Solar Eclipse 2025: 14 સપ્ટેમ્બર પર સૂર્ય ગ્રહણ, દિવસમાં અંધારું છવાઇ જશે, જાણો ભારતમાં ક્યારે દેખાશે અદભુત નજારો

Surya Grahan 2025 Date And Time : વર્ષ 2025નું છેલ્લું સૂર્ય ગ્રહણ 14 સપ્ટેમ્બરે થવાનું છે. તે સમયે દિવસમાં અંધારું છવાઇ જશે. શું આ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે? જાણો ગ્રહણનો સમય

Written by Ajay Saroya
September 12, 2025 19:13 IST
Solar Eclipse 2025: 14 સપ્ટેમ્બર પર સૂર્ય ગ્રહણ, દિવસમાં અંધારું છવાઇ જશે, જાણો ભારતમાં ક્યારે દેખાશે અદભુત નજારો

Surya Grahan 2025 Date And Time : સપ્ટેમ્બર 2025 મહિનો આકાશમાં અદભૂત દૃશ્યો જોવા મળી રહ્યો છે. 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર ગ્રહણ વિશ્વના વિવિધ ભાગોમાં દેખાયું હતું અને આ સમય દરમિયાન ચંદ્ર ઘેરો લાલ થઈ ગયો હતો. બ્લડ મૂનનું આ અદ્ભુત દ્રશ્ય ભારતમાં પણ જોવા મળ્યું હતું. પરંતુ આ મહિને વધુ એક ખગોળીય ઘટના બનવાની છે અને થોડા દિવસોમાં આકાશમાં સૂર્ય ગ્રહણનું એક દુર્લભ દૃશ્ય જોવા મળશે.

ભારતીય પરંપરા અને હિન્દુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ પખવાડિયું વધુ ખાસ છે કારણ કે આ વર્ષે પિતૃ પક્ષ ચંદ્ર ગ્રહણથી શરૂ થયો હતો અને સૂર્ય ગ્રહણ સાથે સમાપ્ત થશે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે.

Surya Grahan 2025 Time : સૂર્ય ગ્રહણ ક્યારે થાય છે?

વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બર, 2025ના રોજ થશે. આ વર્ષે પૃથ્વી પરના લોકો આંશિક સૂર્યગ્રહણ જોઈ શકશે, જેનો અર્થ એ છે કે ચંદ્ર થોડા સમય માટે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવશે અને આકાશમાં સૂર્ય ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં જોવા મળશે. આ ઘટનાને equinox eclipse પણ કહેવામાં આવે છે કારણ કે આ ઘટના સપ્ટેમ્બર ઇક્વિનોક્સ (વર્ષમાં બે વખત થતી ઘટના – માર્ચ અને સપ્ટેમ્બર) થી તદ્દન અલગ હશે. equinox એટલે કે, સૂર્ય પૃથ્વીના વિષુવવૃત્તની ઉપર હોય છે, જેના પરિણામે સમગ્ર ગ્રહમાં લગભગ દિવસ અને રાતનો સમયગાળો સમાન હોય છે.

તમને જણાવી દઇયે કે, સપ્ટેમ્બર 2025 માં થનાર equinox એટલે સમપ્રકાશીય 22 સપ્ટેમ્બરના રોજ છે અને તેને ઉત્તર ગોળાર્ધમાં પાનખરના પ્રતીક તરીકે અને દક્ષિણ ગોળાર્ધમાં વસંતની શરૂઆત તરીકે જોવામાં આવે છે.

સૂર્ય ગ્રહણ ક્યારે દેખાશે?

વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ રાતના 10 વાગે 59 મિનિટે (ભારતીય સમય અનુસાર) શરૂ થશે. 3 વાગે 24 મિનિટે સૂર્ય ગ્રહણ સમાપ્ત થશે.

સૂર્ય ગ્રહણ ક્યાં દેખાશે?

દક્ષિણ ગોળાર્ધના સ્કાયવોચર્સ માટે આ એક દુર્લભ દૃશ્ય હશે. ન્યુઝીલેન્ડ, પૂર્વી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ પેસિફિકના કેટલાક ભાગો સૂર્યોદય સમયે ગ્રહણ જોશે, જ્યાં ડ્યુનેડિન જેવા સ્થળોએ સૂર્ય લગભગ 72 ટકા સુધી ઢંકાઇ જશે. એન્ટાર્કટિકાના દર્શકોને વધુ મોટું કવરેજ જોવા મળશે જે સૂર્યગ્રહણના આ દૃશ્યને અત્યંત અદભૂત બનાવશે.

શું ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે?

જો કે, ભારત અને ઉત્તર ગોળાર્ધના મોટાભાગના વિસ્તારો માટે, આ આંશિક સૂર્ય ગ્રહણ સંપૂર્ણપણે અદ્રશ્ય રહેશે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, અફઘાનિસ્તાન, દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકા જેવા દેશોના લોકો ગ્રહણનો કોઈ તબક્કો જોઈ શકશે નહીં. આ પરિસ્થિતિ અદ્ભુત ચંદ્ર ગ્રહણથી સંપૂર્ણપણે અલગ હશે જેણે ‘બ્લડ મૂન’ની દુર્લભતાને કારણે સામાન્ય લોકોને પણ રોમાંચિત કરી દીધા હતા. પરંતુ ગ્રહણ લાઇવ ટેલિકાસ્ટ અથવા ઇન્ટરનેટ દ્વારા લાઇવ જોઈ શકાય છે.

ધાર્મિક અને જ્યોતિષ માન્યતાઓ

ભારતીય પરંપરા અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર, સૂર્ય ગ્રહણનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય, પૂજા અથવા શુભ કાર્ય ન થવું જોઈએ. ગ્રહણ સમયે મંદિરોના દરવાજા પણ બંધ રાખવામાં આવે છે.

સૂર્ય ગ્રહણ નિહાળતી વખતે સાવચેતી રાખવી

સૂર્ય ગ્રહણનો નજારો જોતી વખતે આ ભૂલો ન કરો.

  • સૂર્ય ગ્રહણ નરી આંખે ન જુઓ. સૂર્યના કિરણો આંખોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
  • ખાસ ચશ્મા અથવા ફિલ્ટર્સનો ઉપયોગ કરો. ફક્ત પ્રમાણિત સોલર ફિલ્ટર્સ અથવા વિશેષ ચશ્માથી જુઓ.
  • મોબાઇલ/કેમેરામાંથી સીધા ફોટા કે વીડિયો ન લો. આ ઉપકરણ અને આંખ બંનેને નુકસાન પહોંચાડી શકે છે.
  • તમારા બાળકોને એકલા ન છોડો. તેમને સલામત રીતે જોવાની યોગ્ય જણાવો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ