પાકિસ્તાનીઓને શોધી-શોધીને બહાર કાઢો, અમિત શાહે બધા રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી

Pahalgam Latest News : પાકિસ્તાનીઓ ઘણા રાજ્યોમાં ગેરકાયદેસર રીતે રહે છે, તેથી હવે તેમની ઓળખ કરીને તેમને બહાર કરવામાં આવશે

Pahalgam Latest News : પાકિસ્તાનીઓ ઘણા રાજ્યોમાં ગેરકાયદેસર રીતે રહે છે, તેથી હવે તેમની ઓળખ કરીને તેમને બહાર કરવામાં આવશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Union Minister Amit Shah, Amit Shah

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (તસવીર: Gujarat BJP)

Pahalgam Latest News : ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે, તેમના તરફથી સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે તમામ પાકિસ્તાનીઓની શોધ કરીને તેમને હાંકી કાઢવામાં આવે, તેમના વિઝા રદ કરવામાં આવે. પહેલગામ હુમલા બાદ આ પહેલી વાર છે જ્યારે અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગૃહમંત્રીએ પહેલા તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી, ત્યારબાદ જ રાજ્યોના મુખ્યમંત્રીઓને આ સૂચનાઓ આપવામાં આવી હતી.

Advertisment

શું છે અમિત શાહના નિર્ણયનો અર્થ?

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે બુધવારે સીસીએસની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે પાકિસ્તાનીઓના વિઝા રદ કરવામાં આવશે. હવે આ કડીમાં ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને આવું કરવાની સૂચના આપી છે. અહીં સમજવા જેવી વાત એ છે કે પાકિસ્તાનીઓ ઘણા રાજ્યોમાં ગેરકાયદેસર રીતે રહે છે, તેથી હવે તેમની ઓળખ કરીને તેમને બહાર કરવામાં આવશે.

કાશ્મીર પ્રવાસ પર આર્મી ચીફ

બીજી તરફ આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી પણ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવ્યા છે. તેમણે તપાસ એજન્સીઓ પાસેથી જરૂરી ઇનપુટ પણ લીધા છે, જેના આધારે આગળની રણનીતિ બનાવવામાં આવનાર છે. હવે આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ સંકેત આપી રહી છે કે સરકાર કોઈ મોટું પગલું ભરવા જઈ રહી છે. આમ જોવા જઈએ તો આ વાતનો અંદાજો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક નિવેદનથી પણ લગાવી શકાય છે. બિહારની ધરતી પરથી તેમણે ખુલ્લેઆમ આતંકીઓને પડકાર આપવાનું કામ કર્યું છે.

આ પણ વાંચો - ભારતે સિંધુ જળ સમજુતી અટકાવી, શું છે આ સંધિ અને કેવી રીતે પાણી માટે તરસશે પાકિસ્તાન

Advertisment

આતંકીઓને પીએમ મોદીનો ખુલ્લો પડકાર

પીએમ મોદીએ બિહારના મધુબનીની એક સભામાં કહ્યું હતું કે આતંકીઓને તેમની કલ્પનાથી પણ વધુ આકરી સજા આપવામાં આવશે, દરેક આતંકીને શોધીને સજા આપવામાં આવશે. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ હુમલો માત્ર તે પ્રવાસીઓ પર જ નથી થયો, ભારતની આત્માને ઠેસ પહોંચી છે. અમે આતંકવાદીની બચેલી જમીનનો પણ સફાયો કરીશું. આતંકીઓની ઓળખ કરીને તેમને મારવામાં આવશે. મોટી વાત એ છે કે પીએમ મોદીએ અંગ્રેજીમાં પણ વાત કરી હતી. તેમણે આખી દુનિયાને આ રીતે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ભારત ઝૂકવાનું નથી, ભારત આતંકવાદ પર કડક વલણ અપનાવવા જઈ રહ્યું છે.

આતંકી હુમલો પહલગામ આતંકવાદી જમ્મુ અને કાશ્મીર અમિત શાહ