મુંબઈમાં પ્રવેશ કરવા પર નહીં ચુકવવો પડે ટોલ ટેક્સ, ગુજરાતીઓને થશે ફાયદો

Mumbai Toll Tax Free: મુંબઇમાં એન્ટ્રી કરતા પાંચેય ટોલ બૂથ પર લાઇટ મોટર વાહનો પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવશે નહીં. આ નિર્ણય આજે (14 ઓક્ટોબર) રાત્રે 12 વાગ્યાથી અમલમાં આવશે

Mumbai Toll Tax Free: મુંબઇમાં એન્ટ્રી કરતા પાંચેય ટોલ બૂથ પર લાઇટ મોટર વાહનો પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવશે નહીં. આ નિર્ણય આજે (14 ઓક્ટોબર) રાત્રે 12 વાગ્યાથી અમલમાં આવશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Mumbai Toll Tax Free, Mumbai, Toll Tax Free

મુંબઇમાં એન્ટ્રી કરતા પાંચેય ટોલ બૂથ પર લાઇટ મોટર વાહનો પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવશે નહીં (પ્રતિકાત્મિક તસવીર)

Mumbai Toll Tax Free : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા એકનાથ શિંદેની આગેવાનીમાં કેબિનેટે મોટો નિર્ણય લીધો છે. મુંબઇમાં એન્ટ્રી કરતા પાંચેય ટોલ બૂથ પર લાઇટ મોટર વાહનો પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવશે નહીં. આ નિર્ણય આજે (14 ઓક્ટોબર) રાત્રે 12 વાગ્યાથી અમલમાં આવશે. આ ટોલ પ્લાઝા વાશી, એરોલી, મુલુંડ (એલબીએસ રોડ), મુલુંડ (ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે) અને દહિસર ખાતે આવેલા છે. આ નિર્ણયથી મોટી સંખ્યામાં મુંબઈ જતા ગુજરાતીઓને પણ ફાયદો થશે.

Advertisment

મહારાષ્ટ્ર કેબિનટના આ નિર્ણય વિશે જાણકારી આપતા રાજ્ય સરકારના મંત્રી દાદાજી દગડુ ભુસેએ જણાવ્યું હતું કે હળવા મોટર વાહનોને આજે મધ્યરાત્રિથી ટોલમાંથી મુક્તિ આપવામાં આવશે. મુંબઈમાં પ્રવેશ સમયે દહિસર ટોલ, આનંદ નગર ટોલ, વૈશાલી, એરોલી અને મુલુંડ સહિત પાંચ ટોલ પ્લાઝા હતા. આ ટોલ પર 45 રૂપિયા અને 75 રૂપિયા લેવામાં આવતા હતા, જે 2026 સુધી પ્રભાવી હતા.

તેમણે કહ્યું કે લગભગ સાડા ત્રણ લાખ વાહનોની અવર-જવર રહે છે. તેમાંથી લગભગ 70,000 ભારે વાહનો અને 2.80 લાખ હળવા વાહનો હતા. આજે સરકારે રાતના 12 વાગ્યા પછી હળવા વાહનોને ટોલમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. લોકોનો લાઇનોમાં લાગવાનો સમય બચાવશે. સરકાર ઘણા મહિનાઓથી આ અંગે ચર્ચા કરી રહી હતી અને આજે આ ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે.

હળવા વાહનોમાં કયા વાહનો આવે છે?

હવે હળવા વાહનોની વાત કરીએ તો તેમાં કાર, ટેક્સી, જીપ, વાન, નાની ટ્રક, ડિલિવરી વાનનો સમાવેશ થાય છે. આજે રાત્રે 12 વાગ્યા પછી મુંબઈ આવતી કાર અને ટેક્સીઓને ટોલ ટેક્સ નહીં ભરવો પડે. આનાથી તે બધાને મોટી રાહત મળશે.

Advertisment

આ પણ વાંચો - 700 શૂટર, 11 રાજ્યોમાં ફેલાયેલું નેટવર્ક… ભારતનો બીજો ‘દાઉદ’ બનવાની ફિરાકમાં લોરેન્સ બિશ્નોઈ?

રાજ ઠાકરેએ આ નિર્ણયને આવકાર્યો

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ એકનાથ શિંદે સરકારના નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે તેઓ ઘણા વર્ષોથી ટોલ મુદ્દે વિરોધ કરી ચુક્યા છે. તેમણે માંગ કરી હતી કે મુંબઈમાં દરરોજ આવતા જતા અસંખ્ય વાહનોને રાહત આપવી જોઈએ. આ માંગણી આજે સફળ થઈ છે.

રાજ ઠાકરેએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે મુંબઈ માટે એન્ટ્રી ફી ટોલ બૂથ પર આજે મધરાતથી હળવા વાહન ટોલ છૂટ ઉપલબ્ધ છે. એમ માર્શલ ક્ષેત્રના તમામ નાગરિકોને અભિનંદન. ટોલ ટ્રાન્ઝેક્શનમાં પારદર્શિતાની જરૂર છે અને જ્યાં પણ પૈસા વસુલવામાં આવે છે, ત્યાં રસ્તાઓને ટોલ ફ્રી કરવા જોઈએ. એ ખુશીની વાત એ છે કે અમારું આંદોલન ખૂબ જ સફળ રહ્યું છે. હું પણ રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરીશ, પરંતુ સરકારે લોકોને ખાતરી આપવી જોઈએ કે હકીકત ચૂંટણી હેતુ માટે લેવામાં આવેલો નિર્ણય નથી.

મુંબઈ ન્યૂઝ મહારાષ્ટ્ર દેશ