Satyendar Jain: સત્યેન્દ્ર જૈન 900 દિવસ બાદ જેલ માંથી મુક્ત, અરવિંદ કેજરીવાલની આપ પાર્ટી માટે કેમ મહત્વપૂર્ણ છે

Delhi Politics News: સત્યેન્દ્ર જૈન 900 દિવસ બાદ તિહાડ જેલ માંથી બહાર આવ્યા છે. દિલ્હીના પૂર્વ મંત્રી અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના નેતાની ઈડીએ મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરી હતી.

Written by Ajay Saroya
October 20, 2024 07:47 IST
Satyendar Jain: સત્યેન્દ્ર જૈન 900 દિવસ બાદ જેલ માંથી મુક્ત, અરવિંદ કેજરીવાલની આપ પાર્ટી માટે કેમ મહત્વપૂર્ણ છે
Satyendar Jain With Arvind kejriwal: સત્યેન્દ્ર જૈન આપ પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ સાથે. (Photo: @ArvindKejriwal)

Delhi Politics News: દિલ્હી રાજનીતિઃ આપ પાર્ટીા પૂર્વ નેતા સત્યેન્દ્ર જૈન 900 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા છે. દિલ્હીના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલા એક કેસમાં શુક્રવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે જામીન આપી દીધા છે. આ પહેલા દિલ્હીના કથિત લિકર કૌભાંડ સાથે જોડાયેલા મામલામાં પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ, પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, રાજ્યસભા સાંસદ સંજય સિંહ પણ જામીન પર બહાર આવ્યા છે.

સત્યેન્દ્ર જૈને શનિવારે તેમના દિવસની શરૂઆત ઉત્તર પશ્ચિમ દિલ્હીના તેમના વિધાનસભા મત વિસ્તાર શકુર બસ્તીથી કરી હતી. સત્યેન્દ્ર જૈન પર 2017માં સીબીઆઈ એ ભ્રષ્ટાચારના આરોપસર કેસ નોંધ્યો હતો. વળી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ મે 2022 માં તેની અને તેમના પરિવારના સભ્યો સાથે કથિત રીતે સંકળાયેલી અનેક કંપનીઓ દ્વારા મની લોન્ડરિંગના એક કથિત કેસમાં તેમની ધરપકડ કરી હતી. આમ આદમી પાર્ટીએ તેમના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

સત્યેન્દ્ર જૈન અરવિંદ કેજરીવાલની નજીકના વ્યક્તિ

સત્યેન્દ્ર જૈન તેમની ધરપકડ પહેલા તત્કાલીન સાત સભ્યોની અરવિંદ કેજરીવાલ કેબિનેટમાં દિલ્હીના સૌથી અગ્રણી મંત્રીઓમાંના એક હતા. તેઓ આરોગ્ય, ઊર્જા, ગૃહ, જાહેર બાંધકામ વિભાગ અને શહેરી વિકાસ જેવા વિભાગો સંભાળતા હતા. આમ આદમી પાર્ટીના આંતરિક સૂત્રોનું કહેવું છે કે સત્યેન્દ્ર જૈનની મુક્તિ આગામી વર્ષ યોજાના દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા આપ પાર્ટી માટે મોટી રાહત છે.

સત્યેન્દ્ર જૈને ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ

સત્યેન્દ્ર જૈને શનિવારે આરોપ લગાવ્યો હતો કે દિલ્હીની હોસ્પિટલોમાં 18000 વધારાના બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વિશ્વમાં એવો કોઈ દેશ નથી કે જ્યાં સરકારી હોસ્પિટલોને આ સ્કેલ પર વિસ્તૃત કરવામાં આવી રહી હોય. જો આવું થયું હોત તો ભાજપના લોકો સામે ઉઘાડું પડી ગયું હોત. એટલા માટે સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી જેથી લોકોના કામ ન થઈ શકે.

ફેબ્રુઆરી 2023 માં, જ્યારે ડેપ્યુટી સીએમની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે તેમણે પણ રાજીનામું આપ્યું હતું. આ દરમિયાન સત્યેન્દ્ર જૈને પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ આતિશી અને સૌરભ ભારદ્વાજ વચ્ચે તેમના અલગ-અલગ ખાતાઓ વહેંચાઈ ગયા હતા, જેમણે ત્યાર બાદ મંત્રી પદના શપથ લીધા હતા.

આપ પાર્ટી હવે સત્યેન્દ્ર જૈનને સમય આપશે

આમ આદમી પાર્ટીના એક સૂત્રએ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીઓ નજીક હોવાથી જૈન માટે ફરીથી મંત્રીમંડળમાં જોડાવું ખૂબ મુશ્કેલ હતું. બીજી તરફ, તેમના સ્વાસ્થ્ય અને લગભગ બે વર્ષની જેલને ધ્યાનમાં રાખીને, પાર્ટી તેમને શાંત થવા, વિચારવા અને ભાવિ કાર્યવાહીનો નિર્ણય કરવા માટે થોડો સમય આપવા માંગે છે.

સત્યેન્દ્ર જૈન બહુ ઓછું બોલતા નેતા પૈકીના એક ગણાય છે. તેઓ પડદા પાછળ પોતાનું કામ કરતા રહે છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ સાથે સંબંધિત ન હોય તેવી તેમની ધરપકડ બાદ દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સિસોદિયા, આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ અને છેલ્લે સીએમ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી.

હવે જેલમાં ફક્ત અમાનતુલ્લા ખાન

જેલમાં પોતાની સજા પૂરી કર્યા બાદ સિંહ, સિસોદિયા અને કેજરીવાલ થોડા જ મહિનાઓમાં છોડી મૂકવામાં આવ્યા હતા; આપનો એકમાત્ર નેતા હાલમાં ન્યાયિક કસ્ટડીમાં ઓખલાના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન છે, જેમની ઇડી દ્વારા દિલ્હી વકફ બોર્ડમાં કથિત ગેરકાયદેસર ભરતી સાથે સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ