પીએમ મોદીનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું - દિલ્હીમાં કેટલાક પરિવારોએ મ્યૂઝિયમ બનાવીને રાખ્યા છે

PM Modi Lok Sabha Speech : પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીમાં કેટલાક પરિવારો છે જેમણે ફેમિલી મ્યુઝિયમ બનાવ્યા છે. અમે પીએમ મ્યુઝિયમ બનાવ્યું છે. અમે બંધારણને સર્વોચ્ચ રાખીએ છીએ અને ઝેરની રાજનીતિ કરતા નથી. અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીએ છીએ. એ દેશનું દુર્ભાગ્ય છે કે કેટલાક લોકો અર્બન નક્સલીઓની ભાષા બોલે છે

PM Modi Lok Sabha Speech : પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીમાં કેટલાક પરિવારો છે જેમણે ફેમિલી મ્યુઝિયમ બનાવ્યા છે. અમે પીએમ મ્યુઝિયમ બનાવ્યું છે. અમે બંધારણને સર્વોચ્ચ રાખીએ છીએ અને ઝેરની રાજનીતિ કરતા નથી. અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીએ છીએ. એ દેશનું દુર્ભાગ્ય છે કે કેટલાક લોકો અર્બન નક્સલીઓની ભાષા બોલે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
pm modi lok sabha, pm modi

લોકસભામાં પીએમ નરેન્દ્ર મોદી (તસવીર - સંસદ ટીવી)

PM Modi Lok Sabha Speech : પીએમ મોદી લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કેટલાક નેતાઓનું ધ્યાન તેમના ઘરના સ્ટાઇલિશ બાથરૂમ પર છે. અમારું ધ્યાન દરેક ઘરને નળનું પાણી પૂરું પાડવા પર છે. 12 કરોડ લોકોને નળ દ્વારા પાણી પૂરું પાડ્યું. અમારું ધ્યાન ગરીબો માટે ઘરો બનાવવા પર છે. જે લોકો ગરીબોની ઝૂંપડીઓમાં ફોટો સેશન કરાવે છે તેમને ગરીબોની વાત બોરિંગ જ લાગશે. સમસ્યાને ઓળખ કરી છૂટી ના શકીએ, સમસ્યાનું સમાધાન પણ કરવાનું હોય છે.

Advertisment

પીએમ મોદીનો પ્રહાર, કહ્યું - આ લોકો અર્બન નક્સલની ભાષા બોલનાર

પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીમાં કેટલાક પરિવારો છે જેમણે ફેમિલી મ્યુઝિયમ બનાવ્યા છે. અમે પીએમ મ્યુઝિયમ બનાવ્યું છે. અમે બંધારણને સર્વોચ્ચ રાખીએ છીએ અને ઝેરની રાજનીતિ કરતા નથી. અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીએ છીએ. એ દેશનું દુર્ભાગ્ય છે કે કેટલાક લોકો અર્બન નક્સલીઓની ભાષા બોલે છે. ઇન્ડિયન સ્ટેટ સામે લડાઇની ઘોષણા કરનારાઓ બંધારણની ભાવના કે દેશની એકતાને સમજી શકતા નથી.

બંધારણની ભાવનાનું સન્માન કર્યું - પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે જે લોકો બંધારણને ખિસ્સામાં લઈને ફરે છે તેમને ખબર નથી કે તમે મુસ્લિમ મહિલાઓ સાથે કેટલો અન્યાય કર્યો છે. અમે ત્રણ તલાક નાબૂદ કરીને તેમને સમાન અધિકારો આપવાનું કામ કર્યું છે અને બંધારણની ભાવનાનું સન્માન કર્યું છે. જ્યારે પણ NDA સરકાર રહી છે, ત્યારે અમે દેશને આગળ વધારવા માટે કામ કર્યું છે. જ્યારે આપણે એક અલગ મંત્રાલય બનાવીએ છીએ, ત્યારે આપણે તે પૂર્વોત્તર માટે બનાવીએ છીએ. એનડીએએ આદિવાસીઓ માટે એક અલગ મંત્રાલય બનાવ્યું હતું. સમાજના પીડિત અને વંચિત લોકોમાં એક શક્તિ રહેલી છે.

આ પણ વાંચો - રાહુલ ગાંધીએ અમેરિકા પ્રવાસ પર સવાલ ઉઠાવ્યો તો એસ જયશંકરે કહ્યું – તે દેશને પહોંચાડે છે નુકસાન

Advertisment
https://twitter.com/narendramodi/status/1886740269892297135

પીએમ મોદીએ કહ્યું કે ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિદેશ નીતિની પણ ચર્ચા થઇ હતી. કેટલાક લોકોને લાગે છે કે જો આપણે વિદેશ નીતિની ચર્ચા નહીં કરીએ તો આપણે મેચ્યોર નહીં લાગીએ. ભલે તેનાથી દેશને નુકસાન થાય. જો તમને ખરેખર રસ હોય તો ચોક્કસ એક પુસ્તક વાંચો. આ પુસ્તકમાં જોન એફ કેનેડી અને પંડિત નેહરુ વચ્ચેની વાતચીતનો વિગતવાર ઉલ્લેખ છે. જ્યારે દેશ પડકારોનો સામનો કરી રહ્યો હતો ત્યારે વિદેશ નીતિના નામે શું રમત ચાલી રહી હતી તે હવે આ પુસ્તક દ્વારા પ્રકાશમાં આવી રહ્યું છે.

સંસદ લોકસભા india રાહુલ ગાંધી દેશ PM Narendra Modi