સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે દહેજમાં ₹ 100 કરોડની માંગણી, સાસરિયાઓના અસહ્ય અત્યાચારથી મહિલાની આત્મહત્યા

tamil nadu dowry case : તમિલનાડુમાં દહેજની માંગણી ન સંતોષાતા સાસરિયાઓનો અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને મહિલાએ આત્મહત્યા કરીને પોતાનુ જીવન ટૂંકાવ્યું હતું.

Written by Ankit Patel
Updated : July 01, 2025 10:40 IST
સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે દહેજમાં ₹ 100 કરોડની માંગણી, સાસરિયાઓના અસહ્ય અત્યાચારથી મહિલાની આત્મહત્યા
તમિલનાડુ દહેજ કેસ મહિલા આત્મહત્યા - photo - unsplash

tamil nadu dowry case : તામિલનાડુના તિરુપુરમાં 27 વર્ષીય મહિલા તેના સાસરિયાઓના દહેજની માંગણીથી કંટાળી ગઈ હતી. દહેજની માંગણી ન સંતોષાતા સાસરિયાઓનો અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને મહિલાએ આત્મહત્યા કરીને પોતાનુ જીવન ટૂંકાવ્યું હતું. હવે પોલીસે મહિલાના પતિ અને સાસરિયાઓની ધરપકડ કરી છે.

મૃતક રિધાન્યા કપડા ઉત્પાદન કંપનીના વડા અન્નાદુરાઈની પુત્રી હતી, જેના લગ્ન આ વર્ષે એપ્રિલમાં કવિન કુમાર સાથે થયા હતા. સંબંધ સ્થાપિત થયા ત્યારથી લગ્ન સુધી, સાસરિયાઓની દરેક માંગણી પૂર્ણ કરવામાં આવી હતી. લગ્ન પછી, રિધાન્યાને વધુ દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે તેણે આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો.

તેણીએ કારમાં જંતુનાશક ગોળીઓ ખાઈને આત્મહત્યા કરી

ગયા શનિવારે રિધાન્યા તેના સાસરિયાના ઘરેથી નીકળી ગઈ હતી અને કહ્યું હતું કે તે મોન્ડીપલયમ મંદિર જઈ રહી છે. ઘણા કલાકો પછી, પોલીસને આ વિસ્તારમાં પાર્ક કરેલી કાર વિશે ખબર પડી. કારની અંદર જોયું તો રિધાન્યા બેભાન અને મોંમાંથી ફીણ નીકળતી મળી આવી હતી. તેણે કથિત રીતે જંતુનાશક ગોળીઓ પીધી હતી. રવિવારે પોસ્ટમોર્ટમ પછી તેના મૃતદેહને અવિનાશીની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો અને પરિવારને સોંપવામાં આવ્યો હતો.

સાસરિયાઓએ જીવન મુશ્કેલ બનાવ્યું હતું

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે 500 સોવરિન (લગભગ 4 કિલો) સોનાના દાગીના અને 70 લાખ રૂપિયાની લક્ઝરી વોલ્વો કાર આપવાના વચન સાથે સંબંધ નક્કી કરવામાં આવ્યો હતો. લગ્ન દરમિયાન ફક્ત 300 સોવરિન આપવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં, સાસરિયાઓ બાકીના સોના માટે સતત દબાણ કરી રહ્યા હતા. આ કારણે, તેઓ મહિલા સાથે ગેરવર્તન કરતા હતા.

પિતાને મોકલવામાં આવેલા 7 સંદેશા

આત્મહત્યા કરતા પહેલા, રિધાન્યાએ તેના પિતાને વોટ્સએપ પર 7 વોઇસ નોટ્સ મોકલી હતી. રિધાન્યાએ તેણીને શું સહન કરવું પડ્યું તે વિગતવાર જણાવ્યું. તેણીએ તેના પતિ અને તેના માતાપિતા પર દરરોજ માનસિક રીતે હેરાન કરવાનો અને કવિન પર કથિત રીતે હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. તેણીએ એક સંદેશમાં કહ્યું, “મને આ જીવન ગમતું નથી. હું આ ચાલુ રાખી શકતી નથી. તમે અને માતા મારી દુનિયા છો. મને માફ કરશો, પિતા, બધું સમાપ્ત થઈ ગયું છે. હું જઈ રહી છું.”

સ્ટાર્ટઅપ માટે 100 કરોડની માંગણી કરી

રિધાન્યાના પિતાએ જણાવ્યું કે કેવી રીતે તેના સાસરિયાઓએ તેમના દહેજની તુલના બીજા લોકો સાથે કરી અને કથિત રીતે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે અન્ય વરરાજાઓની જેમ 100 કરોડ રૂપિયાની માંગણી કરી. અન્નાદુરાઈએ કહ્યું કે તેમની પુત્રીના સાસરિયાઓએ તેમની સાથે છેતરપિંડી કરી અને અધિકારીઓને વિનંતી કરી કે તેઓ ખાતરી કરે કે તેમના પરિવારની જેમ અન્ય કોઈ પરિવાર પીડાય નહીં.

આ પણ વાંચોઃ- Railway: ટ્રેન મુસાફરી 1 જુલાઇથી મોંઘી થઇ, જાણો AC લઇ થી સ્લિપર કોચનું ટિકિટ ભાડું કેટલું વધ્યું?

રિધાન્યાના પિતા અન્નાદુરાઈએ કહ્યું કે રિધાન્યા તેના લગ્નના માત્ર 15 દિવસ પછી ઘરે પરત ફર્યા, તે ખૂબ જ દુઃખી અને નારાજ હતી. “મેં તેણીને એડજસ્ટ થવા કહ્યું. મને ખ્યાલ નહોતો કે તે કેટલું ખરાબ હતું,” તેમણે કહ્યું. રિધાન્યાના વારંવારના આગ્રહો પછી, તેની સાસુ તેને મળી અને માફી માંગી, પરંતુ પરિસ્થિતિ બદલાઈ નહીં. અન્નાદુરાઈએ કહ્યું “જ્યારે તે પાછી આવી, ત્યારે તે સંપૂર્ણપણે તૂટી ગઈ હતી,”

ચેયૂર પોલીસે કવિન કુમાર અને તેના માતા-પિતા ઈશ્વરમૂર્તિ અને ચિત્રાદેવીની દહેજ ઉત્પીડન અને આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવાના આરોપસર ધરપકડ કરી છે અને તમામ આરોપોની તપાસ ચાલી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ