Modi Ka Parivar: મોદી કા પરિવાર – સોશિયલ મીડિયા હેન્ડલ પરથી દૂર કરો, જાણો પીએમ મોદી એ કેમ કરી આવી અપીલ

PM Modi Ka Parivar: મોદી કા પરિવાર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ લોકોને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી મોદી કા પરિવાર ટેગ લાઇન દૂર કરવા અપીલ કરી છે. જાણો કેમ

Written by Ajay Saroya
June 11, 2024 22:08 IST
Modi Ka Parivar: મોદી કા પરિવાર – સોશિયલ મીડિયા હેન્ડલ પરથી દૂર કરો, જાણો પીએમ મોદી એ કેમ કરી આવી અપીલ
PM Narendra Modi: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Photo - PMOIndia)

PM Modi On Modi Ka Parivar: મોદી કા પરિવાર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થકોએ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલા વિવાદ બાદ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર ટેગ લાઈન મોદી કા પરિવાર નામમાં જોડી દીધી હતી. ત્રીજી વખત વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ પીએમ મોદીએ તમામ સમર્થકોનો આભાર માન્યો હતો અને હવે આ ટેગ લાઇન હટાવવાનો આગ્રહ પણ કર્યો હતો.

સોશિયલ મીડિયા હેન્ડલ પરથી મોદી કા પરિવાર દૂર કરો – પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં જણાવ્યું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન સમગ્ર ભારતભરના લોકોએ મારા પ્રત્યેના સ્નેહના પ્રતીક તરીકે તેમના સોશિયલ મીડિયા પર મોદી કા પરિવાર ટેગ લાઇન ઉમેરી હતી. તેણે મને ઘણી શક્તિ આપી. ભારતની જનતાએ એનડીએને સતત ત્રીજી ટર્મ માટે બહુમતી આપી છે, જે એક રેકોર્ડ છે અને અમને આપણા દેશના ઉત્કર્ષ માટે કામ કરતા રહેવાનો જનાદેશ આપ્યો છે.

PM Narendra Modi | PM modi at NDA meeting | PM modi speech
એનડીએ બેઠકમાં નરેન્દ્ર મોદીનું સંબોધન photo X @BJP4India

પીએમ મોદીએ કહ્યું કે, આપણે બધા એક પરિવાર છીએ, હું ફરી એકવાર ભારતના લોકોનો આભાર માનું છું અને વિનંતી કરું છું કે તમે મોદીના પરિવારને તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દૂર કરો. ડિસ્પ્લે નામ બદલાઇ શકે છે, પરંતુ ભારતની પ્રગતિ માટે પ્રયત્નશીલ એક પરિવાર તરીકેનું અમારું બંધન મજબૂત અને અતૂટ છે.

લાલુ યાદવે પીએમ મોદી વિશે શું કહ્યું?

પટનામાં જન વિશ્વાસ મહારેલીમાં આરજેડી પ્રમુખ લાલુ યાદવે કહ્યું કે, નરેન્દ્ર મોદી જ આજકાલ પરિવારવાદ પર હુમલો કરી રહ્યા છે. પહેલા તમારે એ જણાવવું જોઈએ કે તમારે શા માટે કોઈ બાળક અથવા કુટુંબ નથી. વધુ બાળકો ધરાવતા લોકો માટે પીએમ મોદી કહે છે કે આ વંશવાદની રાજનીતિ છે. તારે કોઈ કુટુંબ નથી. તમે હિંદુ પણ નથી. દરેક હિન્દુ તેની માતાના મૃત્યુ પર શોક વ્યક્ત કરવા માટે માથું મુંડાવે છે. તમે જવાબ આપો કે તમે તમારા વાળ અને દાઢી કેમ મુંડાવ્યા નથી કરી.

આ પણ વાંચો | મોદી સરકાર 3.0 ના મંત્રીઓ કેટલું ભણેલા છે, કોઈ 10 પાસ તો કોઇ પાસે છે પીએચડીની ડિગ્રી

પીએમ મોદીએ આપ્યો જવાબ

લાલુ પ્રસાદના નિવેદન પર પ્રતિક્રિયા આપતા પીએમ મોદી એ તેલંગાણાના અદિલાબાદમાં કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણમાં સંપૂર્ણપણે ડૂબેલા ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ ગભરાઈ ગયા છે. જ્યારે હું તેમના પરિવારવાદ પર સવાલ ઉઠાવું છું, ત્યારે તે બધા કહેવાનું શરૂ કરે છે કે મોદીનો કોઈ પરિવાર નથી. તેમણે કહ્યું કે મારું જીવન એક ખુલ્લી કિતાબ છે, દેશના 140 કરોડ લોકો મારો પરિવાર છે. આજે દેશની કરોડો દીકરીઓ, માતાઓ અને બહેનો મોદીનો પરિવાર છે. દેશનો દરેક ગરીબ મારો પરિવાર છે. જેમની પાસે કોઈ નથી તેઓ પણ મોદીના જ છે અને મોદી તેમના છે. તેઓ કહે છે કે અમે પણ મોદીનો પરિવાર છીએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ