આનંદપાલ સિંહ એન્કાઉન્ટરમાં કોર્ટનો ફેંસલો, સીબીઆઈનો ક્લોઝર રિપોર્ટ ફગાવ્યો, પોલીસ પર ચાલશે કેસ

Anandpal Encounter Case : રાજસ્થાનના ચર્ચિત આનંદપાલ એન્કાઉન્ટર કેસમાં ACJM સીબીઆઈ કોર્ટે મોટો ચુકાદો આપતા પોલીસને કેસ નોંધવા માટે કહ્યું છે. આ અંગે સીબીઆઈના ક્લોઝર રિપોર્ટને પણ ફગાવી દેવામાં આવ્યો છે

Anandpal Encounter Case : રાજસ્થાનના ચર્ચિત આનંદપાલ એન્કાઉન્ટર કેસમાં ACJM સીબીઆઈ કોર્ટે મોટો ચુકાદો આપતા પોલીસને કેસ નોંધવા માટે કહ્યું છે. આ અંગે સીબીઆઈના ક્લોઝર રિપોર્ટને પણ ફગાવી દેવામાં આવ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Anandpal Encounter Case, Anand Pal Singh

2017માં પોલીસે આનંદપાલ સિંહનું એન્કાઉન્ટર કર્યું હતું (ફાઇલ ફોટો)

Anandpal Encounter Case : રાજસ્થાનના ચર્ચિત આનંદપાલ હત્યા કેસમાં ACJM સીબીઆઈ કોર્ટે મોટો ચુકાદો આપતા પોલીસને કેસ નોંધવા માટે કહ્યું છે. આ અંગે સીબીઆઈના ક્લોઝર રિપોર્ટને પણ ફગાવી દેવામાં આવ્યો છે. ઘણા વર્ષોથી આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો, તેને લઈને વિવાદ પણ થયો હતો. હવે મોટી વાત એ છે કે એક ગેંગસ્ટરના એન્કાઉન્ટરને લઈને પોલીસ ખરાબ રીતે ફસાઈ ગઈ છે.

Advertisment

કોણ હતો આનંદપાલ સિંહ?

હવે પાંચ પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી થવા જઈ રહી છે. આ પહેલા આનંદપાલના પરિવારે પણ આરોપ લગાવ્યો હતો કે તે નકલી એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે તેની હત્યા કરવામાં આવી છે. જાણકારી માટે જણાવી દઈએ કે વર્ષ 2017માં પોલીસે આનંદપાલ સિંહનું એન્કાઉન્ટર કર્યું હતું. ત્યારે તેને પોલીસની મોટી સફળતા ગણાવી હતી. 200થી વધુ લોકો સાથે મળીને તે પોતાની ગેંગ ઓપરેટ કરતો હતો.

કેવી રીતે થયું હતું એન્કાઉન્ટર?

2017માં થયેલા આ એન્કાઉન્ટર પછી બધા જ પોલીસકર્મીઓએ ઘણા વિસ્તારથી જણાવ્યું હતું. એન્કાઉન્ટર સમયે હાજર પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર રાત્રે લગભગ 9 વાગ્યે ચુરુ અને નાગૌરના પોલીસ અધિકારીઓ સાથે 30-35 પોલીસ કમાન્ડો અને જવાન રતનગઢના માલાસર પહોંચ્યા હતા અને શ્રવણ સિંહના ઘરને ત્યાં ઘેરી લીધું હતું.

આ પણ વાંચો - પઠાનકોટના એક ગામમાં જોવા મળ્યા 7 શકમંદો, જંગલમાં ગાયબ થયા, પોલીસે સ્કેચ જાહેર કર્યો

Advertisment

ત્યાં પહોંચતા જ પોલીસે સૌ પહેલા ઘર પાસે પાર્ક કરેલી તેની ગાડીમાં પંચર કરી દીધું હતું. તે સમયે આનંદપાલ સાથે ઘરમાં ત્રણ મહિલાઓ, ત્રણ પુરુષ અને કેટલાક બાળકો પણ હાજર હતા. તે બધા ગ્રાઉન્ડ ફ્લોર પરના ઓરડાઓમાં રહેતા હતા. તે બધાને એક ઓરડામાં બંધ કરી દીધા.

આ પછી આનંદપાલ સિંહે પોલીસ પર ગોળીબાર કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આનંદપાલે એકે-47માંથી 100 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસ તરફથી 50 રાઉન્ડ ફાયર થયાની ચર્ચા છે, પરંતુ કેટલાક લોકો વધુ રાઉન્ડ ફાયરનો દાવો કરતા રહ્યા. આ એન્કાઉન્ટરમાં આનંદપાલ સિંહ માર્યો ગયો હતો.

Rajasthan દેશ