/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/Venkateswara-Swamy-temple-stampede.jpg)
આંધ્ર પ્રદેશના વેંકટેશ્વર મંદિરમાં ભાગદોડ - photo- x
Andhra Pradesh Venkateswara Swamy Mandir Stampede: આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં એક મંદિરમાં ભાગદોડમાં અનેક લોકોના મોત થયા છે. પોલીસ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં લઈ જવાયા હતા. એકાદશી નિમિત્તે કાશીબુગ્ગાના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભક્તોની ભારે ભીડ દરમિયાન આ ભાગદોડ મચી હતી.
આંધ્રપ્રદેશના મુખ્ય તબીબી અધિકારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, "શ્રીકાકુલમ જિલ્લાના કાશીબુગ્ગામાં વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ મચી ગઈ હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની હતી જ્યારે એકાદશી માટે મંદિરમાં મોટી ભીડ એકઠી થઈ હતી.
ભક્તોની મોટી ભીડને કારણે અચાનક ભાગદોડ મચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. રાજ્યના કૃષિ પ્રધાન કે. અત્ચનાયડુ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને માહિતી એકત્રિત કરવા માટે મંદિરના અધિકારીઓ સાથે વાત કરી હતી. ઘટનાસ્થળે વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે."
VIDEO | Andhra Pradesh: Stampede reported at Venkateswara Temple in Kashibugga in Srikakulam district; several devotees injured, rushed to hospital. More details are awaited.
(Source: Third Party)#AndhraPradeshpic.twitter.com/dOJxEI4JHC— Press Trust of India (@PTI_News) November 1, 2025
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ શોક વ્યક્ત કર્યો
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ઘટના પર શોક વ્યક્ત કર્યો. તેમણે ટ્વિટર પર પોસ્ટ કર્યું, "શ્રીકાકુલમ જિલ્લાના કાશીબુગ્ગામાં આવેલા વેંકટેશ્વર મંદિરમાં થયેલી ભાગદોડથી ખૂબ જ આઘાત લાગ્યો છે. આ દુ:ખદ ઘટનામાં ભક્તોનું નુકસાન અત્યંત દુઃખદ છે.
હું મૃતકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. મેં અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક અને યોગ્ય સારવાર આપવા નિર્દેશ આપ્યો છે. મેં સ્થાનિક અધિકારીઓ અને જનપ્રતિનિધિઓને સ્થળની મુલાકાત લેવા અને રાહત કામગીરીનું નિરીક્ષણ કરવા વિનંતી કરી છે."
માર્યા ગયેલા લોકોમાં બે બાળકો
આંધ્રપ્રદેશના મંદિરમાં ભાગદોડના સ્થળે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. કાશીબુગ્ગા વેંકટેશ્વર મંદિર 12 એકરમાં ફેલાયેલું છે અને દૂર-દૂરથી ભક્તોને આકર્ષે છે. ભાગદોડમાં માર્યા ગયેલા લોકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ- શું ચંડીગઢમાં કેજરીવાલનો નવો શીશ મહેલ બનશે? ભાજપના દાવા પર શું બોલી AAP પાર્ટી
એક પોલીસ અધિકારીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે એવું લાગે છે કે કતારમાં રેલિંગ તૂટી ગઈ હતી કારણ કે ઘણા ભક્તો આગળ વધવા માટે ધક્કામુક્કી કરી રહ્યા હતા, જેના કારણે લોકો એકબીજા પર પડી ગયા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us