સરહદ પાર નો પ્રેમ : પંજાબની સરબજીત કૌર કેવી રીતે બની પાકિસ્તાનની 'નૂર'?

Sarabjeet Kaur Become Pakistani Noor : પંજાબની સરબજીત કૌર 4 નવેમ્બરના રોજ ગુરુ નાનક દેવજીની જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેવા પાકિસ્તાન ગઇ હતી. તે લગભગ 2000 ભારતીય શીખ યાત્રાળુઓના જૂથનો ભાગ હતા.

Sarabjeet Kaur Become Pakistani Noor : પંજાબની સરબજીત કૌર 4 નવેમ્બરના રોજ ગુરુ નાનક દેવજીની જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેવા પાકિસ્તાન ગઇ હતી. તે લગભગ 2000 ભારતીય શીખ યાત્રાળુઓના જૂથનો ભાગ હતા.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Sarabjeet Kaur | Pakistani Noor

Sarabjeet Kaur Become Pakistani Noor | AI ઇમેજ અને સરબજીત કૌર (Photo : X/@OsintUpdates)

India Pakistan News : ગુરુ નાનક દેવજીની જન્મજયંતિ નિમિત્તે યાત્રાળુઓના જૂથ સાથે પાકિસ્તાન ગયેલી સરબજીત કૌર નામની 48 વર્ષીય ભારતીય શીખ મહિલા ભારત પરત ફરી નથી. લાહોર પોલીસે શનિવારે જણાવ્યું હતું કે મહિલાએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો છે અને નાસિર હુસૈન નામના સ્થાનિક મુસ્લિમ વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. તે તેને લગભગ એક દાયકાથી સોશિયલ મીડિયા પર ઓળખતી હતી.

Advertisment

કપૂરથલા જિલ્લાના અમાનીપુર ગામની રહેવાસી સરબજીત કૌર ગુરુ નાનક દેવજીની જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેવા માટે 4 નવેમ્બરના રોજ પાકિસ્તાન પહોંચી હતી. તે લગભગ 2000 ભારતીય શીખ યાત્રાળુઓના જૂથનો ભાગ હતી. જ્યારે આ જૂથ 13 નવેમ્બરે ભારત પરત ફર્યું ત્યારે કૌર ગુમ થયાના અહેવાલ હતા. લાહોર પોલીસના જણાવ્યા અનુસાર, કૌરે પાકિસ્તાન પહોંચ્યાના એક દિવસ પછી શેખપુરા જિલ્લાના ફારૂકાબાદના રહેવાસી નાસિર હુસૈન સાથે લગ્ન કર્યા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યા પછી, તેણે પોતાનું નામ બદલીને નૂર રાખ્યું છે.

અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, આ દંપતી છુપાયેલા છે અને પોલીસ તેમની શોધ કરી રહી છે. પીટીઆઈ દ્વારા પ્રાપ્ત લગ્નની એક નકલ લગ્નની પુષ્ટિ કરે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, કૌરે દાવો કર્યો છે કે તેણે હુસૈન સાથે પોતાની મરજીથી લગ્ન કર્યા હતા અને કહ્યું હતું કે તે નવ વર્ષથી સોશિયલ મીડિયા પર તેના સંપર્કમાં હતી. તેણે એમ પણ કહ્યું હતું કે તે છૂટાછેડા લઈ ચૂકી છે અને તેની સાથે નવું જીવન શરૂ કરવા માંગે છે.

જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થતાં કૌરે પુનરોચ્ચાર કર્યો હતો કે તેનું અપહરણ કરવામાં આવ્યું નથી અને તે સુખી દાંપત્યજીવન જીવી રહી છે. તેણે કહ્યું કે તે ભારતથી પહેરેલા કપડાં સિવાય કંઇ લાવી નથી.

Advertisment

ભારત આ કેસની તપાસ કરશે

ભારતમાં પંજાબ પોલીસે કહ્યું છે કે તેના ગુમ થવાની તપાસ ચાલુ છે. કપૂરથલાના એએસપી ધીરેન્દ્ર વર્માએ જણાવ્યું હતું કે હજી સુધી તેના ધર્માંતરણની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે તેને જાન્યુઆરી 2024 માં પાસપોર્ટ મળ્યો હતો. અન્ય એક અધિકારીએ દાવો કર્યો હતો કે કૌર પાસે તેની સામે છેતરપિંડી અને બનાવટના અગાઉના ત્રણ કેસ નોંધાયા છે. જો કે, આ કેસોમાં કોર્ટની કાર્યવાહી લગભગ પૂરી થઈ ગઈ છે.

વીડિયોમાં કૌરે આરોપ લગાવ્યો છે કે લગ્ન બાદ અજાણ્યા શખ્સોએ હુસૈનના ઘરમાં ઘૂસણખોરી કરી હતી, દંપતી સાથે ગેરવર્તણૂક કરી હતી અને તેમને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી, જેના કારણે બંને ભાગી ગયા હતા. તેમણે પાકિસ્તાની અધિકારીઓને સુરક્ષા માટે અપીલ કરી છે.

આવો પહેલો કિસ્સો નથી

આ ઘટના 2018 માં હોશિયારપુરની કિરણ બાલા સાથે સંકળાયેલા આવા જ એક કેસની યાદ અપાવે છે, જે પાકિસ્તાનની યાત્રા દરમિયાન ગુમ થઈ ગઈ હતી અને બાદમાં ઇસ્લામ ધર્મ અંગીકાર કરી હતી, એક પાકિસ્તાની વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા અને તેનું નામ બદલીને આમના બીબી રાખ્યું હતું. તેણીએ તેના ત્રણ બાળકોને ભારતમાં છોડી દીધા હતા. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ ફક્ત યાત્રાળુઓની યાદી મોકલે છે અને પૃષ્ઠભૂમિ તપાસ કરવાની સરકારની જવાબદારી છે.

પંજાબ પાકિસ્તાન india