PM Modi: બંધારણના તે 3 સંશોધન જેને પીએમ મોદીએ મિની સંવિધાન કહ્યું? ઈન્દિરા ગાંધી સાથે શું છે કનેક્શન?

PM Narendra Modi: રાજ્યસભામાં પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ 1977ની લોકસભા ચૂંટણીના સમયને યાદ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ત્યારબાદ મતદારોએ ભારતના બંધારણની રક્ષા કરવા અને લોકશાહીની પુનઃસ્થાપના માટે મતદાન કર્યું હતું.

Written by Ajay Saroya
Updated : July 03, 2024 23:37 IST
PM Modi: બંધારણના તે 3 સંશોધન જેને પીએમ મોદીએ મિની સંવિધાન કહ્યું? ઈન્દિરા ગાંધી સાથે શું છે કનેક્શન?
PM Narendra Modi: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Image: @PMOIndia)

PM Narendra Modi: પીએમ મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલતા બંધારણનો ઉલ્લેખ કરતા ફરી એકવાર કટોકટીનો ઉલ્લેખ કરીને કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. પીએમ મોદીએ કહ્યું કે, આ વખતે જો બંધારણની રક્ષા માટે ચૂંટણી થઈ તો દેશવાસીઓએ આપણને બંધારણની રક્ષા માટે યોગ્ય સમજ્યા છે. દેશવાસીઓને બંધારણની રક્ષા માટે આપણામાં વિશ્વાસ છે અને દેશવાસીઓએ આપણને બંધારણની રક્ષાનો જનાદેશ આપ્યો છે.

પીએમ મોદીએ આ સમય દરમિયાન ઇમરજન્સી સમયગાળાનો ઉલ્લેખ કરતા કહ્યું કે આપણે 1977ની ચૂંટણીઓને યાદ કરવી જોઇએ, જ્યારે લોકતંત્ર અને બંધારણ બચાવામાં આવ્યું હતું.

પીએમ મોદીએ કોને કહ્યું ‘મિની કોન્સ્ટિટ્યુશન’

રાજ્યસભામાં પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ 1977ની લોકસભા ચૂંટણીના સમયને યાદ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ત્યારબાદ મતદારોએ ભારતના બંધારણની રક્ષા કરવા અને લોકશાહીની પુનઃસ્થાપના માટે મતદાન કર્યું હતું. આજે બંધારણને બચાવવાની આ લડાઈમાં ભારતની જનતાની પહેલી પસંદ વર્તમાન સરકાર છે.

પીએમ મોદી એ કટોકટી દરમિયાન દેશ પર થયેલા અત્યાચારોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે 38મા, 39માં અને 42મા બંધારણીય સુધારાનો પણ ઉલ્લેખ કર્યો હતો તેમજ કટોકટી દરમિયાન સુધારા કરવામાં આવેલા અન્ય એક ડઝન જેટલા લેખોનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમે કહ્યું કે તે સમયે બંધારણની ભાવના સાથે છેડછાડ કરવામાં આવી હતી.

PM Narendra Modi Parliament Session, PM Narendra Modi, Parliament Session
પીએમ નરેન્દ્ર મોદી લોકસભામાં વિપક્ષના આરોપોનો જવાબ આપી રહ્યા છે (તસવીર – બીજેપી ટ્વિટર)

કયા સુધારા કરવામાં આવ્યા હતા?

ઈન્દિરા ગાંધીએ કટોકટી લાગુ થયા બાદ બંધારણમાં સૌથી પહેલા 38મો સુધારો કર્યો હતો. તેનો અમલ 22 જુલાઈ, 1975ના રોજ કરવામાં આવ્યો હતો. આ સુધારો ન્યાયતંત્ર પાસેથી કટોકટીની ન્યાયિક સમીક્ષાની શક્તિ છીનવી લેવા માટે લાવવામાં આવ્યો હતો.

39મું સંશોધન: બંધારણમાં 39મું સંશોધન કરવામાં આવ્યો હતો. જે તત્કાલીન ઈન્દિરા સરકારને મોટો ઝટકો આપ્યા બાદ લાવવામાં આવ્યો હતો. હકીકતમાં, અલ્હાબાદ હાઈકોર્ટે રાજ નારાયણ વિરુદ્ધ ઈન્દિરા ગાંધી કેસમાં (12 જૂન, 1975ના રોજ આપવામાં આવેલા) ચૂંટણીમાં ગેરરીતિના આધારે ઈન્દિરા ગાંધીની ચૂંટણીને રદબાતલ જાહેર કરી હતી. આ સિવાય તે છ વર્ષ સુધી ચૂંટણી લડી શકી નહોતી. જોકે, ગાંધીએ આ આદેશને પડકાર્યો હતો. આ પછી 10 ઓગસ્ટ, 1975ના રોજ સંસદમાં 39મો સુધારો પસાર કરવામાં આવ્યો હતો.

સંશોધનની એક કલમમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે વડાપ્રધાન અને લોકસભાના અધ્યક્ષની ચૂંટણી સાથે સંબંધિત વિવાદનો નિર્ણય સંસદ દ્વારા રચાયેલી સમિતિ જ લઈ શકે છે.

આ પણ વાંચો | મોદી 3.0માં ચીન સાથે નીતિ અને નિયતીમાં કેટલો ફેરફાર જોવા મળશે?

42મું સંશોધન: 42માં સંશોધનથી મૂળ બંધારણમાં પણ ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. મુખ્ય મુદ્દો એ હતો કે સંસદના નિર્ણયને કોર્ટમાં પડકારી શકાય નહીં અને સાંસદો અને ધારાસભ્યોના સભ્યપદને કોર્ટમાં પડકારી શકાય નહીં. આ સંશોધન હેઠળ સંસદની મુદત પણ પાંચથી ઘટાડીને છ વર્ષ કરવામાં આવી હતી. જો કે જનતા પાર્ટીની સરકારે તેને 44માં સુધારા દ્વારા હટાવી દીધો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ