Modi Cabinet Meeting : મોદી કેબિનેટનો પ્રથમ મોટો નિર્ણય, પીએમ આવાસ યોજના અંતર્ગત 3 કરોડ નવા ઘર બનશે

Narendra Modi Cabinet Meeting Updates: પીએમ પદ સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા પીએમ કિસાન સાથે જોડાયેલી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા. પીએમના આ નિર્ણય બાદ પીએમ કિસાન ફંડનો 17મો હપ્તો આપવામાં આવશે

Written by Ashish Goyal
June 10, 2024 19:05 IST
Modi Cabinet Meeting : મોદી કેબિનેટનો પ્રથમ મોટો નિર્ણય, પીએમ આવાસ યોજના અંતર્ગત 3 કરોડ નવા ઘર બનશે
PM Narendra Modi Cabinet Meeting : નરેન્દ્ર મોદી સરકાર 3.0ની પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી (બીજેપી ટ્વિટર સ્ક્રિનગ્રેબ)

PM Narendra Modi Cabinet Meeting Updates : નરેન્દ્ર મોદી સરકાર 3.0ની પ્રથમ કેબિનેટ બેઠક ચાલી રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર મોદી સરકાર 3.0ની પહેલી કેબિનેટ બેઠકમાં સામાન્ય લોકોની આવાસની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ત્રણ કરોડ વધારાના મકાનો બનાવવામાં સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ મકાનો પીએમ આવાસ યોજના હેઠળ બનાવવામાં આવશે.

પદ સંભાળતા જ ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો હતો

આ પહેલા સોમવારે સવારે વડાપ્રધાન પદ સંભાળતાની સાથે જ પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો હતો. પીએમ પદ સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા પીએમ કિસાન સાથે જોડાયેલી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા. પીએમના આ નિર્ણય બાદ પીએમ કિસાન ફંડનો 17મો હપ્તો આપવામાં આવશે. મોદી સરકારના આ નિર્ણયથી લગભગ 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે. આ નિર્ણય બાદ ખેડૂતોને લગભગ 20 હજાર કરોડ રૂપિયા વહેંચવામાં આવશે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવી સરકારનો પહેલો નિર્ણય ખેડૂતોના કલ્યાણ માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને આવનારા સમયમાં સરકાર ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે હજુ પણ વધુ કામ કરવા માંગે છે.

આ પણ વાંચો – મોદી પોતાના કેબિનેટમાં કેટલા મંત્રીઓને સામેલ કરી શકે, શું કહે છે નિયમ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેથી તે યોગ્ય છે કે ચાર્જ સંભાળ્યા પછી સહી કરેલી પ્રથમ ફાઇલ ખેડૂત કલ્યાણને લગતી છે. અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે હજી વધુ કામ કરતા રહેવા માંગીએ છીએ.

પીએમઓના અધિકારીઓને પણ સંબોધિત કર્યા

પીએમ પદ સંભાળ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ સાંજે પીએમઓના અધિકારીઓને પણ સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ પીએમઓના અધિકારીઓને પોતાના પ્રથમ સંબોધનમાં કહ્યું કે 10 વર્ષ પહેલા આપણા દેશમાં છબી હતી કે પીએમઓ એક પાવર સેન્ટર છે, ખૂબ મોટું પાવર સેન્ટર છે અને હું સત્તા માટે જન્મ્યો નથી. હું સત્તા મેળવવા વિશે વિચારતો નથી.

તેમણે કહ્યું કે મારા માટે પીએમઓ શક્તિ કેન્દ્ર બને તે ન તો મારી ઇચ્છા છે કે ન તો મારો માર્ગ છે. અમે 2014 થી જે પગલાં લીધાં છે, અમે તેને ઉત્પ્રેરક એજન્ટ તરીકે વિકસાવવાનો પ્રયાસ કર્યો છે. પીએમઓ એ લોકોનું પીએમઓ હોવું જોઈએ અને તે મોદીનું પીએમઓ હોઈ શકે નહીં.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ