પીએમ મોદીનો જોર્ડન પ્રવાસ કેમ છે મહત્વપૂર્ણ? આ મહત્વના મુદ્દા પર થશે ચર્ચા

PM Narendra Modi Jordan Visit : પીએમ નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસે રવાના થયા છે. પીએમ મોદી સોમવારે જોર્ડન પહોંચ્યા હતા. મધ્ય પૂર્વમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે જોર્ડનની આ તેમની પ્રથમ સંપૂર્ણ દ્વિપક્ષીય મુલાકાત છે. જોર્ડન ભારત માટે એક મહત્વપૂર્ણ વેપારી ભાગીદાર છે અને તાજેતરના વર્ષોમાં રાજકીય સંબંધો વધુ ગાઢ બન્યા છે

PM Narendra Modi Jordan Visit : પીએમ નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસે રવાના થયા છે. પીએમ મોદી સોમવારે જોર્ડન પહોંચ્યા હતા. મધ્ય પૂર્વમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે જોર્ડનની આ તેમની પ્રથમ સંપૂર્ણ દ્વિપક્ષીય મુલાકાત છે. જોર્ડન ભારત માટે એક મહત્વપૂર્ણ વેપારી ભાગીદાર છે અને તાજેતરના વર્ષોમાં રાજકીય સંબંધો વધુ ગાઢ બન્યા છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Narendra Modi Jordan visit

PM Narendra Modi Jordan Visit : પીએમ મોદી સોમવારે જોર્ડન પહોંચ્યા હતા (તસવીર - સોશિયલ મીડિયા)

PM Narendra Modi Jordan Visit : પીએમ નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસે રવાના થયા છે. પીએમ મોદી સોમવારે જોર્ડન પહોંચ્યા હતા. આ પછી વડા પ્રધાન ઇથોપિયા અને ઓમાનની પણ મુલાકાત લેશે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે જોર્ડનની આ તેમની પ્રથમ સંપૂર્ણ દ્વિપક્ષીય મુલાકાત છે. જોર્ડન ભારત માટે એક મહત્વપૂર્ણ વેપારી ભાગીદાર છે અને તાજેતરના વર્ષોમાં રાજકીય સંબંધો વધુ ગાઢ બન્યા છે. વડા પ્રધાન મોદી 15 અને 16 ડિસેમ્બરે જોર્ડનમાં હશે. આ સમય દરમિયાન, તેઓ કિંગ અબ્દુલ્લા II બિન અલ હુસૈનને મળશે, જે ઇઝરાયલ-પેલેસ્ટાઇન શાંતિ પ્રક્રિયામાં ભાગ લેનારાઓમાંથી એક છે.

Advertisment

કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે?

પશ્ચિમ એશિયામાં એક ઉદાર ઇસ્લામિક રાષ્ટ્ર તરીકે જોર્ડને પોતાને કટ્ટરપંથી, ઉગ્રવાદ અને આતંકવાદ સામે એક મજબૂત કિલ્લેબંધી તરીકે પોતાને સ્થાપિત કર્યું છે. દેશ પશ્ચિમ એશિયાની શાંતિ પ્રક્રિયામાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. ભારત અને જોર્ડન વૈશ્વિક પડકાર તરીકે આતંકવાદનો સામનો કરવા માટે એક સામાન્ય સ્થિતિ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. સૂત્રોએ કહ્યું કે ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર આતંકી હુમલોની ચર્ચા દરમિયાન ચોક્કસપણે વાત આવશે. ચર્ચાના એજન્ડામાં ગાઝા શાંતિ યોજના, ભારતની ખાદ્ય સુરક્ષાની જરૂરિયાતો અને રક્ષાનો પણ સમાવેશ થાય છે.

ભારત જોર્ડનનું ચોથું સૌથી મોટું વેપારીર ભાગીદાર છે. 2023-24માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 2.875 બિલિયન ડોલરનો હતો. ભારત આ દેશમાંથી મોટી માત્રામાં ખાતરની આયાત કરે છે, જે તેને ભારતની ખાદ્ય સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો મુખ્ય ભાગ બનાવે છે. તેણે ત્યાં પોટાશ અને ફોસ્ફેટ સેક્ટરમાં પણ રોકાણ કર્યું છે. ભારતની જરૂરિયાતોને સુરક્ષિત કરવા માટે આવા રોકાણોની વધુ સંભાવના છે.

જોર્ડન ઇન્ડિયા ફર્ટિલાઇઝર કંપની ઇફ્કો ઇન્ડિયા અને જોર્ડન ફોસ્ફેટ માઇન્સ કંપનીનું સંયુક્ત સાહસ છે. તેની સ્થાપના 860 મિલિયન ડોલરના રોકાણ સાથે કરવામાં આવી હતી અને તે ફોસ્ફોરિક એસિડનું ઉત્પાદન કરે છે અને ભારતમાં નિકાસ કરે છે. આ સંયુક્ત સાહસ ભારત માટે ફોસ્ફોરિક એસિડનો મુખ્ય સ્ત્રોત છે. રોકાણની દ્રષ્ટિએ 500 મિલિયન ડોલરના કુલ રોકાણ વાળા 15થી વધુ ટેક્સટાઇલ કંપનીઓ (એનઆરઆઈની માલિકી) ક્વોલિફાઇડ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં સ્થિત છે.

Advertisment

આ પણ વાંચો - ઉમર અબ્દુલ્લાએ કહ્યું – વોટ ચોરી કોંગ્રેસનો મુદ્દો છે, ઇન્ડિયા ગઠબંધનનો નહીં

ભારત અને જોર્ડને 2018માં રક્ષા સહયોગ અંગેના એમઓયુ ઉપર પણ હસ્તાક્ષર કર્યા હતા. જોર્ડન લગભગ 17,500 ભારતીયો રહે છે, જેમાંથી મોટાભાગના કાપડ, બાંધકામ અને ઉત્પાદન ક્ષેત્રોમાં અને સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય બહુપક્ષીય સંસ્થાઓમાં કામ કરે છે. આ વર્ષે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠ છે.

છેલ્લી બેઠક ક્યારે હતી?

પીએમ મોદી ફેબ્રુઆરી 2018માં પેલેસ્ટાઇન જતા જોર્ડનથી પસાર થયા હતા. પરંતુ રાજાએ તેમને વિશેષ સન્માન આપ્યું, જે તે ફક્ત એક ટ્રાંજિટ વિઝિટ કરતાં વધુ બની ગયું હતું. હાલની સંપૂર્ણ દ્વિપક્ષીય મુલાકાત 37 વર્ષના અંતરાલ પછી થઈ રહી છે. જોર્ડનના રાજાએ ફેબ્રુઆરી 2018માં પીએમ મોદીની મુલાકાત પછી તરત જ ફેબ્રુઆરી-માર્ચ 2018માં ભારતની મુલાકાત લીધી હતી.

ત્યારબાદથી બંને નેતાઓ અનેક પ્રસંગોએ મળ્યા છે. બંને નેતાઓ સપ્ટેમ્બર 2019માં ન્યૂયોર્કમાં 74મી યુએન જનરલ એસેમ્બલી અને ઓક્ટોબર 2019માં રિયાદમાં ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ, ડિસેમ્બર 2023માં દુબઈમાં COP28 ખાતે અને જૂન 2024માં ઇટાલીમાં G7 સમિટની સાથે સાથે મળ્યા હતા.

પહેલગામ આતંકી હુમલા બાદ જોર્ડનના રાજા વડા પ્રધાન સાથે વાત કરનારા પ્રથમ વિશ્વ નેતાઓમાં સામેલ હતા. 24 એપ્રિલ, 2025ના રોજ ફોન કોલ દરમિયાન તેમણે હુમલાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે આતંકવાદને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં નકારી કાઢવો જોઈએ. તેમણે આતંકવાદ સામેની ભારતની લડાઈમાં તેમના સમર્થનનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.

બંને નેતાઓએ ઓક્ટોબર 2023માં ગાઝાના વિકાસ પર ચર્ચા કરવા માટે ફોન પર પણ વાત કરી હતી અને આતંકવાદ, હિંસા અને નાગરિકોની જાનહાનિ અંગે તેમની સહિયારી ચિંતા વ્યક્ત કરી હતી.

india નરેન્દ્ર મોદી વિશ્વ PM Narendra Modi