/indian-express-gujarati/media/media_files/2026/02/13/pm-modi-new-pmo-seva-teerth-2026-02-13-18-15-15.jpg)
પીએમ મોદીએ નવા પીએમઓ સંકુલ સેવાતીર્થમાં મહિલાઓ, યુવાનો અને સંવેદનશીલ નાગરિકો માટે મહત્વપૂર્ણ નિર્ણયોની ફાઇલો પર હસ્તાક્ષર કર્યા Photograph: (@narendramodi)
Seva Teerth : પીએમ નરેન્દ્ર મોદીના કાર્યાલયનું સરનામું હવે બદલાઇ ગયું છે. હવે પીએમનું કાર્યાલય સેવા તીર્થમાં શિફ્ટ થયું છે. પીએમ મોદીએ નવા પીએમઓ સંકુલ સેવાતીર્થમાં મહિલાઓ, યુવાનો અને સંવેદનશીલ નાગરિકો માટે મહત્વપૂર્ણ નિર્ણયોની ફાઇલો પર હસ્તાક્ષર કર્યા હતા.
પ્રધાનમંત્રી મોદીએ નવા પીએમઓ પરિસર સેવા તીર્થમાં પીએમ રાહત યોજના, લખપતિ દીદીઓની સંખ્યા વધારીને છ કરોડ કરવાનો લક્ષ્યાંક સંબંધિત ફાઇલો પર હસ્તાક્ષર કર્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને બે લાખ કરોડ રૂપિયા કરવા સંબંધિત ફાઇલો ઉપર હસ્તાક્ષર કર્યા હતા.
પીએમ રાહત યોજના
તે દરેક નાગરિક માટે જીવનરક્ષક સુરક્ષા યોજના છે. પ્રધાનમંત્રીએ પીએમ રાહત યોજના શરૂ કરવાની મંજૂરી આપી છે. આ પહેલ હેઠળ દર્ઘટનાના પીડિતોને રોકડ ચુકવણી વિના સારવાર મળશે, જે 1.5 લાખ રૂપિયા સુધી મર્યાદિત રહેશે. આનો ફાયદો એ થશે કે અકસ્માતની સ્થિતિમાં સારવારના અભાવે કોઈનું મોત નહીં થાય.
લખપતિ દીદીનો ટાર્ગેટ ડબલ
સરકારે 3 કરોડ લખપતિ દીદીઓના સીમાચિહ્નને પાર કરી દીધું છે. આ માર્ચ 2027ની મૂળ સમયમર્યાદાના એક વર્ષ પહેલા થયું હતું. પ્રધાનમંત્રીએ હવે માર્ચ 2029 સુધીમાં 6 કરોડ લખપતિ દીદીઓનું નવું મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે, જે કદ અને મહત્વાકાંક્ષા બંનેમાં ડબલ છે.
આ પણ વાંચો - ભારત વિરોધી રહ્યો છે બીએનપીનો ઇતિહાસ, તારિક રહેમાનની માતાના શાસનમાં પૂર્વોત્તરમાં વધ્યો હતો ઉગ્રવાદ
ખેડૂતોને પણ ભેટ
ખેડૂતો માટે પણ ભેટ છે. ભારતની સમગ્ર કૃષિ મૂલ્ય શૃંખલાને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રીએ કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ 1 લાખ કરોડ રુપિયાથી વધારીને 2 લાખ કરોડ રુપિયા કરવાની મંજૂરી આપી છે.
At Seva Teerth earlier today, signed files that are connected with the empowerment of the poor, downtrodden, our hardworking farmers, Yuva Shakti and Nari Shakti. The key decisions include:
— Narendra Modi (@narendramodi) February 13, 2026
Approval for the launch of PM RAHAT scheme, as per which victims of accidents will get… pic.twitter.com/dVn5LyrVNX
સ્ટાર્ટઅપનું ફંડ વધ્યું
ભારતની ઇનોવેશન ઇકોસિસ્ટમ, ખાસ કરીને ડીપ ટેકનિક, પ્રારંભિક તબક્કાના વિચારો, અદ્યતન ઉત્પાદન અને અગ્રણી ટેક્નોલોજીને સશક્ત બનાવવા માટે પ્રધાનમંત્રીએ 10,000 કરોડ રુપિયાના ભંડોળ સાથે સ્ટાર્ટઅપ ઈન્ડિયા એફઓએફ 2.0ને મંજૂરી આપી છે.
વડા પ્રધાન મોદીએ શુક્રવારે દિલ્હીમાં સેવાતીર્થ સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમાં વડા પ્રધાન કાર્યાલય, કેબિનેટ સચિવાલય અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય છે. સેવા તીર્થ સંકુલની દિવાલ પર 'નાગરિક દેવો ભવ:'નું વાક્ય લખેલું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us