Pakistan Turkey Relation: પાકિસ્તાન તુર્કી વચ્ચેના સંબંધો આટલા ગાઢ કેમ છે? 7 મુદ્દામાં સમજો સમગ્ર કહાણી

Pakistan Turkey Relation: તુર્કી પાકિસ્તાનના સમર્થક દેશ તરીકે ઉભરી આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાન જે ડ્રોન અને હથિયાર વડે ભારત પર હુમલા કરી રહ્યું છે તે તુર્કીએ આપ્યા છે.

Pakistan Turkey Relation: તુર્કી પાકિસ્તાનના સમર્થક દેશ તરીકે ઉભરી આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાન જે ડ્રોન અને હથિયાર વડે ભારત પર હુમલા કરી રહ્યું છે તે તુર્કીએ આપ્યા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Pakistan Turkey Relation | Pakistan | Turkey |

Pakistan Turkey Relation : પાકિસ્તાન તુર્કી સંબંધ.

Pakistan Turkey Relation: ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. સતત બે દિવસથી પાકિસ્તાન દ્વારા ભારત પર હુમલો કરવામાં આવી રહ્યો છે. ભારતના ઘણા શહેરોને નિશાન બનાવવામાં આવ્યા છે, ડ્રોન હુમલા દ્વારા નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ આ કાયરતાપૂર્ણ હુમલામાં પાકિસ્તાનને અન્ય મુસ્લિમ દેશનો સાથ મળ્યો છે. તુર્કી એક એવા દેશ તરીકે ઉભરી આવ્યો છે જે પાકિસ્તાનને ટેકો આપી રહ્યો છે, તે આતંકવાદને ટેકો આપી રહ્યો છે અને તેના દરેક નાપાક કામોને છુપાવી રહ્યો છે. ઘણા વર્ષોથી પાકિસ્તાન અને તુર્કી વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત રહ્યા છે, બંને વચ્ચે ડિપ્લોમેટિકથી લઈને ડિફેન્સ સેક્ટર સુધીના ઘણા કરારો છે.

Advertisment

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે અહીં તુર્કીની ભૂમિકાને સમજવી જરૂરી છે. 7 મુદ્દામાં, ચાલો આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે તુર્કી અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો શા માટે આટલા ખાસ છે.

  1. તુર્કીએ ઘણા મોરચે પાકિસ્તાનને પોતાનો ખુલ્લો ટેકો આપ્યો છે. પછી તે આર્થિક હોય, લશ્કરી હોય કે પછી તેની સાંપ્રદાયિક નેરેટિવને વેગ આપવો હોય, તુર્કીએ સારા મિત્રો બનવાના તમામ ધર્મો ભજવ્યા છે. પાકિસ્તાનનો જન્મ થયો છે તે બે રાષ્ટ્રના સિદ્ધાંતનું તુર્કી પણ સૌથી મોટું સમર્થક છે. પાકિસ્તાન કાશ્મીર પર જેટલું ઝેર ઓકે છે, તેટલું જ તુર્કી તેનું સમર્થન કરે છે. નવાઈની વાત એ છે કે પહેલગામમાં જ્યારે આતંકી હુમલો થયો હતો, તુર્કીના રાષ્ટ્રપતિ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફને મળવા પહોંચ્યા હતા. તેમને મળ્યા બાદ પાકિસ્તાનના પીએમે ખુલ્લેઆમ તુર્કીની પ્રશંસા કરી અને સમર્થન માટે તેમનો આભાર માન્યો હતો.
  2. પહેલગામ આતંકી હુમલા બાદ જ્યારે સમગ્ર દુનિયા ભારતની સાથે મજબૂતીથી ઉભી હતી, ત્યારે દરેક વ્યક્તિ આતંકવાદ સામે નારાજગી દર્શાવી રહ્યા હતા, ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તે સમયે તુર્કી દ્વારા પાકિસ્તાનને સૈન્ય સહાય પૂરી પાડવામાં આવી હતી.
  3. અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પહેલગામ આતંકી હુમલા બાદ અને જ્યારે ભારત સાથે પાકિસ્તાનનો તણાવ વધ્યો તો તુર્કીના 6 સૈન્ય વિમાન પાકિસ્તાન પહોંચી ગયા અને તે વિમાનો પાસે હથિયાર અને અન્ય સૈન્ય ઉપકરણ હતા. તે અલગ બાબત છે કે તુર્કીએ તે સમયે આ દાવાઓને નકારી કાઢ્યા હતા.
  4. પહેલગામ આતંકી હુમલા બાદ તુર્કીનું એક યુદ્ધ જહાજ પણ કરાચી પહોંચ્યું હતું, જેમાં તેણે અનેક સૈન્ય અભ્યાસમાં ભાગ લીધો હતો. તુર્કીએ તેને સામાન્ય પ્રક્રિયા ગણાવી તો પાકિસ્તાને તેને શિષ્ટાચાર સાથે જોડી દીધી.
  5. ભારતે જ્યારે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું, ત્યારે તુર્કી એ દેશોમાં સામેલ હતું જેણે પાકિસ્તાન પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી, ત્યારે તુર્કીના રાષ્ટ્રપતિએ પણ પીએમ શાહબાઝ શરીફ સાથે ફોન પર વાત કરી હતી. મોટી વાત એ હતી કે તુર્કીએ ત્યારે ભારતના ઓપરેશનને નાગરિક વિરોધી ગણાવ્યું હતું.
  6. પાકિસ્તાને જ્યારે પહેલીવાર ભારત પર ડ્રોન હુમલો કર્યો હતો ત્યારે વિદેશ મંત્રાલય દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી કે પાકિસ્તાને તુર્કીમાં બનેલા ડ્રોન દ્વારા આ કાર્યવાહી કરી હતી.
  7. તુર્કીએ ડ્રોન ઉપરાંત પાકિસ્તાનને પીએનએસ ખૈબર અને બાબર આપ્યા છે, ઉપરાંત પીએનએસ તારિક અને પીએનએસ બદર પણ સામેલ છે. આવા ઘણા હથિયારો પણ છે જે આગામી સમયમાં તુર્કીથી પાકિસ્તાનને સપ્લાય થવાના છે.

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે શું સાચી પડશે બાબા વાંગાની ભવિષ્યવાણી? 2025માં યુદ્ધની ચેતવણી

Advertisment
india ટ્રેન્ડિંગ ન્યૂઝ પાકિસ્તાન ભારત પાકિસ્તાન સંઘર્ષ વિશ્વ