ગુજરાત સરકારનો મોટો નિર્ણય, નડિયાદ અને પોરબંદરને પણ મહાનગર પાલિકાનો દરજ્જો અપાશે

ગુજરાત સરકારે વિધાનસભામાં જાહેરાત કરતા કહ્યું કે, નડિયાદ અને પોરબંદર નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવશે. આ સાથે રાજ્યમાં 17 મહાનગરપાલિકા હશે.

Written by Kiran Mehta
February 28, 2024 13:49 IST
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, નડિયાદ અને પોરબંદરને પણ મહાનગર પાલિકાનો દરજ્જો અપાશે
ગુજરાત વિધાનસભા (પ્રતિકાત્મક તસવીર)

ગુજરાત સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. વિધાનસભામાં સરકારે જાહેરાત કરી કે, વધુ બે નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે, જેમાં નડિયાદ અને પોરબંદરનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, આ સાથે હવે રાજ્યમાં 17 મહાનગરપાલિકાઓ હશે.

ગુજરાતમાં વધુ બે મહા નગરપાલિકાની જાહેરાત

ગુજરાત સરકારે આ પહેલા વિધાનસભા બજેટસત્ર 2024માં સાત નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી. ગવે તેમાં વધુ બે નડિયાદ અને પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. પંકજ દેસાઈએ સરકારના આ નિર્ણય પર આભા વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પહેલા 8 મહાનગરપાલિકા હતી, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, જુનાગઢ, ભાવનગર અને ગાંધીનગર.

બજેટ સત્રમાં સાત મહાનગરપાલિકાની જાહેરાત

બજેટ સત્રમાં નાણામંત્રીએ સાત નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી જેમાં, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણ, નવસારી, મોરબી, ગાંધીધામ, આણંદ અને વાપીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો – ગુજરાત : કોંગ્રેસ સાંસદ નારણ રાઠવા પુત્ર સંગ્રામ સાથે ભાજપમાં જોડાયા, છોટા ઉદેપુરથી 5 વખત લોકસભા ચૂંટણી જીતી

ગુજરાતમાં 17 મહા નગરપાલિકા

હવે ગુજરાત સરકારે વધુ બે નગરપાલિકા નડિયાદ અને પોરબંદર નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરતા રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકા હશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ