શિમલાઃ લાઠીચાર્જ, વોટર કેનનનો ઉપયોગ… સંજૌલી મસ્જિદના વિરોધમાં ભીડ બેકાબૂ થઈ, પોલીસ બેરિકેડ તોડ્યા

Shimla sanjauli Mosque Controversy : શિમલા ના સંજૌલીમાં મસ્જિદ ના ગેરકાયદેસર નિર્માણને લઈ હિન્દુ સંગઠનો નો વિરોધ ઉગ્ર બન્યો, પોલીસ અને ભીડ વચ્ચે ઝપાઝપી થઈ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

Shimla sanjauli Mosque Controversy : શિમલા ના સંજૌલીમાં મસ્જિદ ના ગેરકાયદેસર નિર્માણને લઈ હિન્દુ સંગઠનો નો વિરોધ ઉગ્ર બન્યો, પોલીસ અને ભીડ વચ્ચે ઝપાઝપી થઈ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Shimla sanjauli Mosque Controversy

Shimla Masjid Controversy : શિમલાની સંજૌલી મસ્જિદને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. વિરોધ કરી રહેલા હિંદુ સંગઠનો હવે પોલીસ બેરિકેડ તોડીને આગળ વધ્યા છે. હવે મસ્જિદથી થોડે દૂર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં વિરોધ કરી રહેલી ભીડ મસ્જિદની નજીક જઈને ત્યાં પ્રદર્શન કરવા માંગે છે, પરંતુ પોલીસે તેને મંજૂરી આપી ન હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે નિયંત્રણમાં છે, પરંતુ આ સમયે ભીડ પોલીસ પર ભારે પડતી દેખાઈ રહી છે.

Advertisment

સંજૌલીમાં કેવી છે સ્થિતિ?

જે વીડિયો સામે આવી રહ્યા છે, તેમાં ભીડે ઘણા પોલીસ બેરિકેડ તોડી નાખ્યા છે, પોલીસને પાછળ ધકેલી દેવાનું કામ કરવામાં આવ્યું છે. બેકાબૂ ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો. એક તરફ લાઠીચાર્જ દ્વારા જવાબી હુમલો કરવામાં આવી રહ્યો છે તો, બીજી તરફ વોટર કેનન દ્વારા ભીડને વિખેરવાના પ્રયાસો જોવા મળી રહ્યા છે.

સંજૌલી વિવાદ પર હિમાચલ સરકારે શું કહ્યું?

હવે આ વિવાદ વધતો જોઈને હિમાચલ સરકારના મંત્રી વિક્રમાદિત્ય સિંહે બેફામ કહ્યું કે, જો આ જગ્યા ગેરકાયદેસર જણાશે તો તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે, કાયદાના દાયરામાં રહીને કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ત્યાં સુધી કહ્યું છે કે, સંઘ અને હિન્દુ લોકોની ભાવનાઓનું સન્માન કરવામાં આવે છે, પરંતુ કાયદો અને વ્યવસ્થાને બગડવાની મંજૂરી આપી શકાય નહીં. તેમના કહેવા મુજબ આ મામલો હજુ કોર્ટમાં છે અને જો કંઈપણ ગેરકાયદેસર જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.

,

Advertisment

સંજૌલી મસ્જિદ વિવાદ શું છે?

જાણકારી માટે તમને જણાવી દઈએ કે, આ મસ્જિદ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે 1947 થી પણ જૂની છે, પહેલા અહીં દરજીની દુકાન હતી, પછી લોકોએ દાન ભેગુ કરી મસ્જિદ બનાવી. હવે શિમલામાં એક નિયમ છે જે સ્પષ્ટપણે જણાવે છે કે, તમે અઢી માળથી ઉંચી કોઈ પણ ઈમારત ન બનાવી શકો. પરંતુ જે સંજૌલી મસ્જિદની વાત કરવામાં આવી રહી છે, તે હાલમાં પાંચ માળની છે.

શું સંજૌલી મસ્જિદ સરકારી જમીન પર બનેલી છે?

એક પેપરમાં તો એવું પણ કહેવામાં આવ્યું છે કે, જે જમીન પર મસ્જિદ બનાવવામાં આવી છે તે જમીન 1967 થી હિમાચલ સરકાર પાસે છે. આ સિવાય જો કોઈ સરકારી જમીન પર કોઈ ધાર્મિક સ્થળનું નિર્માણ કરવાનું હોય તો પણ તેના માટે કેટલાક નિયમો છે. જો તે નિયમોનું પાલન કરવામાં આવે તો કોઈ વિવાદ નહીં થાય, પરંતુ જો નિયમોની અવગણના કરવામાં આવે તો અરાજકતાની સ્થિતિ સર્જાઈ શકે છે.

હિમાચલ પ્રદેશ ગુજરાતી ન્યૂઝ દેશ