાસ પૂજા, ભંડારો અને રાત્રી જાગરણનું આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, જેના કારણે તેનું મહત્વ વધુ વધી જાય છે.

આતંકી હુમલો પ્રવાસ જમ્મુ અને કાશ્મીર