/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Sitaram-Yechury-political-journey.jpg)
સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીનું આજે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં નિધન થયું (Express Archive Photo)
Who was Sitaram Yechury : ભારતીય વામપીથી રાજનીતિના આધારસ્તંભ અને સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીનું આજે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું, તેઓ લાંબા સમયથી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. સીતારામ યેચુરીની રાજકીય કારકિર્દી ઘણી લાંબી રહી હતી, તેઓ બે વખત રાજ્યસભાના સાંસદ પણ રહ્યા હતા. રાજ્યસભાના સાંસદ તરીકેનો તેમનો બીજો કાર્યકાળ 2027માં સમાપ્ત થયો હતો.
12 ઓગસ્ટ 1952ના રોજ ચેન્નઈમાં જન્મેલા સીતારામ યેચુરીના પ્રારંભિક જીવનની વાત કરવામાં આવે તો તે હૈદરાબાદમાં મોટા થયા હતા. તેમણે દસમા ધોરણ સુધી ઓલ સેન્ટ્સ હાઈસ્કૂલમાં તેમનો ઉછેર કર્યો હતો. તેલંગાણા આંદોલન દરમિયાન તેઓ 1969માં દિલ્હી આવ્યા હતા અને અહીંથી તેમણે પોતાની રાજનીતિ શરૂ કરી હતી.
1975માં કટોકટી દરમિયાન ત્રણ વખત ધરપકડ કરવામાં આવી હતી
સીતારામ યેચુરીએ દિલ્હીની પ્રેસિડેન્ટ એસ્ટેટ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) હાયર સેકન્ડરી એક્ઝામિનેશનમાં ઓલ ઇન્ડિયા નંબર વન રેન્ક મેળવ્યો હતો. તેમણે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજથી અર્થશાસ્ત્રમાં બીએ (ઓનર્સ) માં પ્રથમ અને જેએનયુમાંથી અર્થશાસ્ત્રમાં એમએ માં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેમણે અર્થશાસ્ત્રમાં પીએચડી કરવા માટે જેએનયુમાં એડમિશન લીધું હતું, પરંતુ 1975માં 'ઇમરજન્સી' દરમિયાન તેમની ધરપકડને કારણે તેને રદ કરવામાં આવી હતી.
આ પણ વાંચો - સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીના એઈમ્સમાં ચાલી રહી હતી સારવાર
સીતારામ યેચુરી વર્ષ 1974માં સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એસએફઆઇ)માં જોડાયા હતા. એક વર્ષ બાદ તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી) (સીપીઆઇ-એમ)માં જોડાયા હતા. તેઓ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખ હતા, જેનું નેતૃત્વ સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એસએફઆઇ) કરતું હતું. કટોકટી દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેએનયુને ડાબેરીઓનો ગઢ બનાવવા માટે પ્રકાશ કરાતની સાથે તેમની પણ મહેનત હતી.
દક્ષિણપંથી વિચારધારાને રોકવાનો રહ્યો ઉદ્દેશ્ય
1984માં તેઓ સીપીઆઇએમની કેન્દ્રીય સમિતિમાં ચૂંટાયા હતા. યેચુરીને સંગઠનમાં પૂર્ણકાલીન સભ્ય બનવામાં બહુ ઓછો સમય લાગ્યો હતો. 1978થી 1998 સુધી તેમણે વ્યક્તિગત રીતે પાર્ટીમાં આગળ વધતા રહ્યા. તેઓ હંમેશાં એવી રાજનીતિ કરતા હતા, જેનો હેતુ જમણેરી વિચારસરણીને સત્તાથી દૂર રાખવાનો હતો. તેમણે પી ચિદમ્બરમની સાથે મળીને 1996માં સંયુક્ત મોરચા સરકારનો કોમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર કર્યો હતો. પ્રથમ યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ સરકારને સીપીઆઇએમનો ટેકો મેળવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.
પરમાણુ કરાર દરમિયાન થયા હતા ચર્ચિત
ધ્યાન આપવા જેવી વાત એ છે કે યુપીએ સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન ભારત-અમેરિકા પરમાણુ સમજૂતી માટે વાતચીત દરમિયાન યેચુરીએ રાજ્યસભામાં તે તમામ શરતોની યાદી આપી હતી. મનમોહન સિંહ દ્વારા બધી શરતો ન પુરી કરતા પ્રકાશ કરાતે તેને ફગાવી દીધી હતી. જેમણે દાવો કર્યો કે સમજુતી હજુ પણ સીપીએમના સ્વતંત્ર વિદેશ નીતિના વિચારનું ઉલ્લંઘન કરે છે. એવું કહેવાય છે કે યેચુરી નારાજ અને અસહાય અનુભવ કરી રહ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us