માયાવતી એ રાષ્ટ્રીય સંયોજક પદેથી આકાશ આનંદને હટાવ્યા, ઉત્તરાધિકારી બનાવવાનો નિર્ણય પાછો ખેંચ્યો

Mayawati Removes Akash Anand Form BSP National Coordinator: માયાવતીએ આકાશ આનંદને બસપા પાર્ટીના નેશનલ કો-ઓર્ડિનેટર પદેથી મુક્ત કરી દીધા છે. લોકસભા ચૂંટણી વચ્ચે માયાવતીનો આ નિર્ણય ચોંકાવનારો છે.

Mayawati Removes Akash Anand Form BSP National Coordinator: માયાવતીએ આકાશ આનંદને બસપા પાર્ટીના નેશનલ કો-ઓર્ડિનેટર પદેથી મુક્ત કરી દીધા છે. લોકસભા ચૂંટણી વચ્ચે માયાવતીનો આ નિર્ણય ચોંકાવનારો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Mayawati nephew Akash Anand | Mayawati with Akash Anand | Mayawati | Akash Anand | Mayawati BSP

માયાવતી અને આકાશ આનંદ (Photo - @Mayawati/ @AnandAkash_BSP)

Mayawati Removes Akash Anand Form BSP National Coordinator: બસપા પ્રમુખ માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પદ પરથી હટાવી દીધા છે. એટલું જ નહીં, આકાશ આનંદને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કરવાનો નિર્ણય પણ તેમણે પાછો ખેંચી લીધો છે. માયાવતીએ કહ્યું છે કે, સંપૂર્ણ પરિપક્વતા સુધી તેમને બંને જવાબદારીઓથી અલગ કરવામાં આવી રહ્યા છે.

Advertisment

માયાવતીએ સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર એક પછી એક ત્રણ પોસ્ટમાં પોતાના નિર્ણયની જાણકારી આપી હતી. માયાવતીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે - એ વાત જગજાહેર છે કે બસપા માત્ર એક પાર્ટી જ નથી, પરંતુ બાબા સાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરના આત્મ સમ્માન અને સ્વાભિમાન તેમજ સામાજિક પરિવર્તન માટેનું આંદોલન પણ છે, જેના માટે તે માન્ય છે. શ્રી કાંશીરામજીએ અને મેં અને મેં અમારું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું છે અને નવી પેઢીને પણ તેને ગતિ આપવા માટે તૈયાર કરવામાં આવી રહી છે.

શું આકાશ પરિપક્વ નથી?

,

Advertisment

સોશિયલ મીડિયા પર બીજી પોસ્ટમાં આકાશ આનંદને હટાવવાની માહિતી આપતા માયાવતીએ કહ્યું કે, આ જ ઘટનાક્રમમાં, પાર્ટીમાં અન્ય લોકોને આગળ વધારવાની સાથે, આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક અને તેમના અનુગામી જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ પાર્ટી અને આંદોલનના વિશાળ હિતમાં સંપૂર્ણ પરિપક્વતા આવે ત્યાં સુધી આ બે મહત્વપૂર્ણ જવાબદારીઓથી અલગ થઈ રહ્યા છે.

,

આ પણ વાંચો | ગુજરાત લોકસભા ચૂંટણી 2024: પીએમ મોદી મતદાન પહેલા કોને પગે લાગ્યા?

સોશિયલ મીડિયાની ત્રીજી પોસ્ટમાં માયાવતીએ કહ્યું કે, તેમના પિતા આનંદ કુમાર પાર્ટી અને આંદોલનમાં પોતાની જવાબદારી પહેલાની જેમ પર નિભાવતા રહેશે. આથી બસપાનું નેતૃત્વ પક્ષ અને આંદોલનના હિતમાં અને બાબા સાહેબ ડો.આંબેડકરના આંદલનને આગળ વધારવામાં તમામ પ્રકારના ત્યાંગ અને બલિદાન આપવામાં પીછેહઠ કરશે નહીં.

ઉત્તર પ્રદેશ politics દેશ