PM Modi BJP election campaign : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના ડોડામાં એક રેલીને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે વિરોધ પક્ષો પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભત્રીજાવાદે જમ્મુ-કાશ્મીરને પોકળ કરી નાખ્યું છે. અમે પરિવારજનોના ઈરાદાઓને પડકાર્યા. આતંકવાદ હવે તેના છેલ્લા શ્વાસો ગણી રહ્યો છે.
તેમણે કહ્યું કે આ ચૂંટણી ત્રણ પરિવારો અને યુવાનો વચ્ચે છે. તમને જણાવી દઈએ કે, છેલ્લી વખત વડાપ્રધાને ચિનાબ ઘાટીના ભાગ ડોડામાં 1979માં જ્યારે ઈન્દિરા ગાંધી સત્તામાં હતા ત્યારે સભાને સંબોધિત કરી હતી. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે ચેનાબ ઘાટીની વિધાનસભા બેઠકો પર મતદાન થશે. 2014માં જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લે ચૂંટણી યોજાઈ હતી, ત્યારે ભાજપે આ છમાંથી ચાર વિધાનસભા બેઠકો જીતી હતી.
2022ના સીમાંકન પછી ડોડા અને કિશ્તવાડ જિલ્લામાંથી બે નવા મતવિસ્તારો – ડોડા પશ્ચિમ અને પેડર-નાગસેની – બનાવવામાં આવ્યા છે. હવે, ચેનાબ વેલીમાં આઠ બેઠકો છે. ડોડા વેસ્ટ અને પેડર-નાગસેની સિવાય અન્ય છ સીટો ડોડા, ભદરવાહ, ઈન્દરવાલ, કિશ્તવાડ, રામબન અને બનિહાલ છે. તમામની નજર વડાપ્રધાનની રેલીના સંદેશ પર રહેશે.
જમ્મુમાં રેલી બાદ વડાપ્રધાન કુરુક્ષેત્રમાં બીજી રેલીને સંબોધિત કરશે
જમ્મુમાં રેલી બાદ વડાપ્રધાન કુરુક્ષેત્રમાં બીજી રેલીને સંબોધિત કરશે. આવતા મહિને યોજાનારી હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલા આ તેમની પ્રથમ રેલી હશે. મુખ્યમંત્રી નયબ સિંહ સૈનીએ શુક્રવારે લોકોને રેલીમાં મોટી સંખ્યામાં હાજરી આપવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે રાજ્યમાં ત્રીજી વખત કમળ ખીલવા જઈ રહ્યું છે કારણ કે ભાજપ ફરી સત્તામાં આવવા જઈ રહ્યું છે. હરિયાણામાં 5 ઓક્ટોબરે મતદાન થશે જ્યારે 8 ઓક્ટોબરે મતગણતરી થશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે નવી દિલ્હીમાં હિન્દીને સત્તાવાર ભાષા બનવાના 75 વર્ષની યાદગીરીમાં અખિલ ભારતીય અધિકૃત ભાષા પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે. ઘણા વર્ષોના ગાળા બાદ સત્તારૂઢ ભાજપ ઉત્તર પ્રદેશમાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. પાર્ટીની યુવા પાંખ શનિવારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવનું પૂતળું દહન કરશે.
આ પણ વાંચોઃ- અરવિંદ કેજલીવાલ દિલ્હી લિકર એક્સાઇઝ કેસમાં જામીન પર મુક્ત, જાણો સમગ્ર ઘટનાક્રમ, ક્યારે કોની ધરપકડ થઇ
આ વિરોધ તેમની ટિપ્પણી સામે કરવામાં આવશે જેમાં તેમણે કહ્યું હતું કે “મઠાધિપતિ અને માફિયામાં બહુ ફરક નથી.” અખિલેશે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે એક મીડિયા વ્યક્તિએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદન પર તેમની પ્રતિક્રિયા માંગી જેમાં તેમણે સપા અધ્યક્ષની ટીકા કરી હતી. અખિલેશની ટિપ્પણીને ગોરખપુરના ગોરખનાથ મંદિરના મુખ્ય પૂજારી આદિત્યનાથ પરના હુમલા તરીકે જોવામાં આવી રહી છે.