Shimla Sanjauli Masjid: શિમલા સંજૌલી મસ્જિદ વિવાદ કેવી રીતે શરૂ થયો, હિમાચલ પ્રદેશમાં પહેલીવાર સાંપ્રદાયિક તણાવ

Shimla Sanjauli Masjid Dispute: શિમલા સંજૌલી જિલ્લામાં 4 માળની મસ્જિદને તોડી પાડવાની માંગ વચ્ચે મુસ્લિમ કલ્યાણ સમિતિ (જેમા મસ્જિદના ઇમામ પણ સાલે છે) તેમણે ગુરુવારે શિમલાના મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર સુપરત કર્યો હતો, જેમા તેમણે મસ્જિદની અનધિકૃત જગ્યાને સીલ કરવા વિનંતી કરી છે.

Shimla Sanjauli Masjid Dispute: શિમલા સંજૌલી જિલ્લામાં 4 માળની મસ્જિદને તોડી પાડવાની માંગ વચ્ચે મુસ્લિમ કલ્યાણ સમિતિ (જેમા મસ્જિદના ઇમામ પણ સાલે છે) તેમણે ગુરુવારે શિમલાના મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર સુપરત કર્યો હતો, જેમા તેમણે મસ્જિદની અનધિકૃત જગ્યાને સીલ કરવા વિનંતી કરી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Sanjauli Masjid | Masjid Dispute | Shimla dispute | shimla sanjauli masjid dispute | Himachal Pradesh

Shimla Sanjauli Masjid Dispute: હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાં સંજૌલી ખાતે એક મસ્જિદમાં ગેરકાયદેસર બાંધકામ સામે હિંસક વિરોધ જોવા મળ્યા હતો.

Shimla Sanjauli Masjid Dispute: હિમાચલ પ્રદેશના શિમલામાં સંજૌલી મસ્જિદ વિશે વિવાદ યથાવત છે. પહાડી રાજ્યના ઈતિહાસમાં પહેલીવાર સાંપ્રદાયિક તણાવનો માહોલ જોવા મળ્યો છે. આખરે આ સમગ્ર વિવાદ શું છે, કેમ અને કેવી રીતે શરૂ થયો, શું માંગ કરવામાં આવી રહી છે? ઈન્ડિયન એક્સપ્રેસની તપાસમાં આ સમગ્ર વિવાદ પાછળ એક વાણંદની દુકાન પર થયેલો ઝગડો, 1960ના દાયકામાં બાંધવામાં આવેલી મસ્જિદ અને હિમાચલ પ્રદેશ વિધાનસભામાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ મહત્વના પાસા તરીકે જોવામાં આવી રહ્યા છે. ઓમાં સામેલ છે.

Advertisment

સંજૌલી જિલ્લામાં ચાર માળની મસ્જિદને તોડી પાડવાની માંગ વચ્ચે મુસ્લિમ કલ્યાણ સમિતિ, જેમાં મસ્જિદના ઇમામનો પણ સમાવેશ થાય છે, તેમણે ગુરુવારે શિમલાના મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર સુપરત કર્યો હતો, જેમાં તેમને મસ્જિદના અનધિકૃત ભાગોને સીલ કરવાની વિનંતી કરવામાં આવી હતી.

સંજૌલી મસ્જિદનો કેસ ક્યાંથી શરૂ થયો?

આ સમગ્ર વિવાદની શરૂઆત મસ્જિદ વિસ્તારથી 8 કિમી દૂર મલયાના ગામમાં થયેલા ઝઘડાથી થઈ હતી, હકીકતમાં 31 ઓગસ્ટના રોજ એક સ્થાનિક દુકાનદાર વિક્રમ સિંહનો વાળંદની દુકાનના માલિક ગુલનવાઝ સાથે ઝઘડો થયો હતો. પોલીસે વિક્રમ પર હુમલો કરવા બદલ ગુલનવાઝ અને બે સગીર સહિત છ લોકોની અટકાયત કરી હતી, પરંતુ આરોપીઓએ મસ્જિદમાં આશરો લીધો હોવાના આક્ષેપો સામે આવ્યા બાદ મામલો વકર્યો હતો.

આ સમગ્ર ઘટનામાં સંજૌલીની એક સિવિલ સોસાયટીના અધિકારી વિકાસ થાપતા કહે છે, "મુસ્લિમો સદીઓથી અહીં રહે છે. પહેલાં પણ ઝઘડા થતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ગુલનવાઝ શિમલાનો નથી, તે ઘણા સમય પહેલા અહીં આવ્યો હતો અને તેણે એક હિન્દુ મહિલા સાથે લગ્ન કર્યા હતા. અને 10 વર્ષમાં, તેણે વધુ ત્રણ દુકાનો ખરીદી, જે બધી તેના મિત્રો દ્વારા ચલાવવામાં આવે છે. તણાવનું કારણ એ હતું કે એવા સમાચાર આવ્યા હતા કે વિક્રમ પર હુમલો કર્યા બાદ કેટલાક આરોપીઓએ તે મસ્જિદમાં આશરો લીધો હતો. વિકાસ થાપ્તા પણ એ લોકોમાં સામેલ છે જેમણે મસ્જિદને તોડી પાડવાની માંગ કરી હતી.

Advertisment

ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા સ્થાનિક દુકાનદાર વિક્રમે કહ્યું કે તેમને ખબર નથી કે આ મામલો મસ્જિદ સુધી કેવી રીતે પહોંચ્યો. સાચું કહું તો મને ખબર નથી કે આ મામલો સંજૌલી મસ્જિદ સુધી કેવી રીતે પહોંચ્યો. રાત્રે 9.15 વાગ્યે મારા પર હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે મેં ગુલનાવાઝને તેની સાથે દુર્વ્યવહાર કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. મારી દુકાન ગુલનવાઝની દુકાન પાસે છે, તે વિસ્તારમાં કૃણાલ તરીકે ઓળખાય છે. મેં યશપાલ શર્મા સહિત મારા સાથી દુકાનદારોને બોલાવ્યા, જેમને માથાના ભાગે લોખંડના સળિયાથી મારવામાં આવ્યો હતો. યશપાલ શર્મા શિમલામાં વેપારીઓની એક સંસ્થા વ્યાપર મંડળના સભ્ય છે. તે જ રાત્રે એક હુમલાખોરની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીનાએ બીજા જ દિવસે આત્મસમર્પણ કર્યું હતું. મને જે યાદ છે તેના પરથી કેટલાક લોકો કહેવા લાગ્યા કે હુમલાખોરો ભાગી ગયા છે અને મસ્જિદમાં આશરો લીધો છે. ”

મસ્જિદ આસપાસ પ્રથમ વિરોધ: હિમાચલ વિધાનસભામાં મામલો ઉઠ્યો

સંજૌલી મસ્જિદની આસપાસ પ્રથમ વિરોધ ૩ સપ્ટેમ્બરના રોજ થયો હતો. એટલે કે વિક્રમ પર હુમલાના બે દિવસ બાદ. આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે ચોમાસુ સત્ર દરમિયાન ચોપાલથી ભાજપના ધારાસભ્ય બલબીર સિંહ વર્માએ વિધાનસભામાં નિયમ 62 હેઠળ આ વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવને ચર્ચાનો વિષય ગણાવ્યો હતો.

જો કે આ મામલો ભાજપના ધારાસભ્ય દ્વારા સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસના પ્રધાન અનિરુદ્ધસિંહે રાજ્યના લોકોના અધિકારોની રક્ષા કરવાની જરૂરિયાત વિશે બોલવાનું શરૂ કર્યું હતું. વિધાનસભામાં તાળીઓ પાડનારા ધારાસભ્યોમાં ભાજપના ધારાસભ્યો પણ સામેલ હતા. મંત્રી અનિરુદ્ધ સિંહે કહ્યું કે, અન્ય રાજ્યોમાંથી આવતા લોકોના રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવે અને તેમણે કહ્યું કે જો મસ્જિદ ગેરકાયદેસર સાબિત થશે તો તેને તોડી પાડવામાં આવશે.

શિમલા (શહેરી) વિધાનસભાના મંત્રી અનિરુદ્ધના સાથી કોંગ્રેસ ધારાસભ્ય હરીશ જનરાથાએ મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુને આ મામલે દખલ કરવા વિનંતી કરી હતી. મલયાનામાં એક નાની બાબતે બે કોમના લોકો વચ્ચે અથડામણ થઈ હતી, પરંતુ આ મામલો સંજૌલી સુધી પહોંચ્યો હતો જ્યાં એક ગેરકાયદેસર ચાર માળની ઇમારત ઊભી છે. ગયા વર્ષે સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન મારફતે બિલ્ડિંગનો એક ભાગ તોડી પાડવામાં આવ્યો હતો. અથડામણ બાદ 6 શકમંદોને પકડવામાં આવ્યા હતા. તે બધા લઘુમતી સમુદાયના છે અને મુઝફ્ફરપુરના છે. પરંતુ હું માનવું છું કે, કોઇ મને ફોન કરી જણાવી શક્યું હોત કે મારા વિસ્તારમાં શું થઈ રહ્યું છે.

1960માં બની હતી મસ્જિદ

આ મસ્જિદ કુફરી જવાના માર્ગ પર સંજૌલી બજારના નીચેની તરફ છે. મસ્જિદનો ગ્રાઉન્ડ ફ્લોર 1960માં બનાવવામાં આવ્યો હતો અને 2010માં વધુ 3 માળ બનાવવામાં આવ્યા હતા. મસ્જિદના નિર્માણને શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પડકારવામાં આવ્યું હતું અને 2010 થી 2024 ની વચ્ચે આ મામલે 44 વખત સુનાવણી કરવામાં આવી છે. સુનાવણીની આગામી તારીખ 5 ઓક્ટોબર છે.

મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુએ કહ્યું કે કોઈએ કાયદો હાથમાં ન લેવો જોઈએ. જો કે, ભાજપના પૂર્વ સીએમ જય રામ ઠાકુરે કોંગ્રેસ સરકાર પર આ મામલાને હળવાશથી લેવાનો અને અન્ય રાજ્યોમાંથી હિમાચલ પ્રદેશમાં આવતા પરપ્રાંતિય મજૂરોની નોંધણી અંગેનો તેમની સરકારનો નિર્ણય પાછો ખેંચવાનો આરોપ લગાવ્યો હતો.

ગુરૂવારે કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો કે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન મસ્જિદના નિર્માણમાં મદદ કરવા માટે 2 લાખ રૂપિયા આપ્યા હતા. જો કે, પાર્ટીએ આ દાવાઓને નકારી કાઢ્યા હતા. મસ્જિદના નિર્માણના વિરોધમાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા સંગઠનોમાં હિન્દુ જાગરણ મંચ, વેપારી મંડળ, મહિલા મંડળ સંજૌલી અને દેવભૂમિ સંઘર્ષ સમિતિનો સમાવેશ થાય છે.

આમાંના કેટલાક સંગઠનોના પ્રતિનિધિઓએ સ્થાનિક સરકારી અધિકારીઓને એક પત્ર પણ સુપરત કર્યો હતો. જેમાં "બહારના લોકો" ની નોંધણી અને મંડી, કાંગડા, સોલન અને સિરમુરમાં લઘુમતી સમુદાયોના ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા ધાર્મિક બાંધકામોને દૂર કરવાની માંગ કરવામાં આવી હતી.

વકફ બોર્ડની જમીન

રાજ્ય વકફ બોર્ડના કમિશનર ઝફર ઇકબાલે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, જે જમીન પર મસ્જિદ અસ્તિત્વમાં છે તે સંપૂર્ણપણે રાજ્યના વકફ બોર્ડની છે, તે દાયકાઓ પહેલા બનાવવામાં આવી હતી. જો કે ઝફર ઇકબાલે જણાવ્યું હતું કે, "મને ખબર નથી કે સ્થાનિક સમિતિએ બાંધકામ વધારવા માટે સ્થાનિક સત્તાવાળાઓની પરવાનગી લીધી હતી કે નહીં.

હિમાચલ પ્રદેશ હિંસા ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ