Suresh Kalmadi Passes Away at 82: પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું નિધન, 82 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

Suresh Kalmadi Passes Away | Former Union Minister Suresh Kalmadi Death News: ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું 82 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. આજે મંગળવારે બપોરે 2 વાગ્યે તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે તેમના ઘરે રાખવામાં આવશે.

Suresh Kalmadi Passes Away | Former Union Minister Suresh Kalmadi Death News: ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું 82 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. આજે મંગળવારે બપોરે 2 વાગ્યે તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે તેમના ઘરે રાખવામાં આવશે.

author-image
Ankit Patel
New Update
suresh kalmadi death

સુરેશ કલમાડી નિધન Photograph: (Express photo)

Suresh Kalmadi Death News: ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું 82 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. આજે મંગળવારે બપોરે 2 વાગ્યે તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે તેમના ઘરે રાખવામાં આવશે, ત્યારબાદ સાંજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કલમાડીનું મહારાષ્ટ્રના પુણેમાં અવસાન થયું.

Advertisment

સુરેશ કલમાડી કેન્દ્ર સરકારમાં કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા હતા. તેમણે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી અને લાંબા સમય સુધી રમતગમત વહીવટમાં સામેલ રહ્યા હતા. તેમને પુણેના રાજકારણમાં પ્રભાવશાળી નેતા માનવામાં આવતા હતા અને ઘણી વખત લોકસભામાં શહેરનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

તેમની રાજકીય કારકિર્દી દરમિયાન, કલમાડીએ અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા હતા અને રાષ્ટ્રીય સ્તરે રાજકારણ અને રમતગમતમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. 

Advertisment

કલમાડીએ 1996 થી 2011 સુધી ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ તરીકે સેવા આપી હતી અને 2010ના દિલ્હી કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડમાં સંડોવણી બદલ દસ મહિનાની જેલની સજા ભોગવી હતી. બાદમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને જાહેર જીવનમાં તેમના યોગદાનને યાદ કર્યું હતું. તેમના પરિવારમાં તેમની પત્ની, એક પુત્ર અને પુત્રવધૂ, બે પરિણીત પુત્રીઓ, એક જમાઈ અને પૌત્ર-પૌત્રીઓનો સમાવેશ થાય છે. 

આ પણ વાંચોઃ- Today Weather: ગુજરાતમાં કાતિલ ઠંડી, નલિયામાં 7 ડિગ્રી તાપમાન, રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

પારિવારિક સૂત્રોએ જણાવ્યું હતું કે તેમના પાર્થિવ શરીરને બપોરે 2:00 વાગ્યા સુધી એરંડવને સ્થિત કલમાડી હાઉસ ખાતે જાહેર દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ અંતિમ સંસ્કાર નવી પેઠ સ્થિત વૈકુંઠ સ્મશાનગૃહમાં બપોરે 3:30 વાગ્યે કરવામાં આવશે.

દેશ મહારાષ્ટ્ર politics