લોકસભા ચૂંટણી 2024 : મોદી કા પરિવાર પર કોંગ્રેસના PM મોદી પર આકરા પ્રહારો, આ અભિયાનની શરુઆત કેવી રીતે થઈ?

Modi Ka Parivar, lok sabha election 2024, મોદી કા પરિવાર : લોકસભા ચૂંટણી 2024ના આડે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે વિપક્ષ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહારો કરવા માટે નવો મુદ્દો મળી ગયો છે. અત્યારે સોશિયલ મીડિયા ઉપર મોદી કા પરિવાર ભારે ટ્રેન્ડ થઈ રહ્યો છે.

Modi Ka Parivar, lok sabha election 2024, મોદી કા પરિવાર : લોકસભા ચૂંટણી 2024ના આડે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે વિપક્ષ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહારો કરવા માટે નવો મુદ્દો મળી ગયો છે. અત્યારે સોશિયલ મીડિયા ઉપર મોદી કા પરિવાર ભારે ટ્રેન્ડ થઈ રહ્યો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
PM Narendra Modi | PM Modi | BJP | BJP Leaders

PM Narendra Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Photo - PMO)

Modi Ka Parivar, lok sabha election 2024, મોદી કા પરિવાર : પીએમ નરેન્દ્ર મોદીની તરફેણમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા પર 'મોદી કા પરિવાર' ટ્રેન્ડ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારના મોટાભાગના મંત્રીઓએ X પર પોતાના નામની આગળ 'મોદીનો પરિવાર' ઉમેર્યો છે. હવે ભાજપના આ અભિયાન પર કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પલટવાર કર્યો છે. તેણે ટ્વિટર હેન્ડલ X દ્વારા પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરીને કહ્યું, “ખેડૂતો દેવાદાર છે, યુવાનો બેરોજગાર છે, મજૂરો લાચાર છે! અને મોદીનો 'અસલ પરિવાર' દેશને લૂંટી રહ્યો છે.

Advertisment

અજય મિશ્રા ટેની ભાજપનો અસલી પરિવાર છે : જયરામ રમેશ

રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના અન્ય ઘણા નેતાઓએ પણ પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે આરોપ લગાવ્યો કે ભાજપના સાંસદ અજય મિશ્રા ટેની અને બ્રિજભૂષણ શરણ સિંહ વડાપ્રધાન મોદીના 'અસલ પરિવાર' છે.

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે બીજેપી સાંસદો અજય મિશ્રા અને બ્રિજભૂષણ શરણ સિંહના એક્સ પ્રોફાઇલ સ્ક્રીન શોટ શેર કરતા પોસ્ટ લખી હતી કે ખેડૂતોની હત્યા, મહિલાઓ પર અત્યાચાર આજ છે મોદીનો અસલી પરિવાર.

આ પણ વાંચોઃ- લાલુ પ્રસાદ યાદવે ‘મોદીનો પરિવાર’ પૂછીને ભૂલ કરી? વિપક્ષના શબ્દો હંમેશા બન્યા છે મોદીના હથિયાર

Advertisment

'મોદી કા પરિવાર' અભિયાનની શરૂઆત કેવી રીતે થઈ?

બિહારના ભૂતપૂર્વ સીએમ અને આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવે 'પોતાનો પરિવાર' ન હોવાના કારણે એક રેલીમાં પીએમ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યાના એક દિવસ પછી સોશિયલ મીડિયા પર 'મોદી કા પરિવાર' અભિયાન શરૂ કર્યું. આ અભિયાન હેઠળ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા નેતાઓએ તેમના X પ્રોફાઇલ પર તેમના નામની આગળ 'મોદી કા પરિવાર' લખ્યું છે.

ચેન્નાઈમાં પીએમ મોદીની રેલી પર ભાજપની ઝુંબેશ છવાયેલી રહી

સોમવારે ચેન્નાઈમાં પીએમ નરેન્દ્ર મોદીની રેલીમાં 'અમારો પરિવાર મોદીનો પરિવાર છે' સૂત્ર ગુંજ્યું હતું. કેન્દ્રીય મંત્રી એલ. મુરુગને કહ્યું કે અમે મોદી પરિવારમાંથી છીએ. ભાજપના તમિલનાડુ એકમના અધ્યક્ષ કે. અન્નામલાઈએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી તેમના પરિવારના સભ્યોને મળવા માટે ચેન્નાઈની મુલાકાતે છે. અન્નામલાઈએ કહ્યું કે દેશના તમામ 142 કરોડ લોકો મોદી પરિવારના છે.

લોકસભા ચૂંટણી 2024 politics રાહુલ ગાંધી PM Narendra Modi