/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Delhi-IAS-Coaching-Students-Death.jpg)
Delhi IAS Coaching Students Death: દિલ્હીમાં આઈએએસ કોચિંગ સેન્ટરમાં વિદ્યાર્થીના મોત બાદ દિલ્હી સરકાર સામે વિરોદ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ. (Photo- Social Media)
Delhi Old Rajendra Nagar: IAS Cocahing Centre Incident: ઓલ્ડ રાજેન્દ્ર નગર: દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર વિસ્તારમાં એક કોચિંગ સેન્ટરના ભોંયરામાં વરસાદના પાણી ભરાઇ જવાને કારણે 3 વિદ્યાર્થીઓના મોત બાદ વિદ્યાર્થીઓનો ગુસ્સો સાતમા આસમાને છે. કોચિંગ સેન્ટરની બહાર વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કોચિંગ સેન્ટરનું નામ રાવ આઈએએસ રાખવામાં આવી રહ્યું છે. સાથે જ દિલ્હી પોલીસે પણ આ મામલે કાર્યવાહી કરીને ક્રિમિનલ સેક્શન હેઠળ કેસ દાખલ કર્યો છે.
કોચિંગ સેન્ટરમાં થયેલા અકસ્માત અંગે દિલ્હી પોલીસના ડીસીપી સેન્ટ્રલ એમ હર્ષવર્ધને જણાવ્યું હતું કે, રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને બચાવવા માટે દિલ્હી ફાયર સર્વિસથી લઈને એનડીઆરએફ સુધીની ટીમો પણ સામેલ હતી. આ દરમિયાન ભોંયરામાંથી 3 મૃતદેહ મળી આવ્યા છે, ત્રણેયની ઓળખ કરી લેવામાં આવી છે. તેમાંથી એક છોકરો છે, જ્યારે બે છોકરીઓ છે.
#WATCH ओल्ड राजिंदर नगर, दिल्ली: डीसीपी सेंट्रल एम हर्षवर्द्धन और अतिरिक्त डीसीपी सचिन शर्मा ओल्ड राजिंदर नगर पहुंचे। जहां कल कोचिंग संस्थान के बेसमेंट में पानी भरने से 3 यूपीएससी अभ्यर्थियों की जान चली गई थी। pic.twitter.com/xBzTE7FiH2
— ANI_HindiNews (@AHindinews) July 28, 2024
DCP એ મૃતકો વિશે માહિતી આપી
ડીસીપીએ મૃતક અંગે માહિતી આપતા જણાવ્યું કે, એક વિદ્યાર્થીનીનું નામ શ્રેયા યાદવ છે, જે મૂળ યુપીના આંબેડકર નગરની રહેવાસી છે. બીજા નંબરે તાન્યા સોની છે, જે તેલંગાણાની છે. ત્રીજા મૃતક વિદ્યાર્થીનું નામ નિવિન દલવીન છે, જે કેરળના એર્નાકુલમનો રહેવાસી છે.
પોલીસે કોચિંગ મેનેજમેન્ટ સામે ગુનો નોંધ્યો
ડીસીપી એ જણાવ્યું કે, કોચિંગ સેન્ટર સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. બીએનએસની કલમ 105, 106 (1), 115 (2), 290 અને 35 હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ અને બિલ્ડિંગના મેનેજમેન્ટ અને તે સ્થળે ગટરની જાળવણી માટે જવાબદાર લોકો સામે છે. આ સાથે કોચિંગ સેન્ટરના માલિક અને કો-ઓર્ડિનેટરની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે.
#WATCH दिल्ली: प्रदर्शनकारी छात्रों से एडिशनल डीसीपी सचिन शर्मा ने कहा, "तीन लोगों की मौत हुई है। हम कुछ भी क्यों छिपाएंगे? हम आपको आश्वासन देते हैं कि कानूनी तौर पर जो भी संभव होगा हम करेंगे। जांच जारी है..." pic.twitter.com/VTLOesvQC0
— ANI_HindiNews (@AHindinews) July 28, 2024
કઈ કલમમાં કેટલી સજાની જોગવાઈ છે?
બીએનએસ 105 - આ કલમ હેઠળ દોષી સાબિત થનારને 5થી 10 વર્ષની સજા થઈ શકે છે. આ ઉપરાંત આ કલમમાં દંડની પણ જોગવાઈ છે.
બીએનએસ 106(1) – બીએનએસ કલમ 106(1) હેઠળ જો કોઇ આરોપી દોષી સાબિત થાય તો વધુમાં વધુ 5 વર્ષની સજા થઇ શકે છે.
બીએનએસ 115 (2) – બીએનએસ કલમ 115 (2) હેઠળ, જો કોઈ આરોપી દોષી સાબિત થાય છે, તો તેને એક વર્ષથી દસ હજાર રૂપિયા સુધીની કેદની સજા અથવા સજા અને દંડ બંનેની સજા થઈ શકે છે.
આ પણ વાંચો | વિદેશ ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓ સાચવજો, છેલ્લા 5 વર્ષમાં 633 મોત, જાણો ક્યા દેશમાં સૌથી વધુ
બીએનએસ 290 - બીએનએસ કલમ 290 હેઠળ દોષી સાબિત થયેલા આરોપીને ઇમારતોના નિર્માણમાં બેદરકારી બદલ 6 મહિનાથી પાંચ હજાર રૂપિયા સુધીની જેલ અથવા દંડ બંને માટે જેલની સજા અને દંડ બંને થઈ શકે છે.
બીએનએસ 35 - દરેક વ્યક્તિને કલમ 37 માં સમાવિષ્ટ પ્રતિબંધોને આધિન, પોતાના શરીર અને અન્ય કોઈ પણ વ્યક્તિના શરીરનો, માન શરીર પર અસર કરનાર કોઇ અપરાધ સામે બચાવ કરવાનો અધિકાર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us