પાકિસ્તાની સેનાનો દાવો- હાઇજેક કરાયેલી ટ્રેનમાંથી 104 બંધકોને છોડાવાયા, 30 જવાનોના મોતના સમાચાર

Pakistan train hijack latest updates : બલૂચ લિબરેશન આર્મી (BLA) એ આ હુમલાની જવાબદારી લીધી છે. સંગઠને દાવો કર્યો છે કે તેણે 214 મુસાફરોને બંધક બનાવ્યા છે અને 30 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા છે.

Pakistan train hijack latest updates : બલૂચ લિબરેશન આર્મી (BLA) એ આ હુમલાની જવાબદારી લીધી છે. સંગઠને દાવો કર્યો છે કે તેણે 214 મુસાફરોને બંધક બનાવ્યા છે અને 30 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
pakistan train, train

પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મીએ ટ્રેન હાઇજેક કરી છે (Source: Wikimedia Commons/ Representational)

Pakistan train hijack latest updates : પાકિસ્તાન ટ્રેન એટેકઃ મંગળવારે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરવામાં આવી હતી. જેમાં 500 જેટલા લોકો સવાર હતા. બલૂચ લિબરેશન આર્મી (BLA) એ આ હુમલાની જવાબદારી લીધી છે. સંગઠને દાવો કર્યો છે કે તેણે 214 મુસાફરોને બંધક બનાવ્યા છે અને 30 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા છે. જો સુરક્ષા દળો પીછેહઠ નહીં કરે તો તમામ બંધકોને મારી નાખવાની ધમકી પણ જૂથે આપી છે. તે જ સમયે, સુરક્ષા દળોએ ઓછામાં ઓછા 16 આતંકવાદીઓને ઠાર કર્યા છે અને 104 મુસાફરોને બચાવ્યા છે.

Advertisment

આતંકવાદી જૂથે તેની માંગણીઓમાં કહ્યું છે કે બલૂચ રાજકીય કેદીઓ અને રાષ્ટ્રીય પ્રતિકાર કાર્યકરોને બિનશરતી મુક્ત કરવામાં આવે. બદલામાં, તેઓ બંધકોને છોડવા માટે તૈયાર છે અને આ માટે તેઓએ 48 કલાકની સમય મર્યાદા નક્કી કરી છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં 16 આતંકવાદીઓને ઠાર કર્યા છે.

જાફર એક્સપ્રેસ ક્વેટા જતી વખતે હુમલાનો શિકાર બની હતી. ટનલ નંબર 8 પાસે ટ્રેનને આતંકવાદીઓએ ઘેરી લીધી હતી અને ત્યાર બાદ ટ્રેનના મુસાફરો સાથે સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. આતંકવાદીઓએ એવો દાવો કર્યો હતો કે તેઓ દૂરના સ્થળે પાટા પરથી ઉતરીને ટ્રેનને કબજે કરી લીધી હતી. જો કે, બલૂચ સત્તાવાળાઓ અથવા રેલવેએ હજુ સુધી કોઈ જાનહાનિ અથવા બંધકોની સ્થિતિની પુષ્ટિ કરી નથી.

સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરવા માટે મોટાપાયે ઓપરેશન શરૂ કર્યું છે. ભારે ગોળીબાર અને હવાઈ હુમલા થઈ રહ્યા છે. આતંકવાદી જૂથનું કહેવું છે કે તેણે સેનાના ગ્રાઉન્ડ ઓપરેશનને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધું છે અને સેનાને પીછેહઠ કરવા મજબૂર કરી દીધી છે. BLA નેતાઓનું કહેવું છે કે અમે જાફર એક્સપ્રેસને સંપૂર્ણપણે કબજે કરી લીધી છે અને સેનાનું ગ્રાઉન્ડ ઓપરેશન ખતમ કરી દીધું છે. જોકે, પાકિસ્તાનના હેલિકોપ્ટર અને ડ્રોન દ્વારા બોમ્બમારો હજુ પણ ચાલુ છે.

Advertisment

મદદ કરવાના પ્રયત્નો ચાલુ રહેશે

રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રેનના 450 મુસાફરો અને સ્ટાફ હજુ પણ સંપર્કમાં નથી આવ્યા અને હુમલામાં ઘણા મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પાકિસ્તાન સેનાએ રાહત ટ્રેન મોકલી છે, જેમાં સૈનિકો અને ડૉક્ટરોની ટીમ પણ છે. એમ્બ્યુલન્સ પણ મોકલવામાં આવી છે, પરંતુ પહાડી અને કાંટાવાળા વિસ્તારોને કારણે રાહત કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

બલૂચ વિરોધી આંદોલનની ચેતવણી

બલૂચ લિબરેશન આર્મીએ ચેતવણી આપી છે કે જો પાકિસ્તાની સુરક્ષા દળો કોઈપણ સૈન્ય કાર્યવાહી શરૂ કરશે તો તેના પરિણામો ગંભીર હશે. તેમનું કહેવું છે કે તમામ બંધકોને મારી નાખવામાં આવશે અને આ માટે માત્ર પાકિસ્તાની સેના જ જવાબદાર રહેશે.

પાકિસ્તાન સરકારે શું કહ્યું?

પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ આ હુમલાની સખત નિંદા કરી છે અને કહ્યું છે કે નિર્દોષ મુસાફરો પર ગોળીબાર કરનારાઓ સાથે સરકાર કોઈ સમજૂતી નહીં કરે. બલૂચિસ્તાન સરકારે કટોકટીના પગલાં લાગુ કર્યા છે અને પરિસ્થિતિનો સામનો કરવા માટે તમામ સંસ્થાઓને સક્રિય કરી છે.

બલૂચ લિબરેશન આર્મી શું ઈચ્છે છે?

બલૂચની પહેલી અને મુખ્ય માંગ એ છે કે બલૂચિસ્તાનમાં કોઈ પાકિસ્તાની એજન્સી કે સુરક્ષા એજન્સીનો કોઈ પ્રતિનિધિ ન હોવો જોઈએ. આ સિવાય બલોચનું માનવું છે કે ચીન સાથે CPEC પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. પ્રોજેક્ટ દ્વારા તેમના ખનીજનું શોષણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ્સને કારણે મોટી સંખ્યામાં સમુદાયના લોકો વિસ્થાપિત થયા છે. ત્યારથી, બલૂચ લોકો ઘણા વર્ષોથી સતત આ પ્રોજેક્ટ્સને અહીંથી હટાવવાની માંગ કરી રહ્યા છે. BLA દ્વારા પાકિસ્તાન પર આ કોઈ નવો હુમલો નથી, BLA છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન પર આવા હુમલાઓ કરી રહી છે. ક્યારેક તે ચીની એન્જિનિયરોને નિશાન બનાવે છે તો ક્યારેક પાકિસ્તાની રાજદ્વારીઓને નિશાન બનાવે છે.

બલૂચિસ્તાનમાં કેમ છે અલગતાવાદ?

તે પાકિસ્તાની શાસનના દમન અને રાજકીય હાંસિયાનું પરિણામ છે કે બલૂચિસ્તાનમાં લોકો અલગતાવાદમાં વ્યસ્ત છે. તેના જવાબમાં, છેલ્લાં કેટલાંક વર્ષોમાં પાકિસ્તાની સેના સામે રાજકીય હિંસા ચલાવીને કેટલાય બલૂચ અલગતાવાદી જૂથો ઉભરી આવ્યા છે. બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (BLF) અને બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) સહિતના આ જૂથોનો ધ્યેય બલૂચિસ્તાન માટે વધુ સંપૂર્ણ સ્વતંત્રતા હાંસલ કરવાનો છે.

બલૂચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ) એ સૌથી મોટું બલૂચ અલગતાવાદી જૂથ છે અને દાયકાઓથી બલૂચિસ્તાનની આઝાદીની માંગણી કરીને પાકિસ્તાન સરકાર સામે બળવો કરી રહ્યો છે. પાકિસ્તાન, અમેરિકા અને બ્રિટન જેવા દેશો BLAને "આતંકવાદી સંગઠન" માને છે. આ જૂથે બલૂચિસ્તાનમાં સુરક્ષા દળો, સરકારી ઈમારતો અને ચીની સેના અને તેના કામદારોને નિશાન બનાવીને અનેક હુમલા કર્યા છે.

આ પણ વાંચોઃ- 1948 થી આઝાદી માટે લડી રહ્યા છે બલૂચ લડવૈયાઓ, પાકિસ્તાન માટે બન્યા મોટી મુસીબત, માંગી રહ્યા છે અલગ દેશ?

તાજેતરના વર્ષોમાં અહીં ચીનનો પ્રભાવ વધ્યો હોવાથી, BLAએ હુમલા તેજ કર્યા છે. BLA અનેક આત્મઘાતી હુમલાઓ અને મોટા હુમલાઓ માટે પણ જવાબદાર છે. મજીદ બ્રિગેડ, જેને BLA ની આત્મઘાતી ટુકડી ગણવામાં આવે છે, તે ઘણા હાઈ-પ્રોફાઈલ હુમલાઓમાં સામેલ છે - જેમાં 2018માં કરાચીમાં ચીની દૂતાવાસ પર હુમલો અને 2019માં ગ્વાદરમાં એક વૈભવી હોટેલ પરનો હુમલો સામેલ છે.

પાકિસ્તાન વિશ્વ