Swati Maliwal Case: સીએમ અરવિંદ કેજરીવાલના PA બિભવ કુમાર વિશે 7 મોટી વાત, પત્રકાર થી પીએ બનવા સુધીની કહાણી

Swati Maliwal Case: આપ પાર્ટીન સાસંદ સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહારના કેસમાં અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમારની પોલીસે ધરપકડ કરી છે. માલીવાલે બિભવ કુમાર પર સીએમ હાઉસમાં તેમની સાથે ગેરવર્તણૂક અને મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે.

Swati Maliwal Case: આપ પાર્ટીન સાસંદ સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહારના કેસમાં અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમારની પોલીસે ધરપકડ કરી છે. માલીવાલે બિભવ કુમાર પર સીએમ હાઉસમાં તેમની સાથે ગેરવર્તણૂક અને મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
bibhav kumar | bibhav kumar case | swati maliwal bibhav kumar case | arvind kejriwal pa

બિભવ કુમાર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના અંગત સચિવ છે. (File Photo)

Swati Maliwal Case: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહાર કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભાવ કુમારની ધરપકડ થઇ છે. સ્વાતિ માલીવાલે બિભાવ કુમાર પર આરોપ લગાવ્યો છે. આ દરમિયાન સમગ્ર દેશમાં બિભવ કુમારની ચર્ચા તેજ થઇ ગઇ છે, આ વ્યક્તિ અરવિંદ કેજરીવાલની આટલી નજીક કેવી રીતે આવ્યો? બિભવ કુમાર સાથે જોડાયેલી આવી 7 મોટી વાતો છે, જેને દરેક વ્યક્તિ જાણવા માંગે છે.

Advertisment

બિભાવ કુમાર બિહારના સાસારામ વિસ્તારનો રહેવાસી છે. તેણ 2004 થી 2006 દરમિયાન પત્રકારત્વનો અભ્યાસ કર્યો હતો. પરંતુ તેઓ સક્રિય મીડિયામાં આવ્યા ન હતા અને એક્ટિવિઝ્મનો માર્ગ પસંદ કર્યો હતો. તેણે 2005માં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની એનજીઓ કબીર સાથે જોડાયા હતા.

અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ બિભવ કુમારને આરટીઆઈ હેઠળ કામ કરવાની જવાબદારી આપી હતી. એનજીઓ કબીરે એક ન્યૂઝ ચેનલના આરટીઆઈ અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને બિભાવ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની નજરમાં આવવા લાગ્યો હતો.

એનજીઓનું આરટીઆઇનું કામ સફળ થતાં આ દરમિયાન બિભાવ કુમારે દૂરદર્શનના એક્સપર્ટ તરીકે આ પ્રોગ્રામમાં જોડાવાનું શરૂ કર્યું હતું. અહીંથી તેઓ અને અરવિંદ કેજરીવાલ નજીક આવવા લાગ્યા.

Advertisment

ધીમે ધીમે એનજીઓ કબીરે ગ્રામ સ્વરાજનું કામ શરૂ કર્યું અને બિભવને મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી. આ સંગઠન અણ્ણા હજારેના સંપર્કમાં આવ્યું હતું. અહીંથી જ ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન આંદોલનની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી અને 2011માં દેશમાં સૌથી મોટું આંદોલન ભ્રષ્ટાચાર વિરુદ્ધ હતું.

AAP MP Swati Maliwal Case
આપ સાંસદ સ્વાતિ માલીવાલ કેસ

ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન આંદોલન દરમિયાન બિભાવ કુમાર અરવિંદ કેજરીવાલની સૌથી નજીક હતા અને તેઓ સતત તેમને સલાહ આપતા હતા અને તેમનું કામ પણ જોતા હતા.

2013માં દિલ્હીમાં આમ આદમી પાર્ટીની જીત થઈ હતી. આ જીત બાદ બિભાવ કુમારે અરવિંદ કેજરીવાલ સાથે જોડાયેલા કામનું ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું હતું. 2015માં જ્યારે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં 70માંથી 67 બેઠકો જીતી ત્યારે બિભાવને મુખ્યમંત્રીની કોર ટીમમાં રાખવામાં આવ્યો હતો અને તેમના અંગત સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જો કે બાદમાં ઉપરાજ્યપાલે આ પદને વિખેરી નાખ્યું હતું, પરંતુ બિભાવે સીએમ કેજરીવાલ તરીકે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.

અરવિંદ કેજરીવાલ જ્યારે દારૂ કૌભાંડ કેસમાં તિહાડ જેલ ગયા ત્યારે તેમણે 6 લોકોના નામ આપ્યા હતા જેમને તેઓ મળી શકતા હતા. તેમાં બિભાવ કુમારનું નામ પણ સામેલ હતું. આવી સ્થિતિમાં, તમે સમજી શકો છો કે બિભવ સીએમ કેજરીવાલની કેટલી નજીક છે.

દિલ્હી ટ્રેન્ડિંગ ન્યૂઝ અરવિંદ કેજરીવાલ આપ