લદ્દાખમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઝડપ, બીજેપી ઓફિસમાં આગ લગાવી, સોનમ વાંગચુકનો દાવો 3 થી 5 યુવાનોના મોત

Ladakh Protest : લદ્દાખને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા અને રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે ચાલી રહેલા આંદોલન બુધવારે હિંસક બન્યા હતા. રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે અથડામણ કરી હતી

Written by Ashish Goyal
Updated : September 24, 2025 18:58 IST
લદ્દાખમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઝડપ, બીજેપી ઓફિસમાં આગ લગાવી, સોનમ વાંગચુકનો દાવો 3 થી 5 યુવાનોના મોત
Protest Clashed in Leh city : લદ્દાખમાં પોલીસ અને પ્રદર્શનકારી વચ્ચે અથડામણ થઇ હતી (ANI Video Grab)

Protest gathered at BJP Office in Leh Ladakh: લદ્દાખને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા અને રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે ચાલી રહેલા આંદોલન બુધવારે હિંસક બન્યા હતા. રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે અથડામણ કરી હતી, અધિકારીઓ પર પથ્થરમારો કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયને પણ આગ ચાંપી દીધી હતી. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો.

સોનમ વાંગચુકે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે પોલીસ ગોળીબારને કારણે ત્રણથી પાંચ યુવાનો માર્યા ગયા છે. અમારી પાસે ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો છે. અમને ચોક્કસ સંખ્યા ખબર નથી. વાંગચુકે સંયમ રાખવા હાકલ કરતા કહ્યું કે હિંસા યોગ્ય રસ્તો નથી. તેમણે કહ્યું કે તેઓએ બુધવારે 15મા દિવસમાં પ્રવેશેલી ભૂખ હડતાળ પાછી ખેંચી લીધી છે.

પ્રદર્શનકારીઓની ચાર માંગણીઓ છે

આ પ્રદર્શનકારીઓ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વાંગચુક છેલ્લા 15 દિવસથી ભૂખ હડતાલ પર હતા. વાંગચુકની આગેવાની હેઠળના પ્રદર્શનકારીઓની ચાર માંગણીઓ છે. પહેલી માંગ એ છે કે લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ. બીજી લદ્દાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવું જોઈએ. ત્રીજી માંગની વાત કરીએ તો કારગિલ અને લેહને લોકસભા બેઠકો બનાવવી જોઈએ. ચોથી માંગ એ છે કે સ્થાનિક લોકોની સરકારી નોકરીઓમાં ભરતી કરવામાં આવે. તેમની માંગણીઓ પૂરી ન થતાં પ્રદર્શનકારીઓએ આજે બંધનું આહ્વાન કર્યું હતું.

મારા પાંચ વર્ષના પ્રયત્નોને નિષ્ફળ બનાવી દેશે – સોનમ વાંગચુક

સોનમ વાંગચુકે બુધવારે કહ્યું કે મિત્રો, આજે મને તમને જણાવતા ખૂબ દુ:ખ થાય છે કે આજે લેહ શહેરમાં મોટા પાયે હિંસા અને તોડફોડ શરૂ થઈ છે. ઘણી ઓફિસોમાં તોડફોડ કરવામાં આવી હતી અને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસના વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. ગઈકાલે અહીં 35 દિવસના ઉપવાસ પર બેઠેલા બે લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને આજે સમગ્ર લેહમાં બંધની જાહેરાત કરવામાં આવી હતી. પછી યુવા પેઢી હજારોની સંખ્યામાં બહાર આવી હતી. કેટલાક લોકોને લાગે છે કે આ લોકો અમારા સમર્થક હતા અને હું કહીશ કે આખું લદ્દાખ આ મુદ્દે અમારું સમર્થક છે. આ યુવા પેઢીની હતાશા હતી. એક પ્રકારની જેન ઝેડ ક્રાંતિ, જે તેમને રસ્તા પર લાવ્યો.

સોનમ વાંગચુકે વધુમાં જણાવ્યું હતું કે તેઓ પાંચ વર્ષથી બેરોજગાર છે. એક પછી એક તેમને નોકરીથી દૂર રાખવામાં આવી રહ્યા છે. તો પછી તેઓ લદ્દાખને સુરક્ષા આપી રહ્યા નથી. તમે યુવાનોને કામ વગર રાખો છો અને તેમના લોકતાંત્રિક અધિકારો છીનવી લો છો. આજે અહીં લોકશાહી માટે કોઈ પ્લેટફોર્મ નથી અને છઠ્ઠી અનુસૂચી જે જાહેર કરવામાં આવી હતી અને વચન આપવામાં આવ્યું હતું, તે પણ સ્વીકારવામાં આવ્યું નથી. હું લદ્દાખની યુવા પેઢીને અપીલ કરું છું કે જે પણ હોય તે આ રસ્તા પર ના ચાલે. તે મારા પાંચ વર્ષના પ્રયત્નોને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દેશે. જો આપણે આટલા વર્ષોથી ભૂખ હડતાલ કરી રહ્યા છીએ અને આપણે અંતમાં હિંસા કરીશું તો તે આપણો રસ્તો નથી.

આ પણ વાંચો – સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી કોણ છે? 17 છોકરીઓના જાતીય શોષણનો આરોપ

5 ઓગસ્ટ 2019ના રોજ એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો હતો

5 ઓગસ્ટ 2019 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે કલમ 370 હટાવીને જમ્મુ-કાશ્મીરનો સંપૂર્ણ રાજ્યનો દરજ્જો નાબૂદ કર્યો હતો. આ પછી જમ્મુ-કાશ્મીર અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું. જ્યારે લેહ અને કારગિલને ભેળીને લદ્દાખને એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. જોકે છેલ્લા ત્રણ વર્ષમાં, લદ્દાખના લોકો વારંવાર તેમની જમીન, સંસ્કૃતિ અને સંસાધનોની સુરક્ષા માટે રાજ્યનો દરજ્જો અને બંધારણીય સુરક્ષાની માંગ કરી રહ્યા છે.

આગામી બેઠક 6 ઓક્ટોબરે યોજાશે

હવે કેન્દ્ર અને લદ્દાખના પ્રતિનિધિઓ વચ્ચે આગામી વાતચીત 6 ઓક્ટોબરે થશે. તેમાં લેહ એપેક્સ બોડી (એલએબી) અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ (કેડીએ)ના સભ્યો સામેલ હશે. કારગિલ ડેમોક્રેટિક ફ્રન્ટના નેતા સજ્જાદ કારગિલે એક્સ પર લખ્યું છે કે લેહમાં જે પણ થઈ રહ્યું છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. લદ્દાખ એક સમયે શાંતિપૂર્ણ હતું, પરંતુ હવે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાના સરકારના નિષ્ફળ પ્રયોગને કારણે નિરાશા અને અસુરક્ષાની લાગણીથી પીડાય છે. સરકારની જવાબદારી છે. વાતચીત ફરી શરૂ કરે, સમજદારીપૂર્વક કામ લે અને રાજ્યનો દરજ્જો અને લદ્દાખની છઠ્ઠી અનુસૂચિની માંગને વિલંબ કર્યા વિના પૂર્ણ કરે. હું લોકોને શાંતિપૂર્ણ અને મક્કમ રહેવાની પણ અપીલ કરું છું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ