/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/New-Zealand-Deputy-PM-Winston-Peters.jpg)
ન્યૂઝીલેન્ડના નાયબ વડા પ્રધાન વિંસ્ટન પીટર્સ 10-13 માર્ચ સુધી ભારતની મુલાકાતે છે (Photo: X/@winstonpeters)
New Zealand Deputy PM on Nijjar killing : ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ કેનેડા અને ભારતના સંબંધોમાં કડવાશ આવી ગઇ હતી. તેનું કારણ પીએમ જસ્ટિન ટ્રુડોનું નિવેદન હતું, જેમાં તેમણે હત્યામાં ભારતની ભૂમિકા અંગે શંકા વ્યક્ત કરી હતી. જોકે ભારતે આ આરોપને વાહિયાત ગણાવીને ફગાવી દીધો હતો. હવે કેનેડાના પીએમના આરોપો પર ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન વિંસ્ટન પીટર્સે પુરાવાના અભાવનું કારણ આગળ ધરીને સવાલ ઉઠાવ્યા છે.
ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાનનું આ નિવેદન ખૂબ જ મહત્વનું છે. તેનું કારણ એ છે કે ન્યૂઝીલેન્ડ પણ તે 'ફાઇવ-આઇઝ ઇન્ટેલિજન્સ એલાયન્સ'ના સભ્યોમાંનું એક છે, જેમાં અમેરિકા, કેનેડા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. અવું માનવામાં આવે છે કે કેનેડાએ નિજ્જર હત્યા સંબંધિત ગુપ્ત માહિતી તેના ગઠબંધન ભાગીદારો સાથે શેર કરી હતી.
ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતી વખતે વિંસ્ટન પીટર્સે શું કહ્યું?
વિંસ્ટન પીટર્સ (78) 10-13 માર્ચ સુધી ભારતની મુલાકાતે છે, ગયા નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડમાં જમણેરી પક્ષો સત્તામાં આવ્યા પછી નાયબ વડા પ્રધાન બન્યા હતા. ડાબેરી ઝુકાવ લેબર પાર્ટીને હરાવી હતી. તેઓ દેશના વિદેશ મંત્રી પણ છે. ગયા વર્ષે તેમની પાર્ટી સત્તામાં આવ્યા પછી તેઓ નાયબ વડા પ્રધાન બન્યા હતા.
મંગળવારે ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઇન્ટરવ્યુમાં વિંસ્ટન પીટર્સને પૂછવામાં આવ્યું હતું કે શું કેનેડાએ નિજ્જર કેસ અંગેની માહિતી શેર કરી છે અને શું ન્યૂઝીલેન્ડે ભારતને તેની સ્થિતિ જણાવી છે. તો તેમણે કહ્યું કે અમે પાછલી સરકારમાં ન હતા અને આ જાણકારી પાછલી સરકારને મળી હશે.
પુરાવા ક્યાં છે? જે તપાસ થઈ છે તે ક્યાં છે?
વિંસ્ટન પીટર્સે આગળ સવાલ કરતા કહ્યું કે એક પ્રશિક્ષિત વકીલ તરીકે જ્યારે હું તેને જોઉં છું ત્યારે કેસ ક્યાં છે? પુરાવા ક્યાં છે? જે તપાસ થઈ છે તે ક્યાં છે?
આ પણ વાંચો - 25 વર્ષ વીતી ગયા, હજુ કેટલી રાહ જોવી? UNમાં ભારતે ફરી દુનિયાને બતાવ્યો અરીસો
આ પહેલી વાર છે જ્યારે ફાઇવ-આઇઝ પાર્ટનરના કોઇ સભ્યએ કેનેડાના આરોપો પર સવાલ ઉઠાવ્યા છે. ભારત અને કેનેડા વચ્ચે કડવાશ ત્યારે શરૂ થઈ જ્યારે વર્ષ 2023માં ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરનો મામલો સામે આવ્યો હતો. આ કારણે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોનું નિવેદન આવ્યું જેમાં તેમણે હત્યામાં ભારતની ભૂમિકા અંગે શંકા વ્યક્ત કરી હતી. ભારતે જવાબ આપતા કહ્યું કે આ એક વાહિયાત આરોપ છે.
ન્યૂઝીલેન્ડ માટે ભારત કેમ મહત્વનું છે?
વિંસ્ટન પીટર્સે કહ્યું કે તેના અનેક કારણો છે. કેટલાક ઐતિહાસિક છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી સાથે સંકળાયેલા હોવાનો અમને ખૂબ જ ગર્વ છે. તે કોમનવેલ્થના સભ્ય પણ છે. અમે માનીએ છીએ કે આપણે આપણા તમામ કોમનવેલ્થ દેશો સાથે, આપણા ભૂતકાળના તમામ મિત્રો સાથે વધુ નજીક રહેવાની જરૂર છે. આપણામાં મતભેદો હોઈ શકે છે, આપણે એવા ક્ષેત્રો શોધવા પડશે કે જ્યાં આપણે સાથે મળીને કામ કરી શકીએ.
ભારત એક સમૃદ્ધ લોકશાહી છે, જેમાં ટૂંક સમયમાં ચૂંટણીઓ છે. તેની અર્થવ્યવસ્થા આગામી 10 વર્ષમાં વધુ સારી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે. અમે માનીએ છીએ કે ભારત સાથે અમારો લાંબો, સૌહાર્દપૂર્ણ સંબંધ રહ્યો છે. જે અમારી પાસે અહીં આપવા માટે ઘણું બધું છે. શિક્ષણ અને IT જેવા ક્ષેત્રો અને અન્ય વસ્તુઓ કે જેના પર અમે કામ કરી શકીએ છીએ.
(ઇન્પુટ - શુભજિત રોય)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us