/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Priyanka-Gandhi-On-Sanchar-Saathi.jpg)
Priyanka Gandhi On Sanchar Saathi : પ્રિયંકા ગાંધી વાડ્રા એ સંચાર સાથી એપ ને જાસુસી એપ ગણાવી છે. (Photo: @priyankagandhi / Freepik)
Priyanka Gandhi On Sanchar Saathi : મોબાઇલ માં સંચાર સાથી એપ પ્રી ઇન્સ્ટોલ કરવાના વિશે ટેલીકોમ વિભાગના આદેશ પર કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટિપ્પણી કરી છે. પ્રિયંકા ગાંધીએ મંગળવારે સંસદ પરિસરમાં મીડિયા સાથે વાત કરતા 'સંચાર સાથી' એપને જાસૂસ એપ ગણાવી હતી.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ પ્રકારનો આદેશ નાગરિકોની ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે. "દરેક વ્યક્તિને તેમના પરિવાર અને મિત્રોને ભય વગર મેસેજ મોકલવાનો અધિકાર છે, ડર વિના વાતચીત કરવાનો - સરકારે દરેક બાબત જોવી જોઈએ નહીં. ”
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, તેઓ આ દેશને દરેક સ્વરૂપે સરમુખત્યારશાહીમાં ફેરવવા માંગે છે. સંસદ એટલા માટે ચાલી શકતી નથી કારણ કે તેઓ કોઈ પણ બાબતની ચર્ચા કરવા માંગતા નથી. વિપક્ષને દોષી ઠેરવવું ખૂબ જ સરળ છે. તંદુરસ્ત લોકશાહી ચર્ચાની માંગ ખોલે છે. ”
કોંગ્રેસના સાંસદે વધુમાં કહ્યું કે છેતરપિંડીની જાણ કરવા અને ભારતનો દરેક નાગરિક તેમના ફોન પર શું કરી રહ્યો છે તે જોવા વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા છે. આ રીતે કામ ન કરવું જોઈએ. છેતરપિંડીની જાણ કરવા માટે અસરકારક સિસ્ટમ હોવી જોઈએ. અમે સાયબર સિક્યુરિટી પર આ વિશે ખૂબ જ વિગતવાર વાત કરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us