/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Nitin-Gadkari.jpg)
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (File Photo)
nitin Gadkari announce : કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે સરકારે માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકો માટે નવી યોજના શરૂ કરી છે. આને કેશલેસ ટ્રીટમેન્ટ નામ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે અકસ્માતના 24 કલાકની અંદર પોલીસને માહિતી મળતાની સાથે જ 7 દિવસનો અથવા વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીનો સારવારનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે.
ગડકરીએ કહ્યું કે કેશલેસ ટ્રીટમેન્ટ કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી હતી અને હવે તેમાં રહેલી તમામ ખામીઓને સુધારીને ફરીથી લાગુ કરવામાં આવી રહી છે. તેનાથી પીડિતો અને તેમના પરિવારજનોને ફાયદો થશે. નીતિન ગડકરીએ કહ્યું કે જો કોઈ હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ પામે છે તો સરકાર 2 લાખ રૂપિયા આપશે. ગડકરી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરિવહન પ્રધાનો, સચિવો અને કમિશનરોની બે દિવસીય પરિષદ પછી પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આ પરિષદમાં પ્રથમ પ્રાથમિકતા માર્ગ સુરક્ષા પર હતી. તેમણે કહ્યું કે સ્કૂલ ઓટોરિક્ષા અને મિની બસો માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે કારણ કે આ મોટી સંખ્યામાં મૃત્યુનું કારણ બને છે.
હેલ્મેટ ન પહેરવાના કારણે 30 હજાર લોકોના મોત થયા છે
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વર્ષ 2024માં માર્ગ અકસ્માતમાં 1.80 હજાર લોકોના મોત થયા છે. આ સિવાય હેલ્મેટ ન પહેરવાના કારણે 30 હજાર લોકોના મોત થયા છે. તેમાંથી 66% 18 થી 34 વર્ષની વય જૂથના છે.
#WATCH | CORRECTION | Union Minister of Road Transport & Highways, Nitin Gadkari says "In the meeting, the first priority was for road safety - 1.80 lakh deaths have occurred in 2024. 30,000* people died because of not wearing a helmet. The second serious thing is that 66%* of… pic.twitter.com/Xsh1Q04VXn
— ANI (@ANI) January 8, 2025
ગડકરીએ કહ્યું કે શાળાઓમાં બહાર નીકળવાના અને પ્રવેશના સ્થળોની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે 10 હજાર બાળકોના મોત થયા છે. ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવું અને સિગ્નલનું પાલન ન કરવું જેવા રસ્તાના નિયમોના કારણે પણ લોકોએ જીવ ગુમાવ્યા છે.
આ પણ વાંચોઃ- Budget 2025: બજેટ 2025માં સોના ચાંદી પર ટેક્સ ઘટશે! ઘરમાં કેટલું સોનું રાખી શકાય? મહિલા અને પુરુષ માટે અલગ નિયમ
ગડકરીએ કહ્યું કે સરકાર ઈ-રિક્ષા માટે સેફ્ટી સ્ટાર રેટિંગ રજૂ કરવાની પણ યોજના બનાવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે કમર્શિયલ વાહનો, ખાસ કરીને ભારે વાહનોને સંડોવતા અકસ્માતોને રોકવા માટે જો ડ્રાઈવર ઊંઘી જાય તો સરકાર ઈમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ અને ઓડિયો-અલર્ટ મિકેનિઝમ પર કામ કરશે. ટ્રક અને બસોને પણ આ લાગુ પડશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us