/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Mumbai-Building-Collapsed.jpg)
મુંબઈમાં ઇમારત ધરાશાયી - Photo - ANI
Mumbai Building Collapsed: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ અને તેનો કાટમાળ ચારે તરફ ફેલાઈ ગયો. ઈમારત ધરાશાયી થવાને કારણે અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. કહેવામાં આવી રહ્યું છે કે બિલ્ડિંગમાં લગભગ 24 પરિવાર રહેતા હતા.
પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRF ઘટનાસ્થળે હાજર છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. કાટમાળ હટાવવા માટે જેસીબી પણ મંગાવવામાં આવ્યો છે અને કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. આ ઘટના અંગે નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર કૈલાશ શિંદેએ જણાવ્યું હતું કે સવારે લગભગ સાડા પાંચ વાગ્યે બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી.
બિલ્ડિંગમાં 13 ફ્લેટ હતા
શિંદેએ વધુમાં કહ્યું કે તે G+3 બિલ્ડિંગ છે. શાહબાઝ ગામ બેલાપુર વોર્ડ હેઠળ આવે છે. બિલ્ડિંગમાં 13 ફ્લેટ હતા. બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને બે લોકો ફસાયા હોવાની આશંકા છે. NDRFની ટીમો સ્થળ પર છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ઈમારતનું નામ 'ઈન્દિરા નિવાસ' હોવાનું કહેવાય છે. આ ઈમારત જમીન વત્તા 3 માળની હતી. ફાયર બ્રિગેડે જણાવ્યું કે આ ઘટના આજે સવારે 4.35 કલાકે બની હતી.
આ પણ વાંચઃ- Paris Olympics 2024 Opening Ceremony : પેરિસ ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમની નદીના કિનારે યોજાઇ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે એનડીઆરએફની ટીમ બચાવ કામગીરી કરી રહી છે. જે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેઓ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની હાલત સ્થિર છે. ઇમારત 10 વર્ષ જૂની છે. હવે તપાસ કરવામાં આવી રહી છે અને બિલ્ડિંગના માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us