સંદેશખાલીનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ કહ્યું – ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ મહિલાઓ પર થયેલા અત્યાચારો પર મૌન છે

PM Modi in Bengal : પીએમ મોદીએ કહ્યું - મા, માટી, માનુષના ઢોલ વગાડતી ટીએમસીએ સંદેશખાલીની બહેનો સાથે શું કર્યું છે તે જોઈને આખો દેશ દુ:ખી, ગુસ્સે છે

Written by Ashish Goyal
March 01, 2024 17:32 IST
સંદેશખાલીનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ કહ્યું – ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ મહિલાઓ પર થયેલા અત્યાચારો પર મૌન છે
પીએમ નરેન્દ્ર મોદી બંગાળના પ્રવાસે છે (Express photo by Partha Paul)

PM Modi in Bengal : વડા પ્રધાન નરેન્દ્ર મોદી બંગાળના પ્રવાસે છે. પીએમ મોદી એ શુક્રવારે સંદેશખાલીના તાજેતરના વિરોધ પ્રદર્શનો અંગે શાસક તૃણમૂલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે તે જોઈને શરમ અનુભવે છે કે વિપક્ષી ઇન્ડિયા જૂથના નેતાઓ આ વિસ્તારમાં મહિલાઓ પર થયેલા અત્યાચારો પર મૌન છે.

લોકસભાની ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળના આરામબાગમાં એક રેલીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે ટીએમસીએ વિસ્તારની બહેનો સાથે જે કર્યું છે તેનાથી સમગ્ર દેશ ગુસ્સામાં છે. સંદેશખાલીની ઘટનાઓ શરમજનક બાબત છે. લગભગ 2 મહિના સુધી મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી ન હતી.ગુરુવારે વહેલી સવારે ટીએમસી નેતા શાહજહાં શેખની ધરપકડ થયાના એક દિવસ બાદ પીએમ મોદીની આ ટિપ્પણી સામે આવી છે.

ટીએમસીએ પશ્ચિમ બંગાળમાં અત્યાચાર અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું – પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે ટીએમસીએ પશ્ચિમ બંગાળમાં અત્યાચાર અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું છે. મા, માટી, માનુષના ઢોલ વગાડતી ટીએમસીએ સંદેશખાલીની બહેનો સાથે શું કર્યું છે તે જોઈને આખો દેશ દુ:ખી, ગુસ્સે છે.

આ પણ વાંચો – Bengaluru Blast: બેંગલુરુમાં રામેશ્વરમ કેફેમાં પ્રચંડ વિસ્ફોટ, પાંચ લોકો ઇજાગ્રસ્ત

વડાપ્રધાન મોદીએ કહ્યું કે મમતા દીદી અને ટીએમસીના લોકોએ આરોપીઓને બચાવવા માટે જે પણ કરી શકાય તે કર્યું. ભાજપના લોકોએ મહિલાઓ માટે લાઠીઓ ખાધી હતી અને સહન કર્યું હતું અને આ દબાણ હેઠળ આરોપીઓની ધરપકડ કરવી પડી હતી. ટીએમસીના આ અપરાધી નેતા લગભગ બે મહિનાથી ફરાર હતા. ત્યાં કોઈ એવું હોવું જોઈએ જે તેમને બચાવતું રહ્યું. પીએમે ત્યાં હાજર લોકોને પૂછ્યું કે શું તમે આવી ટીએમસીને માફ કરશો?

સંદેશખાલીમાં સ્થાનિક રહેવાસીઓ શેરીઓમાં ઉતરી આવ્યા હતા

ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં સંદેશખાલીમાં સ્થાનિક રહેવાસીઓ શેરીઓમાં ઉતરી આવ્યા હતા, ઘરોમાં તોડફોડ કરી હતી અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો ત્યારે તેમની સામેનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો હતો. તે પછીના દિવસોમાં સંદેશખાલી રાજકીય કેન્દ્ર બની ગયું હતું કારણ કે વિરોધ પક્ષના નેતાઓ અહીં દોડી આવ્યા હતા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે મમતા બેનર્જીની આગેવાની હેઠળની સરકારની ટીકા કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ