PM Modi : વંદે માતરમ પર PM નરેન્દ્ર મોદીનું સંસદમાં સંબોધન - 'તે માત્ર ગીત નહી, માતૃભૂમિની મુક્તિ માટે પવિત્ર લડાઇનું પ્રતિક છે'

PM Narendra Modi On Vande Mataram 150 Years : વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા પર પીએમ નરેન્દ્ર મોદીએ સંસદમાં કહ્યું કે, જે વંદે માતરમને કારણે આઝાદીનું આંદોલન શરૂ થયું હતું તેનું જ પરિણામ છે કે આજે આપણે અહીં બેઠા છીએ. વંદે માતરમ્ પરંપરાનું આધુનિક સ્વરૂપ છે.

PM Narendra Modi On Vande Mataram 150 Years : વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા પર પીએમ નરેન્દ્ર મોદીએ સંસદમાં કહ્યું કે, જે વંદે માતરમને કારણે આઝાદીનું આંદોલન શરૂ થયું હતું તેનું જ પરિણામ છે કે આજે આપણે અહીં બેઠા છીએ. વંદે માતરમ્ પરંપરાનું આધુનિક સ્વરૂપ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
pm narendra modi in lok sabha | | pm narendra modi | lok sabha | PM Modi

PM Narendra Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે માતરમ 150મી વર્ષગાંઠ નિમિત્તે લોકસભામાં સંબોધન કર્યું હતું. (Photo: Sansad TV)

PM Narendra Modi On Vande Mataram 150 Years : સંસદ શિયાળું સત્રમાં 'વંદે માતરમ્'ના 150 વર્ષ પૂર્ણ થવા પર ચર્ચા થઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લોકસભામાં આ ચર્ચાની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ 'વંદે માતરમ'ની ગૌરવ યાત્રાને યાદ કરી. તેમણે કહ્યું કે અંગ્રેજોના ષડયંત્ર વિરુદ્ધ 'વંદે માતરમ્' ગાવામાં આવ્યું હતું.

Advertisment

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાને સંબોધિત કરતા કહ્યું કે, વંદે માતરમે 1947માં દેશને આઝાદી અપાવી હતી. વંદે માતરમના સૂત્રોમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું ભાવનાત્મક નેતૃત્વ હતું. જ્યારે તેની ચર્ચા થઈ રહી હોય ત્યારે કોઈ પક્ષ - વિપક્ષ નથી. આપણે બધા જે અહીં બેઠા છીએ તે ખરેખર આપણા માટે ઋણ સ્વીકારવાની તક છે. જે વંદે માતરમને કારણે આઝાદીનું આંદોલન શરૂ થયું હતું તેનું જ પરિણામ છે કે આજે આપણે અહીં બેઠા છીએ. એટલા માટે આ ઋણને સ્વીકારવા માટે આપણા તમામ સાંસદો અને તમામ પક્ષો માટે આ એક પવિત્ર પર્વ છે. ”

તેમણે ઉમેર્યું કે, "વંદે માતરમની ભાવના એ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામની લડત લડી હતી, સમગ્ર દેશ એક અવાજમાં વંદે માતરમ પોકારી આગળ વધ્યો હતો. તેમાંથી પ્રેરણા લઈને ફરી એકવાર આગળ વધવાની તક છે. દેશને સાથે લઈને ચાલીયે, સ્વાતંત્ર્ય સેનાનીઓએ જે સપના જોયા હતા, તે સાકાર કરવા માટે વંદે માતરમ આપણા માટે પ્રેરણા અને ઊર્જા બને. 2047માં, આપણે વિકસીત બનીયે. વંદે માતરમ આપણા માટે આ સંકલ્પને પુનરાવર્તિત કરવાની એક મોટી તક છે. ”

'ઇંટનો જવાબ પથ્થરથી આપ્યો'

રાષ્ટ્રગીતના ઇતિહાસ વિશે જણાવતા પીએમ મોદીએ કહ્યું કે, વંદે માતરમની આ યાત્રા 1875માં બકીમ ચંદ્રજીએ શરૂ કરી હતી. આ ગીત એવા સમયે લખવામાં આવ્યું હતું જ્યારે 1857ના સ્વતંત્રતા સંગ્રામ પછી બ્રિટિશ સામ્રાજ્ય ઉશ્કેરાયું હતું અને ઘણા અત્યાચારો કરી રહ્યું હતું. અંગ્રેજો ભારતના લોકોને મજબૂર કરી રહ્યા હતા. અંગ્રેજો તેમના રાષ્ટ્રગીતને ઘરે ઘરે પહોંચાડવાનું ષડયંત્ર રચી રહ્યા હતા. આવા સમયે બકીમ દાએ પડકાર ફેંક્યો અને ઇંટનો જવાબ પથ્થરથી આપ્યો. આ રીતે વંદે માતરમનો જન્મ થયો હતો. ”

Advertisment

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "થોડા વર્ષો પછી, 1882માં, જ્યારે તેમણે 'આનંદ મઠ' લખ્યું, ત્યારે આ ગીતને તેમાં સમાવેળ કરવામાં આવ્યો હતો. વંદે માતરમે જે વિચારને પુનર્જીવિત કર્યો, જે હજારો વર્ષથી ભારતની નસોમાં વહી રહ્યું હતું. આ જ ભાવના સાથે, એ સંસ્કૃતિ સાથે, એ પરંપરા સાથે, ખૂબ જ ઉત્તમ શબ્દોમાં તેમણે વંદે માતરમની બહુ મોટી ભેટ આપી હતી. વંદે માતરમ માત્ર રાજકીય આઝાદીની લડતનો મંત્ર ન હતો. તે તેના કરતા ઘણું વધારે હતું. ”

વંદે માતરમ દરેક ભારતીયનો સંકલ્પ બની ગયો છે: પીએમ નરેન્દ્ર મોદી

પીએમ મોદીએ લોકસભામાં કહ્યું કે, જ્યારે બંકિમ દાએ 'વંદે માતરમ' ની રચના કરી હતી, ત્યારે તે સ્વાભાવિક રીતે આઝાદીના આંદોલનનો પર્વ બની ગયો હતો. ત્યારે 'વંદે માતરમ્' પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધી, દરેક ભારતીયનો સંકલ્પ બની ગયું. તેથી જ વંદે માતરમની સ્તુતિમાં લખવામાં આવ્યું છે કે માતૃભૂમિની આઝાદીની વેદી પર સ્વાર્થનું બલિદાન છે. આ શબ્દ 'વંદે માતરમ' છે. સંજીવની મંત્ર પણ, વિજયનો વિસ્તૃત મંત્ર પણ. તે શક્તિનું આહ્વાન છે. આ વંદે માતરમ્ છે. ગરમ લોહીથી લખો, છાતી ચીરને વીરનું અભિમાન છે. આ શબ્દ 'વંદે માતરમ' છે.

વડાપ્રધાને ધ્યાન દોર્યું હતું કે 'વંદે માતરમ્' એવા સમયે લખવામાં આવ્યું હતું જ્યારે 1857ની ક્રાંતિ પછી બ્રિટિશ સરકાર સતર્ક હતી અને દરેક સ્તરે દબાણ અને જુલમની નીતિઓ લાગુ કરી રહી હતી. તે સમયે અંગ્રેજોના રાષ્ટ્રગીત 'ગોડ સેવ ધ ક્વીન'ને દરેક ઘર સુધી પહોંચાડવાનું અભિયાન ચાલી રહ્યું હતું. આવા સમયે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે પોતાની કલમથી જવાબ આપવા 'વંદે માતરમ્' લખ્યું અને ભારતીયોમાં હિંમત અને આત્મવિશ્વાસની નવી લહેર પેદા કરી.

વંદે માતરમ માતૃભૂમિની મુક્તિ માટેની પવિત્ર લડાઈનું પ્રતીક હતું : પીએમ મોદી

પીએમ મોદીએ સ્પષ્ટતા કરી હતી કે વંદે માતરમ માત્ર અંગ્રેજો સામેની લડાઈનો મંત્ર નથી, પરંતુ તે માતૃભૂમિની મુક્તિ માટેની પવિત્ર લડતનું પ્રતીક છે. આ ગીત લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓની હિંમત અને બલિદાનનું સન્માન કરે છે જેમણે તેને તેમની ચળવળનો એક ભાગ બનાવ્યો હતો.

સંસદ લોકસભા india નરેન્દ્ર મોદી દેશ PM Narendra Modi