Independence Day 2024 : PM મોદી તોડશે મનમોહન સિંહનો રેકોર્ડ, જાણો લાલ કિલ્લા પરથી કયા વડાપ્રધાને કેટલી વાર લહેરાવ્યો તિરંગો

Independence Day 2024 : 15 ઓગસ્ટે ના રોજ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી ભારતીય ધ્વજ લહેરાવવાનો મનમોહન સિંહનો રેકોર્ડ પીએમ નરેન્દ્ર મોદી તોડી દેશે, તો જોઈએ કયા વડાપ્રધાને કેટલી વખત તિરંગો લહેરાવ્યો.

Written by Kiran Mehta
Updated : August 13, 2024 16:01 IST
Independence Day 2024 : PM મોદી તોડશે મનમોહન સિંહનો રેકોર્ડ, જાણો લાલ કિલ્લા પરથી કયા વડાપ્રધાને કેટલી વાર લહેરાવ્યો તિરંગો
પીએમ નરેન્દ્ર મોદી સ્વતંત્રતા દિવસે રેકોર્ડ બનાવશે

PM Narendra Modi Record hoisting Indian Flag From Red Fort : 15મી ઓગસ્ટની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. આ વખતે પીએમ નરેન્દ્ર મોદી મનમોહન સિંહનો રેકોર્ડ તોડશે. પોલીસે લાલ કિલ્લાની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી છે. આવતા-જતા તમામ લોકો પર નજર રાખવામાં આવી રહી છે. આ વખતે આ પ્રસંગે 18 હજારથી વધુ મહેમાનો હાજર રહેશે. આ વખતે મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને ગરીબ વર્ગના 4 હજારથી વધુ લોકોને ખાસ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ઓલિમ્પિકમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર સતત 11મી વખત ધ્વજ ફરકાવશે. આમ કરીને તેઓ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને પાછળ છોડી દેશે. લાલ કિલ્લા પરથી સતત 10 વર્ષ સુધી ધ્વજ ફરકાવવાનો રેકોર્ડ તેમના નામે છે.

કયા વડાપ્રધાને કેટલી વખત લાલકિલ્લા પરથી ધ્વજ લહેરાવ્યો?

લાલ કિલ્લા પરથી સૌથી વધુ વખત ધ્વજ ફરકાવવાનો રેકોર્ડ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરુના નામે છે. તેમણે લાલ કિલ્લા પરથી સતત 17 વખત ધ્વજ ફરકાવ્યો. તેઓ 1947 થી 1963 સુધી દેશના વડાપ્રધાન હતા. આ પછી પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું નામ આવે છે. ઈન્દિરા ગાંધી 1966 થી 1976 અને 1980 થી 1984 સુધી દેશના વડાપ્રધાન હતા. આ દરમિયાન તેમણે 16 વખત લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવ્યો હતો. જ્યારે પૂર્વ પીએમ મનમોહન સિંહે 2004 થી 2013 સુધી સતત 10 વખત ધ્વજ ફરકાવ્યો હતો.

આ વખતે સુરક્ષા વ્યવસ્થા કેવી છે?

દિલ્હી પોલીસે સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે 3 હજારથી વધુ ટ્રાફિક પોલીસ, 10 હજારથી વધુ પોલીસકર્મીઓ અને 700 કેમેરા તૈનાત કર્યા છે. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, કોમર્શિયલ મોલ અને બજારો સહિત વિવિધ સંવેદનશીલ સ્થળોએ વધારાના પોલીસ કર્મચારીઓ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. લાલ કિલ્લામાં અનેક સ્તરની સુરક્ષા રહેશે. સ્વતંત્રતા દિવસ પર AI-આધારિત ચહેરાની ઓળખ કરી શકે તેવા 700 CCTV કેમેરા ખરીદ્યા છે.

આ પણ વાંચો – Independence Day: ત્રિરંગા રાત્રે ફરકાવી શકાય છે? ભારતના રાષ્ટ્ર ધ્વજ વિશેના રસપ્રદ તથ્યો અને ઇતિહાસ જાણો

આ કેમેરામાં ‘હાઈ-રિઝોલ્યુશન પેન-ટિલ્ટ-ઝૂમ ફીચર્સ’ હશે, જેના દ્વારા પોલીસ કોઈને પણ દૂરથી ઓળખી શકશે. આ કેમેરા કિલ્લામાં અને તેની આસપાસ લગાવવામાં આવશે. AI-આધારિત ચહેરાની ઓળખ અને વિડિયો પૃથ્થકરણ માટે સક્ષમ, આ કેમેરા ફૂલપ્રૂફ સુરક્ષા સુનિશ્ચિત કરશે. લાલ કિલ્લા પરના કાર્યક્રમમાં હાજરી આપવા આવનાર લોકોની ઓળખ ચકાસવા માટે પોલીસ સ્માર્ટફોન આધારિત એપ્લિકેશનનો પણ ઉપયોગ કરશે. આ ઉપરાંત વડાપ્રધાન અને અન્ય VIP ની સુરક્ષા માટે મહત્વના સ્થળો પર સ્નાઈપર્સ, વિશેષ સ્વાટ કમાન્ડો, પતંગ શિકારીઓ અને ‘શાર્પશૂટર્સ’ પણ તૈનાત કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ