પીએમ મોદી થયા ભાવુક, કહ્યું - આ ગાળો ફક્ત મારી માતાનું નહીં પરંતુ દરેક માતાનું અપમાન છે

PM Modi : પીએમ મોદીએ કહ્યું કે બિહારમાં આરજેડી-કોંગ્રેસના મંચ પરથી મારી માતાને અપશબ્દો કહેવામાં આવ્યા હતા. આ ગાળો માત્ર મારી માતાનું અપમાન નથી. આ દેશની માતા, બહેન અને પુત્રીનું અપમાન છે. મને ખબર છે કે તમને બધાને આ જોઇને અને સાંભળીને કેટલું ખરાબ લાગ્યું છે

PM Modi : પીએમ મોદીએ કહ્યું કે બિહારમાં આરજેડી-કોંગ્રેસના મંચ પરથી મારી માતાને અપશબ્દો કહેવામાં આવ્યા હતા. આ ગાળો માત્ર મારી માતાનું અપમાન નથી. આ દેશની માતા, બહેન અને પુત્રીનું અપમાન છે. મને ખબર છે કે તમને બધાને આ જોઇને અને સાંભળીને કેટલું ખરાબ લાગ્યું છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
PM Modi attack opposition

પીએમ નરેન્દ્ર મોદી (તસવીર - બીજેપી ટ્વિટર)

PM Modi : બિહારની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દરભંગામાં અપશબ્દો કહેવામાં આવ્યા હતા. હવે મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીએ આ મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે તેમની માતાને જે ગાળો આપવામાં આવી છે તે અસલમાં દેશની દરેક માતાનું અપમાન છે. આ બધુ બોલતા પીએમ મોદી પણ ઘણા ભાવુક થઈ ગયા, તેમની આંખો ભીની દેખાઈ હતી. પીએમ મોદીએ તો ત્યાં સુધી કહ્યું કે તેમની માતાએ તેમને ખૂબ ગરીબીમાં ઉછેર્યા છે, ઘણા બલિદાન આપ્યા છે.

Advertisment

હું બિહારની માતાઓ અને બહેનોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું - પીએમ મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી સરકાર માટે માતાની ગરિમા, તેમનું સન્માન, તેમનું સ્વાભિમાન ઘણી મોટી પ્રાથમિકતા છે. મા તો આપણો સંસાર હોય છે, મા આપણું સ્વાભિમાન હોય છે. આ પછી પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે મને એ જોઈને આનંદ થાય છે કે જીવિકા નિધિની સિસ્ટમ સંપૂર્ણપણે ડિજિટલ છે. હું બિહારની માતાઓ અને બહેનોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું અને આ અદ્ભુત પહેલ માટે હું નીતિશ કુમાર અને બિહારની એનડીએ સરકારને પણ ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

આ દેશની માતા, બહેન અને પુત્રીનું અપમાન છે - પીએમ મોદી

આ પછી અપશબ્દો વિવાદ પર પોતાનો વિચાર રાખતા પીએમ મોદીએ કહ્યું કે બિહારમાં થોડા દિવસો પહેલા જે બન્યું તેની મેં કલ્પના પણ કરી ન હતી. બિહારમાં આરજેડી-કોંગ્રેસના મંચ પરથી મારી માતાને અપશબ્દો કહેવામાં આવ્યા હતા. આ ગાળો માત્ર મારી માતાનું અપમાન નથી. આ દેશની માતા, બહેન અને પુત્રીનું અપમાન છે. મને ખબર છે કે તમને બધાને આ જોઇને અને સાંભળીને કેટલું ખરાબ લાગ્યું છે.

આ પણ વાંચો - પહેલા ટેરિફ હવે દોસ્તીની વાત, SCO સમિટમાં ભારતની કૂટનીતિ થી અમેરિકાનું વલણ બદલાયું ?

Advertisment

પીએમ મોદીએ આગળ કહ્યું કે હું જાણું છું કે જેટલી પીડા મારા દિલમાં તેટલી જ તકલીફ મારા બિહારના લોકોને પણ છે. એટલા માટે આજે જ્યારે હું આટલી મોટી સંખ્યામાં બિહારની લાખો માતાઓ-બહેનોના દર્શન કરી રહ્યો છું તો આજે મારું મન અને હું મારું દુઃખ તમારી સાથે શેર કરી રહ્યો છું. જેથી તમારા માતા-બહેનોના આશીર્વાદથી હું તે સહન કરી શકું.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ ઘટના સિમરી પોલીસ સ્ટેશન વિસ્તારના બિઠૌલી ચોક પર થઇ હતી. જ્યાં કોંગ્રેસ સાથે જોડાયેલા કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીને અપશબ્દો કહેવામાં આવ્યા હતા. આ વિવાદ બાદ આયોજક મોહમ્મદ નૌશાદે સ્પષ્ટતા કરી હતી કે આ અપમાનજનક ટિપ્પણી કોઈ બહારના વ્યક્તિએ કરી હતી

bihar નરેન્દ્ર મોદી દેશ congress ભાજપ PM Narendra Modi