PM Modi Oath Ceremony: પરિણામો પછી પણ વિવાદ કે શિષ્ટાચાર? શું મોદીના શપથ ગ્રહણ સમારોહમાં I.N.D.I.A. આપશે હાજરી?

PM Narendra Modi Oath Ceremony : પીએમ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે શપથ ગ્રહણ સમારોહ યોજાશે, સાથે કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે. ત્યારે ઈન્ડિયા ગઠબંધનના વિપક્ષ નેતાઓ સમારોહમાં આવશે કે નહીં તે પ્રશ્ન.

PM Narendra Modi Oath Ceremony : પીએમ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે શપથ ગ્રહણ સમારોહ યોજાશે, સાથે કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે. ત્યારે ઈન્ડિયા ગઠબંધનના વિપક્ષ નેતાઓ સમારોહમાં આવશે કે નહીં તે પ્રશ્ન.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
PM Narendra Modi Oath Ceremony

પીએમ નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ સમારોહ

PM Modi Oath Ceremony: પીએમ મોદી શપથ સમારોહ : નરેન્દ્ર મોદી રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ દરમિયાન, કોંગ્રેસના નેતા જયરામ રમેશે શનિવારે કહ્યું હતું કે, ઈન્ડિયા ગઠબંધનને હજુ સુધી વડા પ્રધાન-નિયુક્ત નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ મળ્યું નથી, પરંતુ આમંત્રણ મળ્યા પછી તેના પર વિચારણા કરવામાં આવશે.

Advertisment

જયરામ રમેશે કહ્યું કે, આવતીકાલે સાંજે યોજાનાર શપથ ગ્રહણ સમારોહ માટે માત્ર આંતરરાષ્ટ્રીય નેતાઓને જ આમંત્રણ મળ્યા છે. વિપક્ષના નેતાઓને હજુ સુધી આમંત્રણ મળ્યું નથી. તેમણે એમ પણ કહ્યું કે, જો ઈન્ડિયા ગઠબંધનને આમંત્રણ મળે છે, તો તેઓ કાર્યક્રમમાં હાજરી આપવાનું વિચારી શકે છે.

કોંગ્રેસ સંગઠનના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, શપથ ગ્રહણમાં હાજરી આપવા અંગેનો નિર્ણય માત્ર ઈન્ડિયા એલાયન્સ જ લેશે. તો, તેમણે રાજસ્થાનમાં તેમના સહયોગી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના નેતા હનુમાન બેનીવાલની નારાજગીને સંપૂર્ણપણે નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, તેમણે પોતે બેનીવાલ સાથે વાત કરી છે અને હવે બધું બરાબર છે.

વડાપ્રધાન મોદી રવિવારે પીએમ પદના શપથ લેશે

ભારતે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીફ, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, મોરેશિયસ પ્રવિંદ કુમાર જુગનાથ, નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ અને ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગેને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

Advertisment

વડાપ્રધાન-નિયુક્ત નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ રવિવારે સાંજે 7:15 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાશે. તેમની કેબિનેટના સભ્યો પણ શપથ લેશે.

મંત્રાલયોને લઈને પણ ચર્ચા તીવ્ર બને છે

એવું માનવામાં આવે છે કે ગૃહ, નાણા, સંરક્ષણ અને વિદેશ જેવા મહત્વપૂર્ણ વિભાગો સિવાય, ભારતીય જનતા પાર્ટી પાસે શિક્ષણ અને સંસ્કૃતિ જેવા મજબૂત વૈચારિક પાસાઓ સાથે બે મંત્રાલયો પણ હોઈ શકે છે. તો, તેમના સહયોગીઓને પાંચથી આઠ કેબિનેટ પોસ્ટ્સ ફાળવવામાં આવી શકે છે. પાર્ટીની અંદર નવી કેબિનેટમાં અમિત શાહ અને રાજનાથ સિંહ જેવા નેતાઓનો સમાવેશ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. તો, શિવરાજ સિંહ ચૌહાણ, બસવરાજ બોમ્માઈ, મનોહર લાલ ખટ્ટર અને સર્બાનંદ સોનોવાલ જેવા લોકસભાની ચૂંટણી જીતેલા પૂર્વ સીએમ મોદી સરકારમાં જોડાવાના મુખ્ય દાવેદારોમાં સામેલ છે.

ઈન્ડિયા ગઠબંધને ભાજપને બહુમતીનો આંકડો સ્પર્શતા અટકાવ્યો

તમને જણાવી દઈએ કે આ લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધને જોરદાર ટક્કર આપી અને ભારતીય જનતા પાર્ટીને બહુમતીના આંકને સ્પર્શતા અટકાવી અને ઘણી બેઠકો પર ભારે નુકસાન કર્યું. જો કે, એનડીએને બહુમતી મળી અને 293 બેઠકો જીતી અને ઈન્ડિયા ગઠબંધનને માત્ર 234 બેઠકોથી સંતોષ માનવો પડ્યો. તો, ભાજપે એકલા હાથે 240 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 99 બેઠકો મળી હતી.

ગુજરાતી ન્યૂઝ નરેન્દ્ર મોદી દેશ PM Narendra Modi