શેર માર્કેટ ભ્રષ્ટાચાર : રાહુલ ગાંધીના આરોપો પર પીયૂષ ગોયલે આપ્યો જવાબ, કહ્યું- દેશને તેમના પર વિશ્વાસ નથી

Share Market Corruption, શેર માર્કેટ ભ્રષ્ટાચાર:: રાહુલ ગાંધીએ ચૂંટણીના એક્ઝિટ પોલ પછી ઉછળેલા અને ચૂંટણી પરિણામોમાં ક્રેશ થયેલા શેર બજારના મામલે ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.

Share Market Corruption, શેર માર્કેટ ભ્રષ્ટાચાર:: રાહુલ ગાંધીએ ચૂંટણીના એક્ઝિટ પોલ પછી ઉછળેલા અને ચૂંટણી પરિણામોમાં ક્રેશ થયેલા શેર બજારના મામલે ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
share market scam, rahul gandhi on share market, piysuh goyal on rahul gandhi

રાહુલ ગાંધી અને પીયુષ ગોયલ - photo - X @RahulGandhi @PiyushGoyal

Share Market Corruption, શેર માર્કેટ ભ્રષ્ટાચાર: કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ ચૂંટણીના એક્ઝિટ પોલ પછી ઉછળેલા અને ચૂંટણી પરિણામોમાં ક્રેશ થયેલા શેર બજારના મામલે ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. આ અંગે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે રાહુલની વાતને હવે કોઈ ગંભીરતાથી લેતું નથી.

Advertisment

રાહુલ ગાંધીના આરોપો અંગે ભાજપે કહ્યું કે રાહુલ ગાંધીના તમામ આરોપો પાયાવિહોણા છે. પીયૂષ ગોયલે કહ્યું છે કે રાહુલ ગાંધી રોકાણકારોમાં ડર પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે સત્ય એ છે કે શેરબજારમાં દસ વર્ષથી સતત તેજી જોવા મળી રહી છે.

ભાજપ રાહુલને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે

પીયૂષ ગોયલે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી ભાજપને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે સત્ય એ છે કે હવે દેશ રાહુલ ગાંધીને ગંભીરતાથી લેતો નથી. પિયુષ ગોયલે કહ્યું કે FIIS એ એક્ઝિટ પોલના પરિણામો બાદ ખરીદી કરી હતી અને બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળે છે, આ સામાન્ય વાત છે.

મોદી સરકારના વખાણ કરતા પીયૂષ ગોયલે કહ્યું કે 10 વર્ષમાં માર્કેટ કેપ વધ્યું છે અને મોદી સરકારના શાસનમાં PSU શેર 4 ગણો વધ્યો છે. શેરબજારમાં ફેરફારો થતા રહે છે અને ભારત વિશ્વના ટોચના 5 શેર બજારોમાંનું એક છે.

Advertisment

આ પણ વાંચોઃ- Kangana Ranaut: કંગના રનૌતને થપ્પડ મારનાર CISF મહિલા જવાન સસ્પેન્ડ, ભારતમાં કોઇને લાફો મારવાની શું સજા છે? જાણો કાયદો શું કહે છે

મોદી સરકારના કારણે શેરબજાર વધ્યું

પીયૂષ ગોયલે કહ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થાની ઉપલબ્ધિઓ સામાન્ય નથી. આખી દુનિયા આને ગંભીરતાથી લઈ રહી છે અને સમજી રહી છે. પીએમ મોદીના નેતૃત્વમાં દેશનો વિકાસ થઈ રહ્યો છે. પીયૂષ ગોયલે મોદી સરકારના વખાણ કરતા કહ્યું કે મોદી સરકારના કારણે શેરબજારમાં ઐતિહાસિક ઉછાળો આવ્યો છે. મ્યુચ્યુઅલ ફંડની મર્યાદા પણ વધીને રૂ. 56,000 કરોડ થઈ છે. 10 વર્ષમાં શેરબજારમાં મૂડીકરણ વધ્યું છે.

આ પણ વાંચોઃ-Kangan Ranaut: કંગના રનૌત ને થપ્પડ મારનાર CISF મહિલા જવાન કુલવિંદર કૌર કોણ છે? કેમ લાફ માર્યો? જાણો તમામ વિગત

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ શેરબજારને લઈને કેન્દ્ર સરકાર પર અનેક આરોપો લગાવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે તેમની વિનંતી પર જ લોકોએ ચૂંટણી પરિણામો પહેલા શેર ખરીદ્યા અને પરિણામના દિવસે સામાન્ય માણસના 30 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું.

રાહુલ ગાંધી શેર બજાર congress ભાજપ