/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/PM-modi-on-tarrif.jpg)
ટ્રમ્પ ટેરિફ પર પીએમ મોદીનો પ્રતિભાવ- photo-X @ANI
PM Modi on Trump Tariffs: અમેરિકા સાથે ટેરિફને લઈને ચાલી રહેલા 'વિવાદ' વચ્ચે, પીએમ નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લીધા વિના એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આપણા ખેડૂતોનું હિત અમારી ટોચની પ્રાથમિકતા છે, ભારત તેના ખેડૂતો, પશુપાલકો અને માછીમાર ભાઈ-બહેનો સાથે ક્યારેય સમાધાન કરશે નહીં.
પીએમ નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું, "હું જાણું છું, વ્યક્તિગત રીતે મારે ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે પરંતુ હું તેના માટે તૈયાર છું… ભારત આજે મારા દેશના ખેડૂતો માટે, મારા દેશના માછીમારો માટે, મારા દેશના પશુપાલકો માટે તૈયાર છે."
પીએમ નરેન્દ્ર મોદીનું નિવેદન કેમ મહત્વપૂર્ણ છે?
હાલમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદા પર વાટાઘાટો ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વેપાર સોદો હજુ સુધી અંતિમ સ્વરૂપ ન મળવાનું કારણ અમેરિકાની ભારતના કૃષિ અને ડેરી બજારમાં વધુ પ્રવેશની માંગ છે. મીડિયા અહેવાલો અનુસાર, અમેરિકા ઇચ્છે છે કે ભારત મકાઈ, સોયાબીન, સફરજન, બદામ અને ઇથેનોલ જેવા ઉત્પાદનો પર ટેરિફ ઘટાડે. આ સાથે, તે અમેરિકન ડેરી ઉત્પાદનોની ઍક્સેસ વધારવા માંગે છે.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi says, "For us, the interest of our farmers is our top priority. India will never compromise on the interests of farmers, fishermen and dairy farmers. I know personally, I will have to pay a heavy price for it, but I am ready for it.… pic.twitter.com/W7ZO2Zy6EE
— ANI (@ANI) August 7, 2025
નિશિકાંત દુબેએ કહ્યું- દુનિયાએ જાણવું જોઈએ કે ભારત એક છે
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા વધારાના ટેરિફ અંગે, ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે 140 કરોડ ભારતીયો પર ટેરિફ લાદ્યો છે. વિરોધી પક્ષો દ્વારા કરવામાં આવી રહેલા હુમલાઓ અંગે, તેમણે કહ્યું કે આપણે આપણા પીએમ નરેન્દ્ર મોદીની પાછળ ઊભા રહેવાની જરૂર છે જેથી ભારત મજબૂત રહે અને સમગ્ર વિશ્વને સંદેશ જાય કે ભારત ઓપરેશન સિંદૂરની જેમ એક છે.
આ પણ વાંચોઃ-US Tariffs on India: હજી માત્ર 8 કલાક થયા છે’, શું ભારત વિરુદ્ધ કડક વલણ અપનાવશે ડોનાલ્ડ ટ્રમ્પ?
અમેરિકા સાથે સંબંધો જાળવી રાખવા પડશે - અખિલેશ યાદવ
ટેરિફના મુદ્દા પર મીડિયા સાથે વાત કરતા, સપાના વડા અખિલેશ યાદવે કહ્યું કે અમેરિકા સાથે સંબંધો જાળવી રાખવા પડશે. અમેરિકા એક શક્તિશાળી દેશ છે, તેની સાથે આપણા પહેલાથી જ સંબંધો છે. આપણે તે સંબંધોને વધુ મજબૂત કેવી રીતે બનાવવા તે દિશામાં કામ કરવું જોઈએ. આપણે આપણા હિતો વિશે વિચારવું જોઈએ - પછી ભલે તે વેપારીઓના હોય કે ખેડૂતોના. આશા છે કે ભારત વિશ્વમાં સૌથી મજબૂત દેખાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us