/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/BSNL-MTNL.jpg)
બીએસએનએલ અને એમટીએનએલ
Now will BSNL also run MTNL : કેન્દ્ર સરકાર જાહેર ક્ષેત્રની ટેલિકોમ ઓપરેટર MTNL ને BSNL સાથે મર્જ કરવાને બદલે બીએસએનએલને સોંપવાનું વિચારી રહી છે. એમટીએનએલ અને બીએસએનએલ બંને આર્થિક રીતે નબળા છે. તાજેતરમાં બંને કંપનીઓને લગભગ બે વર્ષ પહેલા બેલઆઉટ પણ મળ્યું હતું. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, સરકાર મર્જરને બદલે MTNL નું સંચાલન BSNL ને સોંપવા પર વિચાર કરી રહી છે.
સરકાર આ કરી શકે છે કારણ કે મર્જરમાં MTNL નું ડી-લિસ્ટિંગ સામેલ હશે, જેનો અર્થ છે કે, સરકારે ચોક્કસ સંખ્યામાં શેર બાયબેક કરવા પડશે.
MTNL ની નાણાકીય સ્થિતિ કેવી છે?
MTNL એ નાણાકીય વર્ષ 2023-24 માં ₹3,303 કરોડની વ્યાપક ખોટ નોંધાવી હતી, જે અગાઉના વર્ષ દરમિયાન ₹2,911 કરોડની હતી. કંપનીની આવક ગયા વર્ષના રૂ. 862 કરોડથી 15% ઘટીને રૂ. 728 કરોડ થઈ છે.
જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં, રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ જેવા ખાનગી ટેલિકોમ ઓપરેટરોના ગ્રાહક આધારમાં વધારો થયો છે. ત્યારે એમટીએનએલના ગ્રાહક આધાર જાન્યુઆરી-માર્ચ 2023માં આશરે 4.66 મિલિયન યુઝર્સથી ઘટીને આ વર્ષે 4.1 મિલિયન યુઝર્સ થયા છે. MTNL માત્ર દિલ્હી અને મુંબઈમાં સેવાઓ પ્રદાન કરે છે, પરંતુ BSNL દિલ્હી અને મુંબઈ સિવાય સમગ્ર ભારતમાં સેવાઓ પ્રદાન કરે છે.
અગાઉ મોદી કેબિનેટે મર્જરને મંજૂરી આપી હતી
અગાઉ 2019 માં, કેન્દ્રીય કેબિનેટે MNTL ને BSNL સાથે મર્જ કરવાની મંજૂરી આપી હતી. તત્કાલીન કેન્દ્રીય ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, MTNL, BSNL ન તો બંધ થઈ રહ્યા છે અને ન તો તેનું વિનિવેશ કરવામાં આવી રહ્યું છે.
આ સિવાય કેબિનેટે ખોટમાં ચાલી રહેલી બે ટેલિકોમ કંપનીઓ MNTL અને BSNL માટે રૂ. 29,937 કરોડના રિવાઇવલ પેકેજને પણ મંજૂરી આપી હતી. આ પેકેજમાં આગામી ચાર વર્ષમાં રૂ. 15,000 કરોડના સોવરિન બોન્ડ એકત્ર કરવા અને રૂ. 38,000 કરોડની સંપત્તિનું મુદ્રીકરણ સામેલ છે. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, કર્મચારીઓને ખર્ચ ઘટાડવા માટે આકર્ષક સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (VRS) ઓફર કરવામાં આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us