/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Shashi-Tharoor-in-Colombia-all-party.jpg)
કોલંબિયામાં શશિ થરુર - photo- X @ShashiTharoor
All party Delegation in Colombia : કોલંબિયા, જેણે પાકિસ્તાન વિરુદ્ધ ભારતના 'ઓપરેશન સિંદૂર'નો વિરોધ કર્યો હતો, તેણે પોતાનો સૂર બદલી નાખ્યો છે અને પાકિસ્તાનને ટેકો આપતું પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું છે. આને ભારતની રાજદ્વારી અને શશી થરૂરના આક્રમણની જીત તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે ગઈકાલ સુધી પાકિસ્તાન માટે સંવેદના વ્યક્ત કરતું કોલંબિયા આજે ભારતના સમર્થનમાં ઉભું છે.
હકીકતમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરનારા કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કોલંબિયાના શોક નિવેદન પર 'નિરાશા' વ્યક્ત કરી હતી. 7 મેના રોજ, ભારતે પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં 9 આતંકવાદી ઠેકાણાઓ, તેમના મુખ્યાલય અને લોન્ચ પેડને નિશાન બનાવ્યા હતા. ભારત દ્વારા કરવામાં આવેલી આ બદલો લેવાની કાર્યવાહીમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા, ત્યારબાદ કોલંબિયાએ પાકિસ્તાન પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Shashi-Tharoor-in-Colombia.jpg)
કોલંબિયાએ નિવેદન પાછું ખેંચ્યું
સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં, શશી થરૂરે કહ્યું કે 'કોલંબિયાના નાયબ વિદેશ પ્રધાન રોઝા યોલાન્ડાએ ખૂબ જ ગૌરવપૂર્વક ઉલ્લેખ કર્યો છે કે અમે ચિંતા વ્યક્ત કર્યા પછી કોલંબિયાએ પાકિસ્તાન પ્રત્યે સંવેદના વ્યક્ત કરતું નિવેદન પાછું ખેંચી લીધું છે. કોલંબિયા હવે આ સમગ્ર મામલે અમારા વલણને સંપૂર્ણપણે સમજે છે. તે ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આતંક ફેલાવનારાઓ અને તેની સામે કાર્યવાહી કરનારાઓ વચ્ચે કોઈ સમાનતા હોઈ શકે નહીં
પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર ભારતના હુમલાઓ પછી, કોલંબિયાએ જાનમાલના નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું. આ નિવેદન અંગે, શશિ થરૂરે કહ્યું કે અમે અમારા કોલંબિયાના મિત્રોને કહેવા માંગીએ છીએ કે આતંકવાદ ફેલાવનારાઓ અને તેનો પ્રતિકાર કરનારાઓ વચ્ચે કોઈ સમાનતા હોઈ શકે નહીં. હુમલો કરનારાઓ અને બચાવ કરનારાઓ વચ્ચે કોઈ સરખામણી થઈ શકે નહીં. અમે ફક્ત સ્વ-બચાવના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છીએ, અને જો આ અંગે કોઈ ગેરસમજ હોય, તો અમે તેને દૂર કરવા તૈયાર છીએ.
A very good turnout at our press conference yesterday has sparked off a great deal of interest in our delegation’s mission in Colombia. Augurs well for the very full day that looms ahead. pic.twitter.com/mfPYnlmSnC
— Shashi Tharoor (@ShashiTharoor) May 30, 2025
પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર ભારતના હુમલાઓ પછી, કોલંબિયાએ જાનમાલના નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ નિવેદન અંગે, શશિ થરૂરે કહ્યું કે અમે અમારા કોલંબિયાના મિત્રોને કહેવા માંગીએ છીએ કે આતંકવાદ ફેલાવનારાઓ અને તેનો પ્રતિકાર કરનારાઓ વચ્ચે કોઈ સમાનતા હોઈ શકે નહીં.
આ પણ વાંચોઃ- new rules in june : UPI થી LPG સુધી, 1 જૂનથી તમારા ખિસ્સાને અસર કરતા 5 મોટા ફેરફારો
શશિ થરૂરે કહ્યું કે હુમલો કરનારાઓ અને બચાવ કરનારાઓ વચ્ચે કોઈ સરખામણી થઈ શકે નહીં. અમે ફક્ત સ્વ-બચાવના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છીએ, અને જો આ અંગે કોઈ ગેરસમજ હોય, તો અમે તેને દૂર કરવા તૈયાર છીએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us