Cabinet Formation Rules: મોદી પોતાના કેબિનેટમાં કેટલા મંત્રીઓને સામેલ કરી શકે, શું કહે છે નિયમ?

Cabinet Formation Rules : નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા, કેબિનેટની રચનાને લઈને દેશના બંધારણમાં પણ નિયમો બનાવવામાં આવ્યા છે

Written by Ashish Goyal
Updated : June 10, 2024 00:07 IST
Cabinet Formation Rules: મોદી પોતાના કેબિનેટમાં કેટલા મંત્રીઓને સામેલ કરી શકે, શું કહે છે નિયમ?
નરેન્દ્ર મોદીએ પીએમ પદના શપથ ગ્રહણ કર્યા (તસવીર -બીજેપી ટ્વિટર )

Cabinet Ministers List 2024 : નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. આ સાથે જ તેમના ત્રીજા કાર્યકાળ માટે કેબિનેટ મંત્રીઓની યાદી પણ તૈયાર થઇ ગઇ છે. આ ટીમની મદદથી સરકાર આગામી પાંચ વર્ષમાં પોતાના કામો પુરા કરશે. જોકે કેટલાક પાયાના પ્રશ્નો મનમાં જ રહે છે. આવો જ એક સવાલ એ છે કે આખરે એક સરકાર મંત્રીમંડળમાં કેટલા મંત્રીઓનો સમાવેશ કરી શકે? શું કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી છે કે પછી ગમે તેટલા વ્યક્તિતે શપથ લેવડાવી શકાય છે?

નિયમ શું કહે છે?

હવે જાણકારી માટે જણાવી દઈએ કે કેબિનેટની રચનાને લઈને દેશના બંધારણમાં પણ નિયમો બનાવવામાં આવ્યા છે. બંધારણના 91મા સુધારા હેઠળ કોઈ પણ સરકાર પાસે લોકસભાની કુલ બેઠકોના 15 ટકા સુધીના મંત્રી હોઈ શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો લોકસભામાં 543 બેઠકો હોવાથી મંત્રીમંડળમાં 81થી 82 મંત્રીઓ રાખી શકાય છે. આ સૌથી મોટો આંકડો છે, જો કોઇએ ઓછું રાખવું હોય તો લઘુત્તમ આંકડો 12 મંત્રીઓ સુધી પણ પહોંચી શકે છે.

મંત્રીઓ કેટલા પ્રકારના હોય છે?

આ ઉપરાંત બંધારણની કલમ 74, 75 અને 77માં જ કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે કોઈ પણ કેબિનેટની રચના રાષ્ટ્રપતિ દ્વારા પીએમની સલાહ પર કરવામાં આવે છે. કોઇ પણ મંત્રીમંડળના સર્વોચ્ચ પદ પણ વડાપ્રધાન માનવામાં આવે છે. સરળ શબ્દોમાં તેને મુખિયા પણ કહી શકાય. હવે તેઓ ચીફ છે એટલે રિપોર્ટ પણ સીધો જ તેમને જ કરવાનો છે. આપણા દેશમાં કુલ ચાર પ્રકારના મંત્રીઓ છે – કેન્દ્રીય મંત્રી, કેન્દ્રીય રાજ્યમંત્રી, સ્વતંત્ર હવાલો અને રાજ્ય મંત્રી.

આ પણ વાંચો – Modi Cabinet 2024 : મોદી કેબિનેટ 2024: નરેન્દ્ર મોદી 3.0 સરકારમાં કેબિનેટ મંત્રીઓની ફાઈનલ યાદી!

કોણ કોને રિપોર્ટ કરે છે?

કેન્દ્રીય મંત્રી હંમેશા પીએમને સીધો રિપોર્ટ કરે છે, કેબિનેટની દરેક બેઠકમાં સામેલ હોય છે. દેશના દરેક મહત્વના નિર્ણય તેઓ જ લે છે. કેન્દ્રીય રાજ્યમંત્રી પણ એક મહત્વપૂર્ણ પદ છે, પરંતુ એક રીતે તેમને કેન્દ્રીય મંત્રીના જૂનિયર અથવા સહાયક તરીકે જોવામાં આવે છે. આ લોકો પીએમને બદલે પોતાના મંત્રાલયના કેન્દ્રીય મંત્રીને રિપોર્ટ કરે છે. એ જ રીતે રાજ્યકક્ષાના મંત્રીઓ, સ્વતંત્ર પ્રભાવ ધરાવતા નેતાઓ પણ વડા પ્રધાનને રિપોર્ટ કરે છે, પરંતુ કેબિનેટની કોઈ પણ બેઠકમાં તેમનો સમાવેશ થતો નથી.

બંધારણની કલમ 74, 75 અને 77માં કેન્દ્રીય મંત્રીમંડળની રચનાની જોગવાઈ છે. આર્ટિકલ 74 મુજબ રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ પર કેબિનેટની રચના કરે છે. મંત્રી પરિષદનું સર્વોચ્ચ પદ વડાપ્રધાન પાસે છે. વડા પ્રધાનને સલાહ આપવા માટે મંત્રીમંડળની રચના કરવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ