/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Sadhguru-health-brain-surgery-Sadhguru-Jaggi-Vasudev-Spiritual-leader-.jpg)
Sadhguru health brain surgery : સદગુરુ હેલ્થ આધ્યાત્મિક નેતા જગ્ગી વાસુદેવ મગજની સર્જરી (Photo : Sadhguru/Instagram)
Sadhguru : સદગુરુના નામે જાણીતા આધ્યાત્મિક લીડર ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુ જગ્ગી વાસુદેવનના બ્રેઈનની ઈમરજન્સી સર્જરી કરવામાં આવી છે. મગજમાંથી લોહી નીકળતા અને સોજો આવવાને કારણે સદગુરુ (Sadhguru) ને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Sadhguru-health-brain-surgery-Sadhguru-Jaggi-Vasudev-Spiritual-leader-1.jpg)
સદગુરુને મગજમાંથી જામી ગયેલું લોહી કાઢવા માટે 17 માર્ચે સર્જરી કરવામાં આવી હતી. હવે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેમને વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ સદગુરુ સાથે વાત કરી અને તેમની તબિયત અંગે પૂછ્યું હતું. સદગુરુએ પીએમનો આભાર વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો: કાળજુ કંપાવતી ઘટના! મોલમાં એસ્કેલેટર ચડતા પિતાના હાથમાંથી એક વર્ષનુ બાળક પડી ગયું,
સદગુરુ જગ્ગી વાસુદેવની સફળ સર્જરી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિવટર પર પોસ્ટ શેર કરી હતી. પ્રધાનમંત્રીએ સદગુરુના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.
Spoke to @SadhguruJV Ji and wished him good health and a speedy recovery.
— Narendra Modi (@narendramodi) March 20, 2024
આ પણ વાંચો: બદાયુ ડબલ મર્ડર : સાજીદના પિતા અને કાકાની અટકાયત, ફરાર જાવેદની શોધમાં અનેક જગ્યા પર પોલીસના દરોડા
બુધવારે સદગુરુએ તેમના હોસ્પિટલમાં એડમિટ હતા ત્યારે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. સદગુરુએ વિડીયોમાં કહ્યું કે, “એપોલો હોસ્પિટલના ન્યુરોસર્જન મારી ખોપરી કાપીને સર્જરી કરી પણ કંઈ મળ્યું નથી, તેથી તેને પેચ અપ કર્યું છે. અને હું અહીં હવે મારી હાલત સ્થિરછે અને દિલ્હીમાં છું પરંતુ મગજને નુકસાન થયું નથી.''


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us