Mann Ki Baat: પીએમ મોદીની મન કી બાત - સ્ટાર્ટઅપ્સ ઈન્ડિયા, રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા થી મહા કુંભ સુધી 5 મુખ્ય વાતો

PM Narendra Modi Mann Ki Baat: પીએમ નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા, સ્ટાર્ટઅપ્સ ઈન્ડિયા થી લઇ મહા કુંભ સહિત પરાક્રમ દિવસ અને રાષ્ટ્રીય મતદાતા દિવસ વિશે વાત કરી છે.

PM Narendra Modi Mann Ki Baat: પીએમ નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા, સ્ટાર્ટઅપ્સ ઈન્ડિયા થી લઇ મહા કુંભ સહિત પરાક્રમ દિવસ અને રાષ્ટ્રીય મતદાતા દિવસ વિશે વાત કરી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
PM Narendra Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ફાઈલ તસવીર - photo - ANI

PM Narendra Modi Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 જાન્યુઆરી, 2025ના રોજ મન કી બાત કાર્યક્રમના 118માં એસિપોડને સંબોધિત કર્યું હતું. મન કી વાત કાર્યક્રમનું પ્રસારણ દર મહિનાના છેલ્લા રવિવારે કરવામાં આવે છે, જો કે જાન્યુઆરી 2025ના છેલ્લા રવિવારે 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ છે. આથી આ વખતે 19 જાન્યુઆરીના રોજ મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમ દરમિયાન તમામ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ સંવિધાન સભાના તમામ મહાનુભાવોને વંદન કર્યા છે.

Advertisment

મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીની મુખ્ય વાતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત દરમિયાન અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. એટલા માટે આપણે વારસાનું જતન કરવું પડશે અને પ્રેરણા લેવી પડશે.

મન કી બાત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે થોડા દિવસો પહેલા જ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલને 9 વર્ષ પૂર્ણ થયા છે અને છેલ્લા 9 વર્ષમાં બનેલા અડધાથી વધુ સ્ટાર્ટઅપ્સ ટાયર 2 અને ટાયર 3 શહેરના છે. જ્યારે આપણે આ સાંભળીએ છીએ, ત્યારે દરેક ભારતીયનું હૃદય ખુશ થઈ જાય છે, કારણ કે હવે સ્ટાર્ટઅપની સફળતા ફક્ત મોટા શહેરો પૂરતો મર્યાદિત નથી.

પ્રધાનમંત્રી મોદીએ મન કી બાત દરમિયાન રાષ્ટ્રીય મતદાતા દિવસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ છે. આ દિવસે ભારતના ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી. બંધારણના ઘડવૈયાઓએ આપણા ચૂંટણી પંચને બંધારણમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે ચૂંટણી પંચે આપણી મતદાન પ્રક્રિયાને આધુનિક અને મજબૂત બનાવી છે.

Advertisment

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત દરમિયાન પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે મહાકુંભની ઉજવણી વિવિધતામાં એકતાનો ઉત્સવ છે અને કુંભની પરંપરા ભારતને એકતામાં બાંધે છે. પીએમ મોદીએ કહ્યું કે મહાકુંભમાં યુવાનોની ભાગીદારી વધી છે.

મન કી બાત દરમિયાન પીએમ મોદીએ સુભાષ ચંદ્ર બોઝનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, હવે જાન્યુઆરી એટલે કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ પર; તે પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમની બહાદુરી સાથે જોડાયેલી આ ગાથા પણ તેમની બહાદુરીની ઝલક આપે છે. થોડા વર્ષો પહેલા, હું તેમના એ જ ઘરની મુલાકાત લીધી હતી જ્યાંથી તેઓ અંગ્રેજોથી ભાગી ગયા હતા. તેની તે ગાડી હજુ પણ ત્યાં જ છે. તે અનુભવ મારા માટે ખૂબ જ ખાસ હતો. સુભાષ બાબુ એક સ્વપ્નદ્રષ્ટા હતા. હિંમત તેમના સ્વભાવમાં જ મૂળ હતી. એટલું જ નહીં, તેઓ ખૂબ જ કુશળ વહીવટકર્તા પણ હતા.

નરેન્દ્ર મોદી દેશ PM Narendra Modi