/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Ratan-Naval-Tata.jpg)
Ratan Tata Passed Away : ભારતીય ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે અવસાન થયું (File)
Ratan Tata Family Tree: ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે રાત્રે અવસાન થયું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 86 વર્ષના હતા. ઘણા વરિષ્ઠ નેતાઓ અને સેલિબ્રિટીઓ અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે ત્યાં પહોંચ્યા હતા, ત્યારબાદ તેમના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ચાલો જાણીએ કે પ્રખ્યાત ઉદ્યોગપતિના પરિવારમાં કોણ છે અને કોણ હશે તેમના ઉત્તરાધિકારી.
ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટાનો જન્મ 1839માં નુસેરવાનજી રતન ટાટા અને જીવનબાઈ કાવસજી ટાટાને ત્યાં થયો હતો. જમશેદજી ઉપરાંત નુસરવાનજીને અન્ય ચાર બાળકો હતા - રતનબાઈ, માણેકબાઈ, વીરબાઈજી, જેરબાઈ. પારસી પાદરીઓના પરિવારમાં જન્મેલા, જમશેદજીએ પરંપરા તોડી અને 1868માં 29 વર્ષની નાની ઉંમરે પોતાની ટ્રેડિંગ ફર્મ શરૂ કરી.
તેમણે 1870ના દાયકામાં મધ્ય ભારતમાં કાપડની મિલમાં શરૂઆત કરી હતી. તેમની દ્રષ્ટિએ પાછળથી ભારતમાં તકનીકી શિક્ષણનો પાયો નાખ્યો અને દેશને ઔદ્યોગિક દેશોમાં ગણવામાં મદદ કરી. જમસેદજીએ હીરાબાઈ ડબ્બુ સાથે લગ્ન કર્યા અને તેમને ત્રણ બાળકો હતા - સર દોરાબજી ટાટા, ધૂનબાઈ ટાટા અને સર રતન ટાટા.
નોએલ રતન અને જીમીના સાવકા ભાઈ છે
સર રતન ટાટાએ નવજાબાઈ સેટ સાથે લગ્ન કર્યા અને નેવલ એચ ટાટાને દત્તક લીધા. નવલે સુનુ કમિશનર સાથે લગ્ન કર્યા અને તેમને બે પુત્રો હતા - રતન એન ટાટા અને જીમી એન ટાટા. પરંતુ જ્યારે રતન એન ટાટા માત્ર 10 વર્ષના હતા ત્યારે નવલ અને સુનુના છૂટાછેડા થઈ ગયા. નવલ બાદમાં સિમોન ડુનોયર સાથે લગ્ન કર્યા અને તેમને નોએલ ટાટા નામનો પુત્ર થયો. નોએલ રતન અને જીમીના સાવકા ભાઈ છે.
રતન અને જીમીએ ક્યારેય લગ્ન કર્યા નથી
રતન અને જીમીએ ક્યારેય લગ્ન કર્યા ન હતા, જ્યારે નોએલએ આલૂ મિસ્ત્રી સાથે લગ્ન કર્યા હતા, જેઓ સ્વર્ગસ્થ સાયરસ મિસ્ત્રીની બહેન છે. સાયરસ ટાટા ગ્રુપના ચેરમેન રહી ચૂક્યા છે. નોએલ અને આલુને ત્રણ બાળકો છે - લેહ ટાટા, માયા ટાટા અને નેવિલ ટાટા. નેવિલે માનસી કિર્લોસ્કર સાથે લગ્ન કર્યા છે અને તેના બે બાળકો છે - જમશેદ ટાટા અને ટિયાના ટાટા.
જીવનબાઈ કાવસજી ટાટાના ભાઈ દાદાભાઈ કાવસજી ટાટા (કૌવસજી માણેકજી ટાટાના દત્તક પુત્ર)ને તેમની પત્ની ભીખીભાઈ સાથે એક પુત્ર હતો. દાદાભાઈના પુત્ર રતનજી દાદાભાઈ ટાટાએ ફ્રેન્ચ મહિલા સુઝાન બ્રિરે સાથે લગ્ન કર્યા. તેમને પાંચ બાળકો હતા - સિલા પેટિટ, જહાંગીર રતનજી દાબાભાઈ ટાટા, રોદાબેહ ટાટા, દરબ ટાટા અને જીમી ટાટા.
આ પણ વાંચોઃ- માલિકના અંતિમ દર્શન માટે પહોંચ્યો રતન ટાટાનો ડોગ ‘ગોવા’, નામ પાછળ આ છે કહાની
જહાંગીર અથવા જેઆરડી ટાટા, જેઓ ટાટાના ચેરમેન બન્યા હતા, તેમણે 1932માં એરલાઇન શરૂ કરીને ઉપખંડમાં નાગરિક ઉડ્ડયનની પહેલ કરી હતી, જે હવે એર ઇન્ડિયા તરીકે ઓળખાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us