Ikkis Story: પરમવીર ચક્ર અરુણ ખેત્રપાલની શૌર્ય ગાથા, જેમના પર બની ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ઇક્કીસ

Arun Khetarpal Story : ઇક્કીસ ફિલ્મ 1971ના ભારત-પાક યુદ્ધની વાર્તા પર આધારિત છે. આ ફિલ્મની કહાણી સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલની બહાદુરી અને બલિદાન પર કેન્દ્રિત છે.

Arun Khetarpal Story : ઇક્કીસ ફિલ્મ 1971ના ભારત-પાક યુદ્ધની વાર્તા પર આધારિત છે. આ ફિલ્મની કહાણી સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલની બહાદુરી અને બલિદાન પર કેન્દ્રિત છે.

author-image
Ajay Saroya
New Update
arun khetarpal | Param Vir Chakra Arun Khetarpal

Param Vir Chakra Arun Khetarpal : શહીદ અરુણ ખેત્રપાલને ભારત સરકારે મરણોપરાંત પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા. Photograph: (Jansatta)

Who Is Arun Khetarpal? : અગસ્ત્ય નંદાની ફિલ્મ '21: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલ' 2 જાન્યુઆરીએ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં અગસ્ત્ય નંદા ઉપરાંત પીઢ અભિનેતા ધર્મેન્દ્ર દેઓલ પણ છે. સૌથી ખાસ વાત એ છે કે આ ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ હતી. આ ફિલ્મનું દિગ્દર્શન શ્રીરામ રાઘવને કર્યું છે.

Advertisment

આ ફિલ્મ 1971ના ભારત-પાક યુદ્ધની કહાણી પર આધારિત છે, જેમાં સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલની બહાદુરી અને બલિદાન કેન્દ્રમાં છે. અરુણ ખેત્રપાલને સૌથી નાની ઉંમરે પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા. ચાલો જાણીયે તેમના જીવન અને શૌર્ય ગાથાની કહાણી.

સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલનો જન્મ 14 ઓક્ટોબર 1950ના રોજ મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો. દેશની સેવા તેમના લોહીમાં હતી. તેમનો આખો પરિવાર સેના સાથે જોડાયેલો રહ્યો, અનેક પેઢીઓએ દેશ માટે બલિદાન આપ્યું. તેમના પરદાદા શીખ ખાલસા સેનામાં હતા અને અંગ્રેજો સામે યુદ્ધ લડ્યા હતા. તેમના દાદાએ પ્રથમ વિશ્વયુદ્ધમાં તુર્કી સામે મોરચો સંભાળ્યો હતો, જ્યારે તેમના પિતા બ્રિગેડિયર એમ.એલ. ખેત્રપાલ બીજા વિશ્વયુદ્ધ અને 1965ના ભારત-પાક યુદ્ધમાં સામેલ હતા.

આવા વાતાવરણમાં ઉછરેલા અરુણ ખેત્રપાલ માટે આર્મીનો યુનિફોર્મ જ સર્વસ્વ હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ લોરેન્સ સ્કૂલમાંથી મેળવ્યું હતું. ત્યારબાદ તેઓ નેશનલ ડિફેન્સ એકેડમી (એનડીએ) ગયા અને ત્યારબાદ ઇન્ડિયન મિલિટરી એકેડમી (આઇએમએ)માં તાલીમ પૂર્ણ કરી. 13 જૂન 1971ના રોજ અરુણ ખેત્રપાલને 17 પુણે હોર્સ રેજિમેન્ટમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. કમિશનના છ મહિના પછી, 1971 નું ભારત-પાકિસ્તાન યુદ્ધ શરૂ થયું. તે સમયે અરુણ ખેત્રપાલની ઉંમર માત્ર 21 વર્ષની હતી, પરંતુ તેમની હિંમત તેમની ઉંમર કરતા ઘણી મોટી હતી.

Advertisment

1971ના યુદ્ધમાં તેમની ભૂમિકા બસંતપુરની લડાઈમાં જોવા મળી હતી. 15 ડિસેમ્બર 1971ના રોજ, પુણે હોર્સ રેજિમેન્ટને બસંત નદી પર પુલ બનાવવાનો આદેશ મળ્યો. પરંતુ 16 ડિસેમ્બરે પાકિસ્તાને પોતાની આખી બખ્તરબંધ રેજિમેન્ટ સાથે મોટો હુમલો કર્યો હતો. પાકિસ્તાન પાસે મોટી સંખ્યામાં ટેન્કો હતી, જ્યારે ભારતીય સેના પ્રમાણમાં ઓછા સંસાધનો સાથે લડી રહી હતી.

પરિસ્થિતિઓ અત્યંત પડકારજનક હતી. આ દરમિયાન સ્ક્વોડ્રન કમાન્ડરે રેડિયો પર મદદ માંગી અને અરુણ ખેત્રપાલ તરત જ એક્શન મોડમાં આવી ગયા. તેઓ પોતાની ટુકડી સાથે આગળ વધ્યા અને પાકિસ્તાની હુમલાઓનો હિંમતભેર સામનો કર્યો. ચારે બાજુ ભારે ગોળીબાર થયો, પરંતુ અરુણ ખેત્રપાલે એક પછી એક દુશ્મનની ટેન્કોનો નાશ કરવાનું શરૂ કર્યું.

તે સમયે અરુણ ખેત્રપાલ સેન્ચુરિયન ટેન્ક 'ફામાગુસ્તા' પર સવારી કરી રહ્યા હતા. તેમણે જાતે જ 10 પાકિસ્તાની ટેન્કોનો નાશ કર્યો હતો. કેટલીક ટેન્કો સંપૂર્ણપણે નાશ પામી હતી, જ્યારે કેટલીક ભારતીય સેનાએ કબજે કરી લીધી હતી. એવું કહેવામાં આવે છે કે આ યુદ્ધ ભારતીય ઉપખંડની સૌથી ભયંકર ટેન્ક લડાઇઓમાંનું એક હતું. 

આ દરમિયાન એક પાકિસ્તાની શેલ બોમ્બ અરુણ ખેત્રપાલની ટેન્ક સાથે અથડાયો અને તે આગના ગોળામાં ફેરવાઈ ગયો હતો. ઉપરથી તેમને ટેન્ક છોડવાનો આદેશ આપવામાં આવ્યો, પરંતુ સામેથી તેમનો બુલંજ અવાજ આવ્યો- "ના સાહેબ, હું ટેન્ક છોડીશ નહીં." મારી બંદૂક હજી પણ કામ કરી રહી છે અને હું દુશ્મનને છોડવાનો નથી. ”

આ અરુણ ખેત્રપાલના છેલ્લા શબ્દો હતા. તેમણે છેલ્લા શ્વાસ સુધી લડતા લડતા દુશ્મનની ટેન્કનો નાશ કર્યો, પરંતુ જવાબી હુમલામાં તેઓ શહીદ થયા. માત્ર 21 વર્ષની ઉંમરે સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. તેમની અપ્રતિમ બહાદુરીનું પરિણામ હતું કે ભારતે બસંતપુરના યુદ્ધમાં પાકિસ્તાનને હરાવ્યું અને 1971ના યુદ્ધમાં ઐતિહાસિક વિજય હાંસલ કરી હતી. તેમની બહાદુરીને માન્યતા આપવા માટે ભારત સરકારે તેમને મરણોપરાંત પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા.

Indian army દેશ ધર્મેન્દ્ર