મુંબઈ બોટ દુર્ઘટનામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા, પીએમ મોદીએ PMNRFએ વળતર આપવાની કરી જાહેરાત

Mumbai boat accident : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈ બોટ દુર્ઘટનામાં 13 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. આ સાથે પીએમ મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ હેઠળ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવાની જાહેરાત કરી છે.

Mumbai boat accident : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈ બોટ દુર્ઘટનામાં 13 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. આ સાથે પીએમ મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ હેઠળ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવાની જાહેરાત કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
PM Modi mumbai Neelkamal ferry incident

મુંબઈ બોટ દુર્ઘટનામાં પીએમ મોદીની વળતરની જાહેરાત photo - ANI

Mumbai Boat Accident: મુંબઈમાં દરિયાકાંઠાના વિસ્તાર પાસે એક પેસેન્જર બોટ નૌકાદળની બોટ સાથે અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 13 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં નેવીના ત્રણ જવાનોએ પણ જીવ ગુમાવ્યો હતો. રેસ્ક્યુ ઓપરેશન હેઠળ અત્યાર સુધીમાં કુલ 99 લોકોને બચાવવામાં આવ્યા છે. તે જ સમયે, પીએમ મોદીએ અકસ્માત અંગે વળતરની જાહેરાત કરી છે.

Advertisment

વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈ બોટ દુર્ઘટનામાં 13 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. આ સાથે પીએમ મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ હેઠળ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવાની જાહેરાત કરી છે. નેવીના ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને એફઆઈઆર નોંધવામાં આવી છે. આ સિવાય ઘાયલ લોકો માટે 50 હજાર રૂપિયાની રકમની જાહેરાત કરવામાં આવી છે.

https://twitter.com/PMOIndia/status/1869424042094326207

આ પણ વાંચોઃ- મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા જતી બોટ પલટી, 3 નૌસેનિક સહિત 13 લોકોના મોત

નૌકાદળના ચાલક સામે કાર્યવાહી

મુંબઈ અકસ્માત અંગે નેવી ડ્રાઈવર સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે નેવી ડ્રાઈવર વિરુદ્ધ FIR નોંધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મુસાફરોથી ભરેલી આ બોટ એલિફન્ટા દ્વીપથી ગેટવે ઓફ ઈન્ડિયા જઈ રહી હતી.

Advertisment
મુંબઈ ન્યૂઝ વડાપ્રધાન દેશ