Operation Sindoor: ઓપરેશન સિંદૂર એક વિશ્વસનીય ઓર્કેસ્ટ્રા – આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી એ કહ્યું, દરેક મ્યુઝિશિયને ભૂમિકા ભજવી

Indian Army Chief Upendra Dwivedi : સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે, સૈન્ય કાર્યવાહીમાં પરિસ્થિતિ બદલાતી વખતે પરિવર્તનની અપેક્ષા રાખવી દુરદ્રષ્ટિ વિચારસરણી હોય છે.

Written by Ajay Saroya
November 23, 2025 08:02 IST
Operation Sindoor: ઓપરેશન સિંદૂર એક વિશ્વસનીય ઓર્કેસ્ટ્રા – આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી એ કહ્યું, દરેક મ્યુઝિશિયને ભૂમિકા ભજવી
Upendra Dwivedi : ઉપેન્દ્ર દ્વિવેદી ભારતીય સેના પ્રમુખ (Photo: Facebook)

Operation Sindoor News : સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શનિવારે કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર એક વિશ્વસનીય ઓર્કેસ્ટ્રા છે, જેમાં દરેક સંગીતકારે (સશસ્ત્ર દળોની બાજુએ) સચોટ અને સંકલન સાથે ભૂમિકા ભજવી અને તેથી જ ભારતીય સશસ્ત્ર દળો માત્ર 22 મિનિટમાં નવ આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી શક્યા છે.

દિલ્હીમાં એક મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના દીક્ષાંત સમારોહમાં સંબોધન કરતા તેમણે કહ્યું કે સૈન્ય કાર્યવાહીમાં, પરિસ્થિતિ બદલાતી વખતે પરિવર્તનની અપેક્ષા રાખવા માટે દુરદ્રષ્ટિva અભિગમ હોય છે. તે એક જવાબ હતો જે તે ક્ષણે નહીં પરંતુ બુદ્ધિ, ચોકસાઈ અને ટેકનોલોજી કેવી રીતે એક્શનમાં ફેરવાઈ શકે છે તે વિશે વર્ષોના વિચાર પછી કરવામાં આવ્યો હતો.

બજારો બદલાતા રહેશે: આર્મી ચીફ

સેના પ્રમુખે કહ્યું કે, આ રીતે અમે 22 મિનિટમાં નવ આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં સફળ રહ્યા અને 80 કલાકમાં લડાઈ સમાપ્ત થઈ ગઈ. પરંતુ વધુ મહત્વની વાત એ છે કે જો અમને આખી ટીમ પર વિશ્વાસ ન હોત તો નિર્ણય લેવાનો સમય જ ન મળતો. જનરલ દ્વિવેદીએ તેમના સંબોધનમાં વિદ્યાર્થીઓને કહ્યું, “તેથી આજે જ્યારે તમે આગળ વધશો, યાદ રાખો કે વિશ્વ ક્યારેય સ્થિર નહીં રહે, બજારો બદલાતા રહેશે, ટેક્નોલોજી વિકસિત થતી રહેશે અને તમારી પોતાની મહત્વાકાંક્ષાઓ પણ બદલાશે.” તેમ છતાં, આ બધાની વચ્ચે તમારી સૌથી મોટી તાકાત રહેલી છે – શીખવાની હિંમત, પરિવર્તન કરવાની ક્ષમતા અને હેતુ સાથે નેતૃત્વ કરવાનું વલણ. પરિવર્તન એ નથી કે આપણી સાથે શું થાય છે, પરંતુ આપણે તેના દ્વારા શું બનવાનું પસંદ કરીએ છીએ. ’’

6 C નું ઉદાહરણ

“આજે, વિશ્વભરમાં 55 થી વધુ સંઘર્ષો ચાલી રહ્યા છે. આમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે 100 થી વધુ દેશોનો સમાવેશ થાય છે, જેથી શાંતિ અને સંઘર્ષ વચ્ચેની રેખા અસ્પષ્ટ થઈ રહી છે. સેના પ્રમુખે કહ્યું કે જેમ જેમ યુદ્ધના મેદાનો ઝાંખા પડ્યા તેમ તેમ બજારો પણ ઝાંખા થઈ ગયા છે. તેમણે કહ્યું કે આજે વ્યાકરણ પુસ્તકના છ પ્રકરણો પરંપરાગત રેન અને માર્ટિનના અંગ્રેજી વ્યાકરણ પુસ્તકથી અલગ છે.

તેમણે કહ્યું કે તેમાં ” કોઓપરેશન (સહકાર), કોલેબોરેશન (સહયોગ), કો એક્સિસ્ટેસ (સહકર્મ), કોમ્પિટિશ (સ્પર્ધા), કોન્ટેસ્ટેશન (હરિફાઇ) અને કોન્ફિ્લક્ટ (સંઘર્ષ) શામેલ છે. “તેથી, આ ‘6 સી’ છે જે આપણે સાથે મળીને જાણવાની જરૂર છે. કારણ કે, અમારા વ્યૂહાત્મક વિનિમયમાં પણ, અમે ‘6 C’ સાથે વ્યવહાર કરીએ છીએ અને તમે ભવિષ્યમાં તેમની સાથે પણ વ્યવહાર કરશો. ’’

ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું

ભારતે 7 મે, 2025ની સવારે સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી અને પાકિસ્તાન અને પીઓકેમાં ઘણા આતંકવાદી ઠેકાંણાને નષ્ટ કરી દીધા હતા. આ કાર્યવાહી ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવી હતી. બંને દેશો વચ્ચે લગભગ 88 કલાક સુધી ચાલેલી સૈન્ય અથડામણ 10 મેની સાંજે સમજૂતી થયા બાદ અટકી ગઈ હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ