/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/pahalgam-terror-attack-search.jpg)
Pahalgam terror attack: પહલગામ આતંકી હુમલા બાદ સુરક્ષા અને સર્ચ ઓપરેશન (ફાઇલ ફોટો)
Pahalgam Terrorist Attack news: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બૈસરન ખીણના ઘાસ વિસ્તારમાં વેકેશનની મજા માણી રહેલા પર્યટકો પર બેફામ ગોળીબારી કરી મોતને ઘાટ ઉતારવાની આતંકી ઘટનામાં વિદેશી આતંકવાદીઓ હોવાનું સામે આવી રહ્યું છે. જોકે બીજી તરફ આ હુમલામાં અમારે કોઇ લેવાદેવી નથી એવો પાકિસ્તાન દાવો કરી રહ્યું છે.
પહેલગામ આતંકી હુમલો થયા બાદ સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. જેમાં પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે, આ હુમલામાં ઓછામાં ઓછા બે સ્થાનિક અને 4થી5 વિદેશી આતંકવાદીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રત્યક્ષદર્શીઓના અહેવાલો અને ગુપ્તચર અહેવાલો સૂચવે છે કે ઓછામાં ઓછા બે હુમલાખોરો સ્થાનિક આતંકવાદીઓ હોવાની શંકા છે. તેમણે જણાવ્યું હતું કે તેમની ઓળખ હજુ સુધી નિશ્ચિત રીતે સ્થાપિત થઈ નથી.
ધ ઈન્ડિયન એક્સપ્રેસને જાણવા મળ્યું છે કે મંગળવારે પહેલગામ સ્થિત બૈસરન ખીણના ઘાસના મેદાનમાં પ્રવાસીઓ પર ગોળીબાર કરાયો હતો. જેમાં કથિત પાકિસ્તાની ચાર-પાંચ આતંકવાદીઓ હોવાની આશંકા છે.
સુરક્ષા સંસ્થાના એક અધિકારીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, તેઓ જે ઉર્દૂ બોલતા હતા તે પાકિસ્તાનના અમુક ભાગોમાં બોલાય છે. તેમની સાથે ઓછામાં ઓછા બે સ્થાનિક આતંકવાદીઓ હોવાની પણ શંકા છે પરંતુ અમને હજુ સુધી ખબર નથી કે તેઓ કાશ્મીરના કયા ભાગથી આવ્યા હતા.
#WATCH | Baramulla, J&K | Brigadier Mayank Shukla, Commander of 161 Infantry Brigade, says, "Last night we carried out a counter-infiltration operation. For the last few days, our security forces were continuously getting information about the movement of Pakistani terrorists in… pic.twitter.com/dCnU2tCj5n
— ANI (@ANI) April 23, 2025
પાકિસ્તાને વગાડી જુની કેસેટ... હુમલામાં અમારે કોઇ લેવા દેવા નથી
અધિકારીઓએ ઓછામાં ઓછા આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે અને તેમના વિશે કોઈપણ માહિતી આપનારને 20 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. બધા હુમલાખોરો પીર પંજાલ રેન્જના ઊંચા વિસ્તારોમાં ભાગી ગયા હોવાનું માનવામાં આવે છે. તેમને ઝડપી લેવા સેના, કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે હુમલાખોરો પાસે બોડી કેમેરા હોવાની પણ આશંકા છે.
અધિકારીએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં જમ્મુમાં થયેલા તમામ હુમલાઓ બોડી અથવા ગન માઉન્ટેડ કેમેરા દ્વારા શૂટ કરવામાં આવ્યા છે. આ વીડિયોનો ઉપયોગ પ્રચાર હેતુ માટે કરવામાં આવે છે. લશ્કર-એ-તૈયબા (લશ્કર-એ-તૈયબા) પહેલાથી જ ફૂટેજનો ઉપયોગ કરીને પ્રચાર સામગ્રી સાથે બહાર આવી ચૂક્યું છે.
પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા મૃતકોની યાદી જુઓ
આ હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બૈસરન ઘાસના મેદાનની મુલાકાત લીધી અને હુમલો કેવી રીતે થયો તેની સમીક્ષા કરી હતી. તેઓ શ્રીનગરમાં પોલીસ, ગુપ્તચર બ્યુરો અને સેનાના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા સમીક્ષા બેઠકો કરી રહ્યા છે. તેઓ બુધવારે હુમલાના પીડિતોને પણ મળ્યા હતા.
પહેલગામને રક્તરંજીત કરનાર આતંકી સંગઠન TRF શું છે? વધુ વાંચો
હુમલાખોરો કાશ્મીરમાં કેવી રીતે પ્રવેશ્યા અને તેઓ કેટલા સમયથી ખીણમાં છે તે હજુ સુધી જાણી શકાયું નથી. આ મુદ્દે અધિકારીએ જણાવ્યું કે, સરહદ પર હાલની નબળાઈઓ પર આધારિત કેટલાક સંકેતો છે અને કેટલાક ઇનપુટ પ્રાપ્ત થયા છે પરંતુ કંઈ પુષ્ટિ થયેલ નથી. એજન્સીઓ વિગતો ચકાસી રહી છે અને ઘૂસણખોરીના સંકેતો માટે સરહદની તપાસ કરવામાં આવી રહી છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us